Sep 13, 2016
Sep 12, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-612
પોતાની સત્તાથી સર્વની સત્તા નું અપહરણ કરનારી જે સંવિત (શક્તિ) છે-તે જ દેવ (પરમાત્મા) છે.વ્યવહારિક તથા પ્રતિભાસિક પદાર્થો ના અધિષ્ઠાન-રૂપ કે સાક્ષી-રૂપ જે ચૈતન્ય છે-તે જ દેવ છે.સૂર્ય-વગેરેને પણ પ્રકાશ આપનાર-તે ચૈતન્ય (બ્રહ્મ) ને જ શ્રુતિઓ -સત તથા ॐ -વગેરે શબ્દોથી કહે છે.
Sep 11, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-611
હે વસિષ્ઠ મુનિ,જે સાચો દેવ છે,તેનું નિરૂપણ મેં તમને કહી સંભળાવ્યું,અને તે દેવથી તમે જુદા નથી,હું જુદો નથી,અને સઘળું જગત પણ જુદું નથી.એટલે તમે,હું અને સઘળું જગત એ દેવ જ છે.સઘળા પદાર્થોનું,જગતનું,તમારું,મારું,અને બીજાનું પણ-વાસ્તવિક સ્વરૂપ એ પરમાત્મા જ છે,બીજું કંઈ પણ નથી.જેમ સંકલ્પના નગરમાં અને સ્વપ્નના નગરમાં ચિદાકાશથી જુદું બીજું કંઈ રૂપ નથી,તેમ હિરણ્ય-ગર્ભની ઉત્પત્તિ થી માંડીને આ સઘળી સૃષ્ટિમાં ચિદાકાશથી જુદું બીજું કોઈ રૂપ નથી.
Sep 10, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-610
એમ તત્વજ્ઞાનીઓએ સિદ્ધાંત કરેલો છે.
ઉપશમ,બોધ,સમતા-આદિ-પુષ્પો-રૂપીથી આત્મા-રૂપ દેવનું અર્ચન કરવું એ જ સાચું દેવાર્ચન છે.એમ સમજો.પણ આકારનું (મૂર્તિ-કે મનુષ્ય-વગેરે-રૂપી આકાર નું) પૂજન કરવું તે સાચું દેવાર્ચન નથી.એટલે, જે લોકો આત્મા-રૂપ દેવાર્ચન ને ત્યજીને કૃત્રિમ પૂજનોમાં લાગ્યા રહે છે,તેઓ લાંબા કાળ સુધી કલેશને પ્રાપ્ત થયા કરે છે.
Sep 9, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-609
હે મહારાજ,આપના પ્રસાદને લીધે,મને સઘળી દિશાઓ ઇષ્ટ પદાર્થથી પૂર્ણ જ જણાય છે,
પરંતુ મારા મન નો એક સંશય છે તે હું તમને પૂછું છું,તો તે વિષયમાં આપ કશી ઉતાવળ નહિ કરતાં, અને કશો પડદો નહિ રાખતાં,પ્રસન્ન બુદ્ધિ થી તેનો ઉત્તર આપજો.
મારો સંશય એ છે કે-કયા પ્રકારથી દેવાર્ચન (દેવ-પૂજન) કરવામાં આવે તો પાપોનો નાશ થાય છે,અને સઘળાં કલ્યાણોની વૃદ્ધિ થાય છે?
સદાશિવ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,હું તમને સર્વોત્તમ દેવાર્ચનનો પ્રકાર કહું છું તે તમે સાંભળો-
કે જે પ્રકારથી એકવાર દેવાર્ચન કરવામાં આવે તો મુક્તિ પ્રાપ્ત થાય છે.
ખરા "દેવ" કોણ છે-તે તમે જાણો છો?
હું (સદાશિવ કે શંકર),વિષ્ણુ,બ્રહ્મા,ઇન્દ્ર,વાયુ,સૂર્ય,અગ્નિ કે ચંદ્ર-એ ખરા "દેવ" નથી !!!!!
તેમજ બ્રાહ્મણ,રાજા,રુદ્ર,કે તમે (વસિષ્ઠ) પણ ખરા દેવ નથી.
Sep 8, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-608
આ દેહને (કોઈ) બીજાએ (કર્મોએ) રચ્યો છે,તેમાં બીજો (કોઈ) યક્ષ (અહંકાર) ઘુસી ગયો છે,તેનું દુઃખ (કોઈ) બીજાને (મનને) થાય છે,અને તે દેહના સુખને (કોઈ) બીજો જ (જીવ) ભોગવે છે.અહો,આ મૂર્ખતા-રૂપી-ચક્ર-ભારે આશ્ચર્ય-રૂપ છે.
આત્મા,તો કેવળ સત્તા-સામાન્ય-રૂપ છે અને આ સત્તા-સામાન્યથી જે જુદું હોય-
તે અસત-પણાને લીધે સંભવતું જ નથી.એટલે આત્માને શરીર કે દુઃખોના ભોક્તા-પણા નો અવકાશ જ નથી.જેમ,પથરાનું કઠણ-પણું એ પથરાથી જુદું નથી,તેમ,શરીર-મન વગેરે પદાર્થો આત્માથી જુદા નથી-કેમ કે-સર્વ પદાર્થોની સત્તા-માત્ર-એ-સ્વ-ભાવથી અભિન્ન છે,અને તેમની જુદી સ્થિતિ કોઈ રીતે પણ સંભવતી નથી.
Sep 7, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-607
જેમ, આકાશ કંઈ પણ કરતુ નથી-છતાં પણ વૃક્ષની ઉત્પત્તિમાં કારણભૂત થાય છે,તેમ, આત્મા સર્વદા સ્વ-રૂપમાં જ રહેનારો હોવા છતાં,ચિત્તની ચેષ્ટાઓમાં કારણભૂત થાય છે.
જેમ ભીંત નું રૂપ,તેની પાસે જો દીવો હોય તો જ સ્ફુરે છે,તેમ,મનનું રૂપ આત્માની સંનિધિથી જ સ્ફુરે છે.ચૈતન્ય-રૂપ આત્મા અને જડ-રૂપ-ચિત્ત,કે જેઓ સ્વર્ગ અને પૃથ્વીની જેમ-પરસ્પર સંબંધ વગરનાં જ છે,તેમનો પરસ્પર કોઈ જ સંબંધ હોઈ શકે જ નહિ.
Sep 5, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-605
હે રામચંદ્રજી,બ્રહ્માથી માંડીને પ્રવર્તેલા,અજ્ઞાન-રૂપી ભ્રમથી આ જગત મિથ્યા છતાં સાચું જણાય છે.સંકલ્પથી ઉઠેલા અને અજ્ઞાન-રૂપી ભ્રમના-વિસ્તારમય આકૃતિઓ-વાળા,આ સઘળા દેહો ભમ્યા કરે છે.કોઈ સમયે દેહને માટે સંકલ્પ થાય તો ભલે થાય,પરંતુ બુદ્ધિમાન પુરુષે,સુખ-દુઃખના વિચારમાં પડવું જ નહિ -કારણકે-દુઃખથી કરમાયેલા મુખ-વાળા,આધિ-વ્યાધિઓથી કરમાઈ ગયેલા જેવા,પુરુષનો "દેહ" પોતાની મેળે જ (છેવટે તો) નષ્ટ થઇ જનારો છે અને અસ્થિર છે.
Sep 4, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-604
હે રામચંદ્રજી,ધન-સ્વજન અને દેહ -એ વાસ્તવિક રીતે સત્ય નથી,પણ મિથ્યા જ છે-એ સિદ્ધાંત છે.સઘળું જગત,એ આદિ-મધ્ય- કે અંતમાં નથી-એટલે કે તે અસ્થિર-અને અસત્ય છે.તથા ચિંતાઓને ઉત્પન્ન કરનારું છે-માટે વિવેકી પુરુષ તેમાં કેમ આસક્તિ બાંધે?
બીજાએ કલ્પેલા "આકાશના ઝાડ"માં વિવેકીને આસક્તિ થાય જ નહિ.
પ્રાણીઓની આ ચો-તરફની ગરબડ ભરેલી દોડાદોડ -આકાશમાં વાદળોથી બનતા
ગાંધર્વ-નગરની રચના ના વિલાસ બરાબર છે-એમ વિદ્વાનોએ સિદ્ધાંત કરેલો છે.
Sep 3, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-603
બ્રહ્મવેત્તા પુરુષ સર્વ પદાર્થોમાં બાધિત-ભાગને ત્યજી દઈને -તે પદાર્થોમાં રહેલા બ્રહ્મ-પણાને જ સ્વીકારે છે.એટલા માટે-માત્ર તે બાધિત ભાગને નહિ ત્યજી દેવાને માટે આ મિથ્યાભૂત સંસારમાં "રુચિ" રાખવી નહિ.
જો રુચિ રાખવામાં આવે તો-રુચિથી જીવ બંધાઈ જાય છે.
તમે કે જે મહા-બુદ્ધિમાન છો,તેમણે લીલાથી જ રુચિ-અરુચિ ને ત્યજી દઈને,
જે નિષિદ્ધ છે-તેની ઉપેક્ષા રાખીને-શાસ્ત્ર-રીતી પ્રમાણે -જે કર્તવ્ય છે-તે જ કરવું જોઈએ.
Sep 2, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-602
પણ અગ્નિથી તપાવતાં તે દોષ દુર થઇને,કેવળ સોનું જ દેખાય છે-
તેમ,કેવળ યથાર્થ વિચારથી,શુદ્ધિ પામેલો,આત્મા ફરીથી મેલ ગ્રહણ કરતો નથી.
"આ બ્રહ્માંડ સત્ય પણ નથી અને અસત્ય પણ નથી,પરંતુ કેવળ આભાસ-માત્ર જ છે"
એવી રીતે અન્ય કલ્પનાનો ત્યાગ કરવો એ જ "યથાર્થ અવલોકન" છે.
Sep 1, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-601
"આ ધન છે,આ દેહ છે,અને આ દેશ છે" એવા સઘળા પ્રકારનો વિભ્રમ,ચિત્તના બળ-રૂપ સંકલ્પનો જ મહિમા છે.હે રામચંદ્ર,આ સંસારને લાંબુ સ્વપ્ન સમજો અથવા લાંબુ મનો-રાજ્ય સમજો.જેમ,સૂર્યના ઉદયથી સઘળું સારી રીતે જોવામાં આવે છે-તેમ તમે કે જે પરમાત્મા જ છો-તેમને-જયારે આપોઆપ યોગ-બુદ્ધિ પ્રાપ્ત થશે ત્યારે જ આ સઘળો વિચાર સારી રીતે સમજવામાં આવશે.
Aug 31, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-600
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,તે ભુશુંડ -બુદ્ધિ વડે જ મોહ-રૂપી સંકટમાં થી બહાર નીકળી ગયો છે.તમે પણ પ્રાણ-ચિંતન ના અભ્યાસથી,એ દ્રષ્ટિનો (બુદ્ધિનો) આશ્રય કરી-સંસાર-રૂપી સાગરને તરી જાઓ.
નિરંતર અભ્યાસથી ઉત્પન્ન થયેલા,જ્ઞાન અને યોગથી,જેમ ભુશુંડ પરમ-પદને પામ્યા છે-
તેમ તમે પણ પરમ-પદને પામો.પ્રાણ-અપાન નું અવલોકન કરનારા અને બુદ્ધિને વિષયોમાં આશક્ત નહિ રાખનારા (આવા વિજ્ઞાન ના વિચિત્ર પ્રકારોથી) સર્વે પુરુષો-ભુશુંડ ની પેઠે,પરમ-તત્વમાં વિશ્રાંતિને પ્રાપ્ત થાય છે.
Aug 30, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-599
ઉપર કહેલાં કારણો થી ચિરંજીવ થઈને રહ્યો છું.
આ બ્રહ્મ-રૂપી-સમુદ્રમાં ત્રણ જગતો તરંગ-રૂપ છે,કે જે પ્રગટ થાય છે-રહે છે-લીન થાય છે-તેવાં તે (બ્રહ્મનાં) વિચિત્ર સ્વરૂપો છે.
આ તરંગો વારંવાર મોટા થઈને લય પામે છે,પ્રગટ થાય છે,અને ફરી ફરી પાછા પ્રગટ થાય છે-એ જગતનું ઉત્થાન અને લય-હું સમાધિ ધારણ કરીને જોયા કરું છું.
Aug 29, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-598
આહાર કરતાં,વિહાર કરતાં,બેસતાં,ઉઠતાં,સૂતાં કે શ્વાસોચ્છવાસ કરતાં પણ "હું દેહ છું" એમ જાણતો નથી.સુષુપ્તની પેઠે રહેલો હું,સંસાર-સંબંધી કર્યો-તે "જાણે ન જ હોય" એમ હું જાણું છું,પોતપોતાના સમય પ્રમાણે પ્રાપ્ત થયેલા અર્થ-અનર્થ ને-હું, શરીરમાં રહેલા બે હાથની સમાન જ ગણું છું,ચલિત થાય નહિ એવી મનની સ્થિર શક્તિથી અને સર્વ પ્રાણીઓને "પોતા-સમાન-જોવા-રૂપ-સ્નેહ-દૃષ્ટિથી"સર્વ સ્થળમાં અને સરળ રીતે જોયા કરું છું,તેથી વિઘ્નરહિત થઈને જીવું છું.
Aug 27, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-596
ચૈતન્ય-તત્વ કે જે પ્રકાશના પણ પ્રકાશ-રૂપ છે,સઘળી પવિત્ર વસ્તુઓને પણ પવિત્ર કરનાર છે-અને-મન તથા બુદ્ધિ-આદિ વિકારો થતાં પણ પોતાના સ્વભાવમાંથી ભ્રષ્ટ થતું નથી,
તે-ચૈતન્ય-રૂપ આત્મા ની અમે ઉપાસના કરીએ છીએ.
જે ચૈતન્ય તત્વ પ્રાણ-અપાન ના સંધી-કાળમાં ઉપાધિ-રહિત જણાઈ રહે છે-
તે ચૈતન્ય-રૂપ-આત્મા ની અમે ઉપાસના કરીએ છીએ.
Subscribe to:
Posts (Atom)