Nov 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-347

 

અધ્યાય-૫૮-કલિનો દેવો સાથે સંવાદ ને તેનો કોપ 


II बृहदश्च उवाच II वृते तु नैषधे भैम्या लोकपाला महौजसः I यान्तो दद्क्षुरायान्त द्वापर बलिना सह II १ II

બૃહદશ્વ બોલ્યા-તે ભીમનંદિની દમયંતી,નૈષધરાજને વરી,તે પછી મહાઓજસ્વી તે લોકપાલો પાછા જતા હતા ત્યારે તેમણે દ્વાપરને કલિ સાથે જોયો.તે વખતે ઇન્દ્રે કલિને પૂછ્યું કે-'તું દ્વાપરને લઈને ક્યાં જાય છે?'

એટલે કલિએ ઇન્દ્રને કહ્યું કે-'દમયંતીના સ્વયંવરમાં જઈને હું તેને વરીશ કેમ કે મારુ મન તેનામાં લાગેલું છે'

ઇન્દ્રે હસીને કહ્યું કે-'તે સ્વયંવર તો પૂરો થઇ ગયો,ને તે દમયંતી અમારી હાજરીમાં જ નળને વરી છે'(4)

Nov 21, 2023

Udhdhav Gita-Gujarati-PDF Book-ઉદ્ધવ ગીતા બુક

Aparokshanubhuti-Gujarati-PDF Book-અપરોક્ષાનુભૂતિ બુક

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-346

 

અધ્યાય-૫૭-દમયંતીનો સ્વયંવર 


II बृहदश्च उवाच II अथ काले शुभे प्राप्ते तिथौ पुण्ये क्षणे तथा I आजुहाव महीपालान भीमो राजा स्वयमवरे II १ II

બૃહદશ્વ બોલ્યા-'પછી,શુભ સમયે,પુણ્યતિથિએ અને મંગલ ઘડીએ ભીમરાજાએ,રાજાઓને સ્વયંવરમાં તેડાવ્યા.

એટલે દમયંતીની કામના કરતા સર્વ મહીપાલો દેવો ને નળરાજા આવીને પોતપોતાના સ્થાન પર વિરાજ્યા.

પછી,સુંદરમુખી,દમયંતી જયારે રંગમંડપમાં દાખલ થઇ ત્યારે,રાજાઓની દ્રષ્ટિ તેના જે જે ગાત્રો પર પડી ત્યાં જ તે ચોંટી રહી ગઈ.પછી,રાજાઓના નામ બોલવા લાગ્યા ત્યારે તે દમયંતીએ એક સરખી આકૃતિવાળા પાંચ પુરુષોને જોયા,કે જેને જોઈને તે સંદેહમાં પડી ને તે નળરાજાને તે પાંચમાંથી ઓળખી શકી નહિ.(11)

Nov 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-345

 

અધ્યાય-૫૬-દમયંતીનો નિશ્ચય 


II बृहदश्च उवाच II सा नमस्कृत्य देवेभ्यः प्रहस्य नलमन वीत I प्रणयस्य यथाश्रध्धं राजन किं करवाणि ते II १ II

બૃહદશ્વ બોલ્યા-પછી,મનથી દેવોને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરીને તે દમયંતીએ નળને કહ્યું કે-'હે રાજન,તમે મને પરણો.કહો હું તમારું શું પ્રિય કરું?હું ને મારુ ધન એ સર્વ તમારું જ છે,તમે વિશ્વાસપૂર્વક મને વરો.હંસોએ વર્ણવેલ તમારા રૂપની પ્રશંસાએ મને વિહવળ બનાવી છે ને તમારે કાજે જ મેં આ સર્વ રાજાઓને અહીં ભેગા કર્યા છે,તમે મને જો તરછોડશો તો હું આત્મહત્યા કરીશ' ત્યારે નળે કહ્યું કે-'લોકપાલો તારી ઈચ્છા કરતા ઉભા છે,છતાં તું મનુષ્યને કેમ પસંદ કરે છે?

હું તો તેમના ચરણની રજ બરાબર પણ નથી,માટે મારા વિશેનું તારું મન 

તું પાછું વાળ.કેમ કે દેવોનું અપ્રિય કરનારો મનુષ્ય મૃત્યુ જ પામે છે એટલે તું મને બચાવ ને શ્રેષ્ઠ દેવને વર 

તું દેવોને પામીને સ્વર્ગના સર્વ ભોગોને પ્રાપ્ત થઈશ.એક મિત્ર તરીકે મારુ કહેવું માની લે' (12)

Nov 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-344

અધ્યાય-૫૫-દેવોએ નળને પોતાનો દૂત કર્યો 


II बृहदश्च उवाच II तेभ्यः प्रतिज्ञाय नलः करिष्य इति भारतः I अथैतान्यपरिपप्रच्छ कृतांजलिरूपस्थितः II १ II

બૃહદશ્વ બોલ્યા-હે ભારત,લોકપાલોનું કહેવું સાંભળીને તે નળે,;હું તે દૂતકામ કરીશ' એવી પ્રતિજ્ઞા કરી.

પછી,હાથ જોડી ને તેમને પૂછવા લાગ્યો કે-'તમે કોણ છો?મારે કયું ને કોને દૂતકાર્ય કરવાનું છે?'

ત્યારે ઇન્દ્રે તેને કહ્યું કે-'હું ઇન્દ્ર છું ને આ અગ્નિ,વરુણ અને યમ એ લોકપાલો છે,અમે દમયંતી માટે આવ્યા છીએ,

એટલે તું દમયંતીને અમારા વિશે જણાવ ને તેને કહેજે કે લોકપાલોમાંથી ગમે તે એકને તું પતિરૂપે પસંદ કર'

Nov 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-343

 

અધ્યાય-૫૪-દમયંતીના સ્વયંવરની તૈયારી 


II बृहदश्च उवाच II दमयंती तु तच्छ्रुत्या वचो हंसस्य भारत I ततः प्रभृति न स्वस्था नलं प्रतिवभूव सा II १ II

બૃહદશ્વ બોલ્યા-હે ભારત,હંસનાં તા વચન સાંભળ્યા બાદ દમયંતી,નળના સંબંધમાં સ્વસ્થ રહી શકી નહિ,ને ચિંતામાં ડૂબી દીન થયી ગઈ.તેનું મોં ફિક્કું પડી ગયું,તે સુકાવા લાગી ને વારંવાર નિસાસા નાખવા લાગી.

તે વિચારમાં લાગી રહેતી અને જાણે ગાંડા જેવી દેખાતી,તેનું ચિત્ત કામથી ઘેરાઈ ગયું હતું.તે પીળી પડી ગઈ,તેને ભોગોમાં પ્રીતિ થતી નહોતી અને દિવસ કે રાતે તે સુઈ શક્તિ નહોતી,ને રડયા  કરતી હતી.

Nov 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-342

 

અધ્યાય-૫૩-હંસ અને દમયંતીનો સંવાદ 


II बृहदश्च उवाच II आसीद्राजा नलो नामं वीरसेनसुतो बली I उपपन्नो गुणैरिष्टै रूपवानश्वकोविदः II १ II

બૃહદશ્વ બોલ્યા-બળવાન,રૂપવાન,સર્વ ગુણોથી સંપન્ન અને અશ્વવિદ્યામાં નિષ્ણાત એવો નળ નામે રાજા હતો.

કે જે વીરસેનનો પુત્ર હતો.તે નિષધદેશનો અધિપતિ બ્રાહ્મણો પર પ્રીતિવાળો,વેદવેત્તા,શૂર,દ્યુતપ્રેમી 

ને સત્યવાદી હતો.તે મહાન અક્ષૌહિણી સેનાનો સ્વામી હતો,વારાંગનાઓને વહાલો હતો,ઉદાર,જિતેન્દ્રિય,પ્રજારક્ષક ને ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ હતો.

Nov 15, 2023

Kapil Gita-Gujarati-PDF Book-કપિલ ગીતા-બુક

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-341

 

નલોપાખ્યાન પર્વ 

અધ્યાય-૫૨-ભીમસેનનાં વાક્યો ને નળાખ્યાનની પ્રસ્તાવના 


II जनमेजय उवाच II अस्त्रहेतोर्गते पार्थे शक्रलोकं महात्मानि I युधिष्ठिरप्रभृतय: किमकुर्यत पांडवा: II १ II

જન્મેજય બોલ્યા-અસ્ત્રપ્રાપ્તિ માટે મહાત્મા અર્જુન ઇન્દ્રલોક ગયો ત્યારે યુધિષ્ટિર આદિ પાંડવોએ શું કર્યું?

વૈશંપાયન બોલ્યા-ત્યારે પાંડવો કામ્યક વનમાં વસી રહ્યા હતા.અર્જુનના વિયોગથી પીડાઈને,શોકમાં ડૂબેલા 

તે પાંડવો એક વખત કૃષ્ણાની સાથે એકાંત સ્થાનમાં બેઠા હતા ત્યારે ભીમે યુધિષ્ઠિરને કહ્યું કે-'હે મહારાજ,જેના પર પાંડવોના પ્રાણનો આધાર છે,તે અર્જુન તમારી આજ્ઞાથી અહીંથી ગયો છે,તેનું વિશેષ દુઃખ છે.

Nov 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-340

 

અધ્યાય-૫૧-ધૃતરાષ્ટ્રનો વિલાપ 


II वैशंपायन उवाच II तेषां तच्चरितं श्रुत्वा मनुष्यातीतमद्भुतम् I चिंताशोकपरीतात्मा मन्युनाSभिपरिप्लुतः II १ II

વૈશંપાયન બોલ્યા-મનુષ્યોમાં અદ્ભૂત એવું પાંડવોનું ચરિત સાંભળીને અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્રનું મન,ચિંતા અને શોકથી ઘેરાઈ ગયું હતું.ક્રોધથી રેબઝેબ થઇ રહેલા તેણે લાંબા ને ઉના નિસાસા નાખ્યા ને તે સંજયને કહેવા લાગ્યો કે-હે સૂત,દ્યુતના પરિણામે,ખરે,ભયંકર અન્યાય વર્ત્યો છે.પાંડવોમાં જે શૌર્ય,ધૈર્ય અને પરમ વૃત્તિ છે,તેમ જ તે ભાઈઓમાં,માનવદુર્લભ જે સ્નેહ છે,તે સૌનો વિચાર કરતા મને રાત્રિ-દિવસ,એક ક્ષણ પણ શાંતિ મળતી નથી.

Nov 13, 2023

Advaitanubhuti-gujarati-By Aadi Shankracharya-અદ્વૈતાનુભુતિ-આદિ શંકરાચાર્ય

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-339

 

અધ્યાય-૫૦-પાંડવોના આહારનું વર્ણન 


II जनमेजय उवाच II यदि दंशोचित्तं राज्ञा धृतराष्ट्रेन वै मुने I प्रव्राज्य पांडवान्वीरात्सर्वमेतन्निरर्थकम् II १ II

જન્મેજય બોલ્યા-હે મુનિ,વીર પાંડવોને વનમાં કાઢ્યા પછી રાજા ધૃતરાષ્ટ્રે આ જે શોક કર્યો હતો તે નિરર્થક હતો,

કેમ કે મહારથી પાંડુપુત્રોને કોપાવનાર,એ અલ્પબુદ્ધિ દુર્યોધનની તેમણે તે વખતે કેમ ઉપેક્ષા કરી હતી?

હવે મને કહો કે તે પાંડવોનો વનમાં શો આહાર હતો? તેઓ વગડાઉ ખાતા હતા કે ખેડેલું ખાતા હતા?(3)

Nov 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-338

 

અધ્યાય-૪૯-ધૃતરાષ્ટ્રનો ખેદ 


II संजय उवाच II यदेतत्कचितं राजंस्त्वया दुर्योधनं प्रति I सर्वमेतयथातत्वं नैतन्मिथ्या महीपते II १ II

સંજય બોલ્યો-હે મહીપતિ,તમે દુર્યોધન સંબંધમાં જે કહ્યું તે બધું સાચું જ છે,તેમાંનું કશું મિથ્યા નથી.પોતાની ધર્મપત્ની કૃષ્ણાને સભામાં ઘસડી લાવવામાં આવેલી જોઈને તે પાંડવો ક્રોધથી ઘેરાયા છે.દારુણ ફળ લાવનારાં તે કર્ણ અને દુઃશાસનનાં વચનો સાંભળીને તે પાંડવો ઉંઘશે નહિ.એમ મારુ માનવું છે.હે રાજન,મેં સાંભળ્યું છે કે-

દેવાધિદેવ શિવજી,પોતે જ જિજ્ઞાસા માટે કિરાતનો વેશ લઈને અર્જુન સામે લડ્યા હતા,

ત્યારે અર્જુને તેમને પ્રસન્ન કર્યા છે.ને તેમની પાસેથી પાશુપતાસ્ત્ર મેળવ્યું છે,