કામ-ને શાસ્ત્રમાં હિત શત્રુ કહ્યો છે,એ કામ કરે છે-શત્રુનું,પણ બતાવે છે-કે-હું તમારો મિત્ર છું.યયાતિ રાજા વિલાપ કરે છે-“મેં મારી શક્તિનો દુર્વ્યય કર્યો,મેં મારું શરીર બગાડ્યું,”કામ-ક્રોધને મિત્ર ન બનાવતાં તેને વેરી બનાવી તેમને ત્યજવા જોઈએ.
દેવયાનીના મોટા પુત્ર –યદુના વંશમાં શ્રીકૃષ્ણ પ્રગટ થયા છે.નાના પુત્ર પુરુએ પોતાની યુવાની પિતાને આપેલી,તેથી પિતાએ રાજ્ય તેને આપ્યું છે.આગળ જતાં આ વંશમાં દુષ્યંત અને રંતિદેવ નામના રાજા થયા.
દેવયાનીના મોટા પુત્ર –યદુના વંશમાં શ્રીકૃષ્ણ પ્રગટ થયા છે.નાના પુત્ર પુરુએ પોતાની યુવાની પિતાને આપેલી,તેથી પિતાએ રાજ્ય તેને આપ્યું છે.આગળ જતાં આ વંશમાં દુષ્યંત અને રંતિદેવ નામના રાજા થયા.