હરી જતો જે સર્વનાં મન,તે જ મનહરનું મન,
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Feb 17, 2024
અચળ ભક્તિ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-429
અધ્યાય-૧૩૬-યવક્રીતનો વિનાશ
II लोमश उवाच II चेन्क्तभगः सा तदा यवक्रितोSकृत्तो भयः I जगाम माधवे मासि रैभ्याश्रमपदं प्रति II १ II
લોમશ બોલ્યા-હવે સર્વ રીતે નિર્ભય થયેલો તે યવક્રીત,એકવાર વૈશાખ માસમાં ફરતો ફરતો રૈભ્યના આશ્રમે જઈ પહોંચ્યો.ત્યાં તેણે રૈભ્યની સુંદર પુત્રવધૂને ફરતી જોઈ.કામથી બુદ્ધિ ખોઈ બેઠેલા તેણે તે સુંદરીને કહ્યું કે-
'તું મારી પાસે આવ' તે સ્ત્રી યવક્રીતને જાણતી હતી એટલે તેના શાપથી ડરીને તેની પાસે ગઈ.
યવક્રીતે તેને એકાંતમાં લઇ જઈને શોકસાગરમાં ડુબાડી દીધી.
Feb 16, 2024
એક દુઃખી જનને-By અનિલ શુક્લ
વિતાવી દીધી જે પળો જિંદગીની,વહી જ ગઈ છે તે,
વહી ગયું જળ નદીનું સામેથી,તેની ચિંતા કરેથી શું?
વહી ગયેલું જળ જઈ સાગરને મળ્યું,જળ સાગર બન્યું,
હજી નજર સામે પણ નદીનું તે જ જળ વહેતું નથી શું?
દુઃખની વાતો કરી હતી તમે,તો દુઃખથી,અમે સાંભળી હતી,
ભલે ન કહો,પણ તે દુઃખ,ન ખબર પડે તેમ સુખ નથી થતું શું?
સુખની શતરંજ તો ખેલી જ હતી ને? આનંદથી બહુ સુખી બની,
દુઃખની શતરંજ ફેલાઈ છે આજે,તો તે સુખથી ન ખેલાઈ શકાય શું?
અનિલ
ઑગસ્ટ-1-2021
Sant Gnaneshvar-1964-Rare Song Video-ભક્તિ શક્તિ હૈ-બહુત દિન બીતે-જ્યોત સે જ્યોત-સંત જ્ઞાનેશ્વર ના ગીતો
ભક્તિ........ શક્તિ હૈ,
કર્મ............ ધર્મ હૈ.
જ્ઞાન......... મુક્તિ કા પથ હૈ......
આત્મા કી અનંત યાત્રા મેં..........
યે તન........ તો બસ........ રથ હૈ.....
પથ..... અનેક હૈ-............રથ........... અનેક હૈ,
એક ........... હી........... લક્ષ્ય............ દિખાતે ચલો.....
ઉસ વિરાટ મેં........ હો વિલીન........... તુમ...... નિત્ય હી.......... અલખ.......... જગાતે ચલો....
Bhakti Shakti Hai- Sant Gnanesvar-Rare Video
Jyotse jyot jagate chalo-Mukesh-Sant Gnanesvar movie-1964-Rare Video
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-428
અધ્યાય-૧૩૫-યવક્રીતનું આખ્યાન
II लोमश उवाच II एषा मधुविला राजन्समंगा संप्रकाशते I एतत्कर्दमिलं नाम भरतस्याभिपेचनम् II १ II
લોમશ બોલ્યા-હે રાજન,આ મધુવિલ નદી સમંગા નામે શોભી રહી છે.આ કર્દમિલ નામનું ભરતનું અભિષેક તીર્થ છે.વૃત્રને મારીને લક્ષ્મીરહિત થયેલો ઇન્દ્ર.પૂર્વે આ સમંગામાં સ્નાન કરીને પાપમુક્ત થયો હતો.મૈનાકની વચ્ચે આવેલું આ વિનશન નામનું તીર્થ છે.પૂર્વે અહીં અદિતિએ પુત્રપ્રાપ્તિ માટે ચરુ તૈયાર કર્યો હતો.આ ઋષિઓને પ્રિય કનખલ પર્વતો છે.આ મહાનદી ગંગા શોભી રહી છે.અહીં સનતકુમાર સિદ્ધિ પામ્યા હતા.તેમાં સ્નાન કરો.
આ પુણ્ય નામે જળનો ઝરો છે,આ ભૃગુતુંગ પર્વત છે,આ ઉષણી ગંગા છે.આ સ્થૂલશિરા ઋષિનો આશ્રમ છે.
આ રૈભ્યાશ્રમ છે,અહીં ભારદ્વાજનો યવક્રીત નામે પુત્ર નાશ પામ્યો હતો.(9)
Feb 15, 2024
જિંદગી-By અનિલ શુક્લ
Ekla Javana-with Gujarati Lyrics-એકલા જવાના
એકલા જવાના મનવા, એકલા જવાના ..
સાથી વિના, સંગી વિના
એકલા જવાના …
આપણે બે એકલા ને કિરતાર એકલો
એકલા જીવો ને એનો, આધાર જ એકલો .. (૨)
એકલા રહીએ ભલે ..
વેદના સહીએ ભલે .. (૨)
પોતાનાં જ પંથે ભેરુ
પોતાનાં વિનાના ..
સાથી વિના, સંગી વિના
એકલા જવાના ..
એકલા જવાના, એકલા જવાના
કાળજાની કેડી એ, કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે .. (૨)
કાયા ના સાથ દે ભલે ..
છાયા ના સાથ દે ભલે .. (૨)
એકલા રહી ને ભેરુ થાવું રે બધાના …
સાથી વિના, સંગી વિના
એકલા જવાના ..
એકલા જવાના, એકલા જવાના ……
- બરકત વિરાણી -‘બેફામ’
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-427
અધ્યાય-૧૩૪-બંદીનો પરાભવ
II अष्टावक्र उवाच II
अत्रोग्रसेनसमितेषु राजन्समागतेष्वप्रतिमेपु राजसु I नावैमि बंदीवरणमवादिनां महाजले हंसमिवाददामि II १ II
અષ્ટાવક્ર બોલ્યા-હે રાજન,અહીં,ઉગ્રસેન જેવા અપ્રતિમ રાજાઓ એકઠા થયા છે,તેઓમાં રહેલા વાદીઓમાં શ્રેષ્ઠ એવા તે બંદીને હું ઓળખતો નથી,મહાજલમાં હંસ એવા એને હું શોધું છું.(રાજાએ બંદી તરફ ઈશારો કર્યો એટલે બંદી તરફ વળીને તેને કહ્યું કે)હે અતિવાદીઓમાં અભિમાની,તેં વાદમાં હારનારાઓને પાણીમાં ડુબાડી દેવાની પ્રતિજ્ઞા કરી છે,
પણ આજે તું મારી સાથે વિવાદ નહિ કરી શકે.જેમ,પ્રલયકાળના ભડભડતા અગ્નિ આગળ,
નદીઓનો વેગ સુકાઈ જાય છે તેમ,આજે તારી દશા થશે.તું અહીં મારી સાથે વિવાદ કરવા સ્થિર થા (2)
Feb 14, 2024
આંખ-મીંચામણાં-By-અનિલ શુક્લ
આંખ-મીંચામણાં કરે છે સર્વ,જગતની માયા સામે,
પણ,જો,કદીક આંખ બંધ કરે,ને અંતરની દ્રષ્ટિ કરે,
તો જ,શું માયા-શક્તિનું કંકુ ન ખરે ને સુરજ ન ઉગે?
અનિલ-ઓગસ્ટ-1-2021
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-426
અધ્યાય-૧૩૩-જનકને ત્યાં સંવાદ
II अष्टावक्र उवाच II
अंधस्य पंथा बधिरस्य पंथाः स्त्रियः पंथाः भारवहस्य पंथाः I राज्ञः पंथा ब्राह्मणेनासमेत्य समेत्य तु ब्राह्मणस्यैव पंथाः II १ II
અષ્ટાવક્ર બોલ્યા-'બ્રાહ્મણ સામે ન મળ્યો હોય,તો આંધળાને,બહેરાને,સ્ત્રીઓને,ભાર વહેનારને
અને રાજાને માર્ગ અપાય,પણ,બ્રાહ્મણ સામે મળ્યો હોય તો તેને જ પ્રથમ માર્ગ અપાય'
રાજા બોલ્યો-'હું હાલ જ તમને માર્ગ આપું છું તમે ઈચ્છા હોય તેમ ખુશીથી જાઓ.કેમકે અગ્નિ થોડો પણ
હોય તો પણ વિસાત વિનાનો ગણાતો નથી અને તેથી ઇન્દ્ર પણ બ્રાહ્મણોને નિત્ય નમન કરે છે.' (2)
Feb 13, 2024
પર્ણ પીળું થયું-By-અનિલ શુક્લ
Manmohana Kanha Bankebihari-With Lyrics in Gujarati-By Mahadevan-મનમોહના-કૃષ્ણ ભજન-શંકર મહાદેવન ના કંઠે
હે,માધવ,હે,કૃષ્ણા,અરજ સુન હમારી.
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-425
અધ્યાય-૧૩૨-અષ્ટાવક્રનું આખ્યાન
II लोमश उवाच II
यः कथ्यते मन्त्रविदग्धबुध्धिरौदालकि: श्वेतकेतुः प्रुथिव्याम् I तस्याश्रमं पश्य नरेन्द्र पुण्यं सदा कलैरुपपन्नं महीजैः II १ II
લોમશ બોલ્યા-'હે નરેન્દ્ર,પૃથ્વીમાં મંત્રવિદ્યામાં કુશળ બુદ્ધિવાળા જે ઉદ્દાલકપુત્ર શ્વેતકેતુનો,આ વૃક્ષો ને ફળોથી સદા ભરૂપુર એવો આશ્રમ જુઓ.અહીં,શ્વેતકેતુએ સાક્ષાત સરસ્વતીનાં દર્શન કર્યા હતાં.એ સરસ્વતી પાસે શ્વેતકેતુએ વરદાન માગ્યું હતું 'મને સર્વ શાસ્ત્રોનું જ્ઞાન થાઓ' ત્યારે સરસ્વતીએ તે વરદાન આપ્યું હતું.









