અધ્યાય-૨૮૮-ઇંદ્રજીતના માયાયુદ્ધમાં રામ-લક્ષ્મણનું પતન
II मार्कण्डेय उवाच II ततः श्रुत्वा हृतं संख्ये कुम्भकर्ण सहानुगम I प्रहस्तं च महेष्वासं धूम्राक्षं चातितेजसम् II १ II
માર્કંડેય બોલ્યા-હવે અનુનાયીઓ સહિત કુંભકર્ણ,પ્રહસ્ત.ધૂમ્રાક્ષ આદિ અતિતેજસ્વી યોદ્ધાઓને રણમાં રોળાઈ ગયેલા જોઈને રાવણે,પોતાના પુત્ર ઇંદ્રજીતને કહ્યું કે-'તું યુદ્ધમાં જઈ,સુગ્રીવ,રામ અને લક્ષ્મણને મારી નાખ.પૂર્વે ઇન્દ્રને જીતીને તેં મને જેમ આનંદ પમાડ્યો હતો તેમ આજે પણ શત્રુઓનો નાશ કરીને મને આનંદ પમાડ'







