May 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-182

 
અધ્યાય-૨૦૨-કર્ણે,યુદ્ધ કરવાની સલાહ આપી 

II कर्ण उवाच II दुर्योधन तव प्रज्ञा न सम्यगिति मे मतिः I न उपायेन ते शक्याः पाण्डवाः कुरुवर्धन II १ II

કર્ણ બોલ્યો-હે દુર્યોધન,મારો એવો મત છે કે-તારી સમજ બરાબર મને બરાબર લગતી નથી.પાંડવો આ ઉપાયોથી

અધીન થાય તેમ નથી.કેમ કે પહેલાં પણ આવા ઉપાયોથી તેમને વશ કરવાના પ્રયત્નો થયા હતા.તેઓ અહીં,

તારી સમીપમાં હતા,પક્ષ વિનાના હતા ને બાળક અવસ્થામાં હતા,છતાં,તેમને કોઈ બાધ કરી શકાયો નહોતો.

ને હવે જયારે તેમનો પક્ષ થયો છે,તેઓ વિદેશમાં છે ને સર્વ રીતે વૃદ્ધિ પામ્યા છે,

ત્યારે તે આવા ઉપાયોથી વશ થાય તેમ નથી,એવી મારી અટલ માન્યતા છે.

May 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-181

અધ્યાય-૨૦૧-પાંડવોના વિનાશ માટે દુર્યોધનના વિચાર 

II धृतराष्ट्र उवाच II अहमप्येवमेवैत्च्चिकीर्पामि यथा युवाम् I विवेक्तुं नाहमिच्छामि त्वाकारं विदुरंप्रति II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યો-તમારી જેમ હું પણ એવી જ ઈચ્છા રાખું છું,પણ,વિદુરની આગળ એ ભાવ બતાવી દેવા ઈચ્છતો નથી.મારી ચેષ્ટાઓ પરથી વિદુર મારો મનોભાવ જાણી જાય નહિ,એટલે માટે,હું પાંડવોના ગુણ ગાઉ છું,પણ,

હે દુર્યોધન,આ સમયે તને જે સારું લાગતું હોય,તે વિશેનો તારો વિચાર મને કહે.(1-3)

May 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-180

 
વિદુરાગમન પર્વ 

અધ્યાય-૨૦૦-વિદુરે ધૃતરાષ્ટ્રને પાંડવોના સમાચાર આપ્યા 

II वैशंपायन उवाच II ततो राज्ञां चरैराप्तैः प्रवृत्तिरूपनीयत I पाण्डवैरूपसंपन्ना द्रौपदी पतिभिः शुभा II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,રાજાઓના પોતપોતાના વિશ્વાસુ દૂતોએ તેમને ખબર પહોંચાડી કે-

'દ્રૌપદી,પાંડવપતિઓને પરણી છે.જેણે ધનુષ્ય ચડાવીને લક્ષ્ય વીંધ્યું હતું,તે જયશીલોમાં શ્રેષ્ઠ મહાન ધનુષધારી અર્જુન હતો,ને જે બળવાને.મદ્રરાજ શલ્યને ઉછાળીને પટકી પાડ્યો હતો ને ક્રોધાવેશમાં આવીને,એક વૃક્ષથી માણસોને ત્રાસ પોકરાવ્યો હતો,ને જેને ભય જેવું કશું પણ નહોતું,તે શત્રુસેનાને પાડનારો ભીમસેન હતો'

May 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-179

 
અધ્યાય-૧૯૯-શ્રીકૃષ્ણે કરેલું મોસાળું 

II वैशंपायन उवाच II पाण्डवैः सह संयोगं गतस्य द्रुपदस्य ह् I न वभूव भयं किंचिदेवेभ्योपि कथंचन II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડવોની સાથે પોતાનો સંબંધ બંધાયો,એટલે દ્રુપદ પૂરો નિર્ભય થઇ ગયો.તેને હવે દેવોનો પણ કોઈ ભય રહ્યો નહિ.પછી,દ્રુપદની સ્ત્રીઓ કુંતી પાસે ગઈ અને પોતપોતાનાં નામ કહીને શિર નમાવીને,પાયે પડી.

રેશમી પાનેતર પહેરેલી,કૃષ્ણા પણ સાસુને પ્રણામ કરીને વિનયપૂર્વક હાથ જોડીને ઉભી રહી.

રૂપલક્ષણવાળી અને આચારથી સંપન્ન એ પુત્રવધુ દ્રૌપદીને,કુંતીએ પ્રેમપૂર્વક આશીર્વચન કહ્યાં-

May 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-178

 
અધ્યાય-૧૯૮-દ્રૌપદીનો વિવાહ 

II द्रुपद उवाच II 

अश्रुत्वैवं वचनं ते महर्षे मयापूर्व यतितं संविधातुम I न वै शक्यं विहितस्या पयानं तदेवेदमुपपन्नं विधानं II १ II

દ્રુપદ બોલ્યો-હે મહર્ષિ,આ મહામૂલું વચન સાંભળીને મારો મોહ નાશ પામ્યો છે,તમારું આ વચન સાંભળ્યા પહેલાં મેં લગ્નવિધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો,પણ દૈવીવિધાનને ટાળી શકાય તેવું નથી,એટલે તેને અનુસરવું જ યોગ્ય છે.ભાગ્યની ગાંઠ બદલી શકાતી નથી,સ્વકર્મથી અહીં કંઈ પણ થતું નથી.એક જ વરને માટે,અહીં લક્ષ્યભેદનું નિમિત્ત રખાયું હતું,પણ તે હવે પાંચને માટે નિશ્ચિત થયું છે.કૃષ્ણા પાંચવાર 'મને પતિ આપો' એમ બોલી,

ને ભગવાન શંકરે તેને 'પાંચ પતિ મળશે' એમ કહ્યું,એટલે આનું રહસ્ય ભગવાન શંકર જ જાણે છે,જો

આ ધર્મ કે અધર્મ,જો ભગવાન શંકરે જ વિહિત કર્યો છે તો તેમાં મારો કોઈ અપરાધ નથી.એટલે હવે આ પાંડવો

વિધિપૂર્વક આ કૃષ્ણાનું પાણિગ્રહણ કરે,કેમ કે તે તેમના માટે જ નિર્મિત થયેલી છે.(1-4)

May 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-177

 
અધ્યાય-૧૯૭-પાંચ ઈન્દ્રનું ઉપાખ્યાન 

II व्यास उवाच II पुरा वै नैमिषारण्ये देवाः सत्रमुपासते I तत्र वैवस्वतो राजन् शामित्रमकरोत्तत  II १ II

વ્યાસ બોલ્યા-હે રાજન,પૂર્વે દેવોએ નૈમિષારણ્યમાં સત્ર માંડ્યો હતો.તેમાં વિવસ્વાનના પુત્ર યમરાજ પશુ મારવાના કામમાં દીક્ષિત થયા  હતા,તેથી તે પ્રજામાંથી કોઈને મારતા નહોતા,કે જેને પરિણામે,મરણકાળ 

વીતી જતાં પણ મૃત્યુ ન થવાથી,જગતમાં મનુષ્યો પુષ્કળ વધવા લાગ્યા.ત્યારે ચંદ્ર,ઇન્દ્ર,વરુણ,કુબેર,સાધ્યો,

રુદ્રો,વસુઓ,અશ્વિનીકુમારો વગેરે (અમર એવા) દેવો,મનુષ્યોની અત્યંત વૃદ્ધિથી ભય પામવાથી,

સર્વ લોકના નિર્માતા,પ્રજાપતિ બ્રહ્મા પાસે ગયા.ને કહેવા લાગ્યા કે-

'અમે ભયથી ઉદ્વેગ પામ્યા છીએ ને સુખની ઈચ્છાથી આપને શરણે આવ્યા છીએ' (1-4)

May 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-176

 
અધ્યાય-૧૯૬-વ્યાસનો અભિપ્રાય 

II वैशंपायन उवाच II ततस्ते पाण्डवाः सर्वे पांचाल्यश्च महायशाः I प्रत्युत्थाय महात्मानं कृष्णं सर्वेSभ्यवादयन्  II १ II

વૈશંપાયન બોલ્યા-સર્વ પાંડવોએ તથા મહાયશસ્વી દ્રુપદરાજે તેમજ બીજા સૌએ ઉભા થઈને મહાત્મા કૃષ્ણ દ્વૈપાયનને વંદન કર્યા.તે આદરસત્કારનો સ્વીકાર કરી,ને તેમના કુશળ પૂછીને,તેઓ સોનાના શુદ્ધ આસન પર બિરાજ્યા.અને તેમણે આજ્ઞા આપી એટલે બાકીના સર્વે પોતપોતાના આસન પર બેઠા.થોડીવાર પછી,દ્રુપદે મધુર વાણીમાં,વ્યાસજીને,દ્રૌપદીના સંબંધમાં પૂછ્યું કે-'એક સ્ત્રી અનેક પુરુષની પત્ની કેમ કરીને થઇ શકે?

આમ કરવામાં સંકરતા ન આવે?હે ભગવન,આ વિષે આપ મને બધું યથાવત કહો (1-5)

May 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-175

અધ્યાય-૧૯૪-પાંડવોની પરીક્ષા 


II दूत उवाच II 

जन्यार्थमन्नं द्रुपदेन राज्ञा विवाहहेतोरुप संस्कृतं च I तदाप्नुवध्वं कृतसर्वकार्याः कृष्णां च तत्रैव चिरं न कार्यंम  II १ II

દૂત બોલ્યો-દ્રુપદરાજે,વિવાહને નિમિત્તે જાનૈયાઓ માટે ભોજન તૈયાર કારવ્યું છે,તો સર્વ કાર્ય પતાવી તમે ત્યાં ચાલો.અને ત્યાં જ કૃષ્ણાને પરણો,વિલંબ કરશો નહિ.સુવર્ણકમળના ચિત્રવાળા,સુંદર ઘોડાઓ જોડેલા અને રાજાઓને શોભે,એવા આ રથો છે,એમાં બેસી આપ સૌ પંચાલરાજના ભવને પધારો (1-2)

May 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-174

વૈવાહિક પર્વ 

અધ્યાય-૧૯૩-પાંડવો પાસે પુરોહિતનું આગમન 

II वैशंपायन उवाच II 

तत्तस्थोक्तः परिद्रष्टरुपःपित्रे शशंसाय स राजपुत्रः I धृष्टध्युम्नः सोमकानां प्रवर्हो वृतं यथा येन हृता च कृष्णा  II १ II

વૈશંપાયન બોલ્યા-દ્રુપદે આ પ્રમાણે કહ્યું,ત્યારે રાજપુત્ર ધૃષ્ટદ્યુમ્ને,પરમ પ્રસન્નતાપૂર્વક,તેના પિતાને,

કૃષ્ણાને કોણ લઇ ગયું અને ત્યાં શું બન્યું હતું તે બધું યથાવત કહ્યું.

ધૃષ્ટદ્યુમ્ન બોલ્યો-અહીં,જે વિશાળ અને લાલ નેત્રવાળા,કાળું મૃગચર્મ ધારણ કરેલા ને દેવ જેવા રૂપાળા,

યુવાનશ્રેષ્ઠે ધનુષ્યની પણછ ચડાવીને નિશાન પાડ્યું હતું,તેણે રાજાઓ સાથે યુદ્ધ કર્યા પછી,બ્રાહ્મણોનો 

સત્કાર પામીને અહીંથી જતો હતો ત્યારે,કૃષ્ણા પણ તેના મૃગચર્મને પકડીને તેની પાછળ ગઈ.

બીજો વિશાળ બ્રાહ્મણ,કે જેણે,રાજાઓને નસાડ્યા હતા,તે પણ તેમની પાછળ જ ગયો.

May 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-173

 
અધ્યાય-૧૯૨-ધૃષ્ટદ્યુમ્ને પાંડવોની તપાસ કરી 

II वैशंपायन उवाच II धृष्टध्युम्नस्तु पांचाल्यः पुष्ठतः कुरुनन्दनौ I अन्वगच्छत्तदयांतौ भार्गवस्य निर्वेशने  II १ II

વૈશંપાયન બોલ્યા-ભીમ ને અર્જુન એ કુરુનંદનો કુંભારને ઘેર જતા હતા ત્યારે,પાંચાલપતિનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન પણ તેમની પાછળ પાછળ ગયો હતો.કોઈ તેને ઓળખે નહિ,તેમ તે પોતે કુંભારના ઘરની નજીકમાં સંતાઈ રહ્યો હતો,

ને ચોમેર તેણે,પોતાના માણસોની ચોકી બેસાડી હતી.(1-2)

May 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-172

 
અધ્યાય-૧૯૧-બલરામ અને શ્રીકૃષ્ણ પાંડવો પાસે 

II वैशंपायन उवाच II 

गत्वा तु तां भार्गव कर्मशालां पार्थो पृथां प्राप्य महानुभावो I तां याज्ञसेनीं परमप्रतीतौ भिक्षत्यथा वेदयतां नराग्र्यौ  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,નરશ્રેષ્ઠ મહાનુભાવ ભીમ અને અર્જુન,એ બે પૃથાનંદનો કુંભારની તે કર્મશાળામાં ગયા અને 

તેમણે પરમપ્રસન્નતાપૂર્વક તે યાજ્ઞસેની દ્રૌપદીના સંબંધમાં 'અમે ભિક્ષા લાવ્યા છીએ' એમ કુંતીને જણાવ્યું.

કુટીમાં બેઠેલી કુંતીએ એ બંને પુત્રોને જોયા વિના જ કહ્યું કે-'તમે સૌ ભેગા મળીને તેનો ઉપયોગ કરજો'

પણ,પછી તેમણે કૃષ્ણાને જોઈ,તો કુંતી બોલી ઉઠી કે-'અરે,મેં તો કષ્ટકારક વચન કહી નાખ્યું' અને અધર્મના ભયથી કુંતી શોક કરવા લાગી.તેણે દ્રૌપદીનો હાથ પકડીને,તેને યુધિષ્ઠિર પાસે લઇ ગઈ.

May 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-171

અધ્યાય-૧૯૦-ભીમ અને અર્જુનનો વિજય 

II वैशंपायन उवाच II अजिनानि विधुन्वन्तः करकांश्च द्विज्जर्पमाः I उचुस्ते भीर्न कर्तव्या वयं योत्स्यामहे परान II १ II

વૈશંપાયન બોલ્યા-ત્યારે,મૃગચર્મ ને કમંડળો વિંઝાતા તે બ્રાહ્મણોએ કહ્યું-'બીશો નહિ અમે શત્રુઓ સામે લડીશું'

તે બ્રાહ્મણોને,અર્જુને જાણે હસતો હોય તેમ કહ્યું કે-'તમે બાજુએ ઉભા રહી માત્ર જોયા કરો.જેમ,ઝેરીલા સર્પોને મંત્રોથી વારવામાં આવે છે,તેમ,હું આ ક્રોધિષ્ઠ રાજાઓને મારા સેંકડો બાણોથી છિન્નભિન્ન કરી નાખીશ'

ને આમ કહીને,તે અર્જુને સ્વયંવરમાં જીતેલું ધનુષ્ય સજાવીને ભીમસેન પાસે આવીને ઉભો રહ્યો.(1-4)

May 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-170

 
અધ્યાય-૧૮૮-અર્જુને કરેલો લક્ષ્યવેધ 

II वैशंपायन उवाच II यदा निवृत्ता राजानो धनुष्यः राज्यकर्मण: I अथोदतिष्ठद्विमाणां मध्याज्जिन्णुरुदार्धी  II १ II

વૈશંપાયન બોલ્યા-જયારે,રાજાઓ ધનુષ્ય સજવાના કાર્યમાં પાછા પડ્યા,ત્યારે ઉદરબુદ્ધિ,જયશીલ અર્જુન,બ્રાહ્મણોની મધ્યમાંથી ઉભો થયો.અર્જુનને જતો જોઈ કેટલાક બ્રાહ્મણો આનંદના પોકાર કરવા લાગ્યા,

તો કેટલાક બ્રાહ્મણો પરસ્પર કહેવા લાગ્યા કે-'જે ધનુષ્ય,શલ્ય-આદિ પ્રમુખ ક્ષત્રિયોથી પણ નમાવી શકાયું નથી,

તેને આ અસ્ત્રવિદ્યામાં અજાણ એવો બટુક કેમ કરીને સજ્જ કરી શકશે? આ કાર્ય માત્ર ચપળતાથી,અહંકારથી,

કે ધૃષ્ટતાથી થઇ શકે તેમ નથી,ને આપણા બ્રાહ્મણોની હાંસી થશે,માટે તેને જતો રોકી રાખો'.(1-7)

May 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-169

 
અધ્યાય-૧૮૬-દ્રૌપદીને રાજાઓની ઓળખ 

II धृष्टध्युम्न उवाच II दुर्योधनो दुर्विपहो दुर्मुखो दुष्पघर्षणः I विविशतिर्विकर्णश्च सहो दुःशासनस्तथा  II १ II

ધૃષ્ટદ્યુમ્ન બોલ્યો-હે દ્રૌપદી,દુર્યોધન,દુર્વિષહ,દુર્મુખ,દુષ્પ્રઘર્ષણ,વિવિંશતિ,વિકર્ણ,દુઃશાસન,યુયુત્સુ,વાયુવેગ,ભીમવેગ,

રવ,ઉગ્રાયુઘ,બલાકી,કરકાયુ,વિરોચન,કુંડક,ચિત્રસેન,સુવર્ચા,કનકધ્વજ,નંદક,બાહુશાલી,તૂહુન્ડ,વિકટ અને બીજા અનેક ધૃતરાષ્ટ્ર પુત્રો સાથે કર્ણ અહીં આવ્યા છે.વળી,બીજા અનેક ક્ષત્રીઓમાં શ્રેષ્ઠ રાજાઓ પણ અહીં આવ્યા છે.

સુબલપુત્ર શકુનિ,તેના ભાઈઓ સાથે આવ્યો છે,અશ્વસ્થામા ને ભોજ,સુવિભૂષિત થઇ તારે માટે આવ્યા છે.

May 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-168

સ્વયંવર પર્વ 

અધ્યાય-૧૮૪-પાંડવો પાંચાલ દેશમાં 

II वैशंपायन उवाच II ततस्ते नरशार्दूला भ्रातरः पंच पाण्डवाः I प्रययुद्रौपदीं द्रष्टुं तं च देशं महोत्सवम्  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,નરોમાં સિંહ સમાન પાંચ પાંડવો,મહોત્સવવા પાંચાલ દેશને અને દ્રૌપદીને જોવાને ચાલ્યા.

માતા સાથે ચાલી રહેલા,તેઓએ માર્ગમાં અનેક બ્રાહ્મણોને એકઠા થઈને જતા જોયા.

તે બ્રાહ્મણોએ પાંડવોને પૂછ્યું કે-'તમે ક્યાં જાઓ છો?ક્યાંથી આવ્યા છો?' (1-3)