અધ્યાય-૧૪૫-બદ્રિકાશ્રમની યાત્રા
II युधिष्ठिर उवाच II धर्मज्ञो बलवान शूरः सत्यो राक्षसपुंगवः I भक्तोSस्मानौरस: पुत्रो भीम गृहणातु मा चिरम् II १ II
યુધિષ્ઠિર બોલ્યા-'હે ભીમ,આ રાક્ષસવર ઘટોત્કચ,ધર્મજ્ઞ,બળવાન,શૂરવીર,સત્યવાદી,આપણો ભક્ત ને તારો ઔરસ પુત્ર છે તો તે ભલે આપણને ઊંચકીને લઇ જાઓ.હે ભીમ,તારા બાહુબળથી જ હું ગંધમાદન પર્વત
પર જઈ શકીશ' યુધિષ્ઠિરનું આવું વચન સાંભળીને ભીમસેને ઘટોત્કચને આદેશ આપતાં કહ્યું કે-
તારી આ માતા થાકી ગઈ છે,તું બળવાન ને ઈચ્છાગતિ વાળો છે,તો એને ખભે બેસાડીને,
તું એને પીડા ન થાય તે રીતે અમારી વચ્ચે રહી હળવી ગતિથી આકાશમાર્ગે ચાલ.(5)












