Aug 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-256

 
અધ્યાય-૪૭-દુર્યોધનનો સંતાપ 

II वैशंपायन उवाच II वसन् दुर्योधनस्तस्यां सभायां पुरुषर्पम I शनैर्ददर्षतां सर्वा सभां शकुनिना सह II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજન,દુર્યોધન,તે વખતે મામા શકુનિ સાથે આખી સભાને ધીરે ધીરે જોઈ વળ્યો હતો.

પોતે પૂર્વે કદી નહિ જોયેલી,દિવ્ય સજાવટો તેણે તે સભામાં જોઈ.એક વાર જ્યાં સ્થળ હતું ત્યાં જળનો ભ્રમ થતાં,

તેણે પોતાના વસ્ત્રો ઊંચકી લીધાં,ને પોતે ભોંઠો પડી ગયો,ને બીજી વખતે જ્યાં જળ હતું ત્યાં સ્થળનો ભ્રમ થતાં,

તે પાણીમાં પડી ગયો.તેને પાણીમાં પડતો જોઈને ભીમસેન અને ભાઈઓ હસી પડ્યા,ને તેને નવાં વસ્ત્રો આપ્યાં.

પણ,તેમને હસતા જોઈને ચિડાઈ ગયેલો દુર્યોધન તેમને હસતા સાંખી શક્યો નહિ.(9)

Jul 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-255

 
દ્યુત પર્વ 

અધ્યાય-૪૬-વ્યાસનું સૂચન અને યુધિષ્ઠિરની પ્રતિજ્ઞા 

II वैशंपायन उवाच II समाप्ते राजसूये तु ऋतुश्रेष्ठे सुदुर्लभे I शिष्यै परिवृतो व्यासः पुरस्तान्समपद्यत II १ II

વૈશંપાયન બોલ્યા-અતિ દુર્લભ એવો રાજસૂય યજ્ઞ પૂરો થયો ત્યારે,શિષ્યોથી ઘેરાયેલા વ્યાસજી,યુધિષ્ઠિર પાસે આવ્યા.તેમને આવતા જોઈ,યુધિષ્ઠિર આસન પરથી એકદમ ઉભા થઇ,તેમને સામે લેવા ગયા,ને તેમને પાદ્ય-આસન આપીને તેમનું પૂજન કર્યું.સુવર્ણના આસન પર વિરાજીને વ્યાસજી બોલ્યા-'હે કુંતીનંદન,આનંદની વાત છે કે -દુર્લભ સામ્રાજ્ય પ્રાપ્ત કરીને તારી વૃદ્ધિ થાય છે,તેં સર્વ કૃરૂઓને ચડતી અપાવી છે.હવે હું તારી રજા માગું છું,હું અહીંથી કૈલાસ તરફ જવા માગું છું'  ત્યારે યુધિષ્ઠિર તેમને કહેવા લાગ્યા કે -

Jul 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-254

 

અધ્યાય-૪૫-શિશુપાલનો વધ 

II वैशंपायन उवाच II ततः श्रुन्वैवभीप्मस्य चेदिगडुरुविक्रमः I युयुन्सुर्वासुदेवेन वासुदेवगमुवाचह II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ભીષ્મનું આવું કહેવું સાંભળી,શિશુપાલે વાસુદેવ પ્રત્યે યુદ્ધ કરવાની ઈચ્છાથી તેમને કહ્યું કે-'હે જનાર્દન,હું તમને યુદ્ધનું આહવાહન આપું છું,હું તને પાંડવો સાથે પૂરો કરી દઈશ.કેમ કે પાંડવોએ રાજાઓને ઉલ્લંઘીને રાજા નહિ એવા તને અર્ઘપૂજા આપી છે,એટલે તે પાંડવો પણ મારે હાથે હણાવા યોગ્ય જ છે'

આમ કહીને તે ક્રોધયુક્ત શિશુપાલ ઉભો થઈને શ્રીકૃષ્ણ સામે ગર્જતો રહ્યો.

Jul 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-253

 
અધ્યાય-૪૪-ભીષ્મ ને શિશુપાલનાં વચન 

II भीष्म उवाच II नैपा चेदियतेर्बुध्धिर्यया त्वाह्वयतेSच्युतम् I नुनमेप जगद्वतुः कृष्णस्यैव विनिश्चयः II १ II

ભીષ્મ બોલ્યા-શ્રીકૃષ્ણને પડકારી રહેલી આ બુદ્ધિ શિશુપાલની નથી પણ જગતના સ્વામી શ્રીકૃષ્ણનો જ એ નિશ્ચય છે.હે ભીમસેન,કુળને કલંક લગાડનાર અને કાળથી જેનું શરીર ઘેરાયલું છે,એવા આ શિશુપાલની જેમ,

બીજો કયો રાજા મારા પર આક્ષેપ કરી શકે તેમ છે? આ શિશુપાલ,એ શ્રીહરિના તેજનો અંશ છે અને આ સમર્થ શ્રીહરિ,તે તેજને પાછું હરી લેવા ઈચ્છે છે,શિશુપાલને આ ખબર નથી ને ખોટી ગર્જનાનો કરે છે (4)

Jul 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-252

અધ્યાય-૪૩-શિશુપાલનું વૃતાંત 

II भीष्म उवाच II चेदिराजकुलेजातह्यक्ष एप चतुर्भुजः I रासभारावसदशं रराम च ननाद च II १ II

ભીષ્મ બોલ્યા-આ શિશુપાલ,ચેદિરાજના વંશમાં જન્મ્યો ત્યારે,તેને ત્રણ આંખો ને ચાર હાથ હતા,જન્મીને તરત જ તે ગધેડાની જેમ ભૂંકીને ગર્જ્યો હતો.આથી તેના માતાપિતા ને બાંધવો ત્રાસ પામ્યા હતા,ને તેની આવી બેડોળતા જોઈને,માતપિતા તેનો ત્યાગ કરવાનો વિચાર કરતા હતા.ત્યારે આકાશવાણીએ કહ્યું કે-તમારો આ પુત્ર ધનાઢ્ય ને બલાઢ્ય જન્મ્યો છે,તેથી ભય ના રાખો ને તેનું પાલન કરો.હાલ તેનું મૃત્યુ નથી,પણ તેને શસ્ત્રથી મારનારો કાળ,

(શ્રીકૃષ્ણ) જન્મી ચુક્યો છે' ત્યારે માતાએ તે અદ્રશ્યને પૂછ્યું કે 'તેને મારનારો કોણ હશે? (8)

Jul 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-251

અધ્યાય-૪૨-ભીમસેનનો ક્રોધ 

II शिशुपाल उवाच II स मे बहुमतो राजा जरासंघो महाबलः I योSनेन युद्धनेयेष दासोSयमिति संयुगे II १ II

શિશુપાલ બોલ્યો-તે મહાબળવાન રાજા જરાસંઘને હું માં આપું છું કેમ કે તેણે 'આ કૃષ્ણ તો દાસ છે'

એમ ગણીને તેની સાથે રણમાં યુદ્ધ કરવાની ઈચ્છા કરી નહોતી.કૃષ્ણે,ભીમે ને અર્જુને તેના વાદ્યનું જે કાર્ય કર્યું છે 

તે કાર્ય યોગ્ય હતું એમ કોણ માની શકે તેમ છે? તે જરાસંઘના પ્રભાવથી ડરીને તેઓ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને છીંડેથી તેના રાજ્યમાં પેઠા હતા.આ દુરાત્મા કૃષ્ણને જયારે જરાસંઘે પાદ્યપૂજન આપવા માંડ્યું.ત્યારે પોતાને બ્રાહ્મણ તરીકે ન જાણનારા તેણે તે સ્વીકારવાની ઈચ્છા કરી નહિ ને ભોજન કરવાની પણ ના પાડી હતી.

Jul 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-250


અધ્યાય-41-શિશુપાલનાં વચન 

II शिशुपाल उवाच II विधिपिकर्गभबदर्यामिपयन्मर्वपार्थिवान I न व्यपत्रपसे कम्मादवृद्धःमन् कुलपांमन II १ II

શિશુપાલ બોલ્યો-હે ભીષ્મ,તું વૃદ્ધ છે ને કુળને કલંક લગાવી રહ્યો છે.તું અનેક ડરામણીઓ બતાવીને,રાજાઓને બીવડાવતાં શરમાતો કેમ નથી?નપુંસકના સ્વભાવમાં રહેનારા તને જ આમ ધર્મરહિત અર્થવાળાં વચન બોલવાં શોભે એવાં છે,કેમ કે તું કુરુઓમાં વૃદ્ધ છે.હે ભીષ્મ,જેમ એક નાવ બીજી નાવને બંધાઈને ચાલતી હોય છે અને જેમ એક આંધળો બીજા આંધળાને અનુસરતો હોય છે,તેમ,તું જેનો અગ્રણી છે,તે કુરુઓ પણ તારી પાછળ પગલાં મૂકે છે.આ કૃષ્ણનાં ભૂતકાળનાં અનેક વિવિધ કર્મોનું કીર્તન કરીને તેં અમારા મનને અત્યંત વ્યથા આપી છે (4)

Jul 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-249

 
શિશુપાલવધ પર્વ 

અધ્યાય-૪૦-યુધિષ્ઠિરને ભીષ્મનું આશ્વાસન 

II वैशंपायन उवाच II ततः सागरसंकाशं दष्टा नृपतिमण्डलम् I संवर्तवातामिहितं भीमं क्षुब्धभिवार्णंवम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પ્રલયકાળના પવનના આઘાતથી જેમ સાગર ભયંકર રીતે ખળભળી ઉઠે,તેમ,સાગર જેવો સર્વ રાજાઓનો સમાજ રોષથી ઉછળી ઉઠ્યો.આ જોઈને યુધિષ્ઠિરે,બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ અને વૃદ્ધ એવા ભીષ્મને 

કહ્યું કે-હે પિતામહ,રાજાઓનો આ મહાસાગર રોષથી ઉકળી ઉઠ્યો છે,તો આ સંબંધમાં જે કરવા યોગ્ય હોય તે મને કહો.યજ્ઞમાં વિઘ્ન આવે નહિ ને પ્રજાનું સર્વ રીતે મંગલ થાય -તે મને યોગ્ય રીતે કહો.(4)

Jul 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-248

 
અધ્યાય-૩૯-અર્ધાભિહરણની સમાપ્તિ 

II वैशंपायन उवाच II एवमुक्त्वा ततो भीष्मो विरराम महाबलः I व्याजहारोतरं तत्र सह्देवोSर्थवद्वचः II १ II

વૈશંપાયન બોલ્યા-આમ કહીને,ભીષ્મ બોલતા બંધ થયા ત્યારે સહદેવે અર્થયુક્ત વચનો બોલતાં કહ્યું કે-

'કેશીદૈત્યને હણનારા કેશવને,અમાપ પરાક્રમવાળા શ્રીકૃષ્ણને મેં અર્ઘપૂજા આપી છે,જે રાજાઓ બુદ્ધિમાનો છે,

તેઓ આચાર્ય,પિતા,ગુરુ ને પૂજનીય એવા આ શ્રીકૃષ્ણની જે પૂજા થઇ છે,તેને સંમતિ આપશે અને જે 

રાજાઓનો વિરોધ છે તેઓ ઉત્તર આપે,ને તેઓ મારે હાથે મરશે જ,એમાં સંશય નથી' 

આમ સહદેવે તે બળવાન ને માની રાજાઓની વચ્ચે પોતાની લાત બતાવી,ત્યારે કોઈ રાજાઓએ 

 સામો ઉત્તર આપ્યો નહિ.તેથી તે વખતે સહદેવના માથા પર પુષ્પવૃષ્ટિ થઇ.(6)

Jul 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-247

અધ્યાય-૩૮-ભીષ્મે કરેલાં શ્રીકૃષ્ણનાં યશોગાન 

II वैशंपायन उवाच II ततो युधिष्ठिरो राज शिशुपालमुपाद्रवत I उचाच चैनं मधुरं सान्त्वपुर्वमिदं वचः II १ II

વૈશંપાયન બોલ્યા-શિશુપાલને જતો જોઈ,યુધિષ્ઠિર તેની પાછળ દોડ્યા ને સાંત્વનાપૂર્વક કહેવા લાગ્યા કે-

'હે મહીપાલ,આ તમે જે બોલ્યા છો તે તમને યોગ્ય નથી,આથી તો મહા અધર્મ થયો છે.ને નકામી કર્કશતા પ્રગટ થઇ છે.ભીષ્મ,ધર્મને જાણતા નથી એમ નથી,માટે અવળું સમજીને એમનો અનાદર કરો નહિ,જુઓ,અહીં,

તમારાથી એ વિશેષ વૃદ્ધ એવા અનેક રાજાઓ છે,જે કૃષ્ણને આપવામાં આવેલી પૂજાને સહન કરે છે,

તો તેમની જેમ તમારે પણ આ બાબતમાં ખામોશી રાખવી જોઈએ.

ભીષ્મ,શ્રીકૃષ્ણને,જે રીતે તત્ત્વપૂર્વક જાણે  છે તેવી રીતે તમે એમને જાણતા નથી (5)

Jul 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-246

અધ્યાય-૩૭-શિશુપાલનો ક્રોધ 

II शिशुपाल उवाच II नायमर्हति वार्ष्णेयस्तिष्ठत्सिव्ह महात्मसु I महिपतिषु कौरव्य राज्वत्यार्थिवार्हणम्  II १ II

શિશુપાલ બોલ્યો-હે કૌરવ્ય,અહીં સભામાં મહાત્મા મહીપાલો હોવા છતાં,આ વૃષ્ણીપુત્રને,રાજાઓને ઉચિત એવી રાજપૂજા ઘટતી નથી.તેં આ જે સ્વેચ્છાથી કૃષ્ણપૂજા કરી છે,તે તારું આચરણ યોગ્ય નથી,હે પાંડવો,તમે બાળકમૂઢ છો,તમે કંઈ જનતા નથી,કેમ કે ધર્મ સૂક્ષ્મ છે.ધર્મનું આ સૂક્ષ્મદર્શન ગંગાપુત્ર ભીષ્મ પણ જોઈ શક્યા નથી,મને તો તે અલ્પ વિચારશાળી લાગે છે.કેમ કે તારા જેવો ધર્મયુક્ત માણસ પોતાની પ્રિય ઈચ્છા પ્રમાણે આવું કાર્ય કરે છે,

તો તેથી ભીષ્મ,સત્પુરુષોના અધિક અપમાનને પાત્ર થાય છે.(4)

Jul 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-245

અર્ધાભિહરણ પર્વ 

અધ્યાય-૩૬-શ્રીકૃષ્ણનું અર્ઘ પૂજન 

II वैशंपायन उवाच II ततोSभीपेचनीयेSहनि ब्राह्मणा राजभिः सह I अन्तर्वेदी प्रविविशुः सत्कारार्हा भहंपयः  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,અભિષેકના દિવસે,સત્કારપાત્ર બ્રાહ્મણોએ રાજાઓ સહિત અંતર્વેદી નામના સ્થાનમાં પ્રવેશ કર્યો.તે અંતર્વેદીમાં નારદ આદિ મહાત્મા ઋષિઓ બેઠેલા હતા,કે જેઓ વચ્ચે વચ્ચે વિરામનો સમય મળતો ત્યારે અનેકવિધ કથાઓ કહેતા હતા.વિતંડાવાદી બ્રાહ્મણોમાંથી કેટલાક શાસ્ત્રનિશ્ચિત તર્કોથી યુક્તિરહિત દુર્બળ વિષયોને સબળ કરતા હતા,તો કેટલાક યુક્તિયુક્ત સબળ વિષયોને દુર્બળ કરતા હતા.(5)

Jul 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-244

 
અધ્યાય-૩૪-રાજસૂય યજ્ઞમાં રાજાઓનું આગમન 

II वैशंपायन उवाच II स गत्वा हस्तिनापुरं नकुलः समिर्तिजयः I भीष्ममामंत्रयांचक्रे धृतराष्ट्रं च पाण्डवः  II १ II

વૈશંપાયન બોલ્યા-યુદ્ધમાં હંમેશા વિજયી એવા નકુલે,હસ્તિનાપુર જઈ,ભીષ્મને તથા ધૃતરાષ્ટ્રને આમંત્રણ આપ્યું,ને 

આચાર્ય વગેરેને પણ સત્કાર અને આમંત્રણ આપ્યાં,એટલે તેઓ બ્રાહ્મણોને આગળ કરીને પ્રસન્ન મનથી યજ્ઞ જોવાને ચાલ્યા.હે રાજન,ધર્મરાજના આ યજ્ઞમાં સર્વ દિશાએથી રાજાઓ,અનેક રત્નો લઈને આવ્યા હતા.(4)

Jul 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-243

રાજસૂય પર્વ 

અધ્યાય-૩૩-રાજસૂય યજ્ઞની દીક્ષા 

II वैशंपायन उवाच II रक्षणाद्वर्मराजस्य सत्यस्य परिपालनात I शत्रूणां क्षपणान्तैव स्वकर्मानिरताः प्रजाः  II १ II

વૈશંપાયન બોલ્યા-ધર્મરાજના રક્ષણથી,સત્યના પરિપાલનથી,અને શત્રુઓના નાશ થવાથી.સર્વ પ્રજા સ્વકર્મમાં પરાયણ થઈને રહેવા લાગી.યોગ્ય રીતે કર લેવાથી તેમ જ ધર્મપૂર્વક શાસન ચાલવાથી,માગ્યા મેઘ વરસતા હતા,

અને દેશ સંપત્તિવાળો થયો હતો.રાજાના કર્મના પ્રભાવથી સર્વ કાર્યો સારી રીતે ચાલતાં હતાં.

ગોરક્ષા,ખેતી,ને વેપાર,એ સર્વ પણ બહુ સારી રીતે ચાલતા હતા ને વધતાં હતાં. ત્યારે ચોર,ઠગારાઓ કે 

રાજાના પ્રિય મનુષ્યો તરફથી પણ જૂઠી વાણી સંભળાતી નહોતી.(4)