Nov 22, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૪


બીજી બાજુ શ્રીરામે લીલા કરી.લક્ષ્મણજી વનમાં કંદમૂળ લેવા ગયા હતા,ત્યારે શ્રીરામે સીતાજીને કહ્યું કે-હવે તમે અગ્નિમાં પ્રવેશ કરો,ને પર્ણકુટીમાં તમારી છાયાને રાખો.
આનંદ રામાયણમાં લખ્યું છે કે-શ્રીરામની આજ્ઞા થતા,સીતાજી એ ત્રણ રૂપ ધારણ કર્યા,એક-રૂપે તેમણે અગ્નિમાં પ્રવેશ કર્યો,બીજા-રૂપે તે રામ-સ્વરૂપમાં લીન થયાં અને ત્રીજા છાયા રૂપે તેઓ પર્ણકુટીમાં રહ્યા.

Nov 21, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૩

રાવણે બહુ વિચાર કર્યો અને અંતે,એણે મારીચને મૃગના વેશે રામજીની પાસે મોકલવાનું નક્કી કર્યું.તે વિચારે છે કે-“જો રામ ઈશ્વર હશે,સર્વજ્ઞ હશે તો મૃગને જોઈને તે તરત જ સમજી જશે અને મૃગની પાછળ નહિ દોડે,અને જો લોભાઈને મૃગની પાછળ દોડે તો સમજવું કે –તે ઈશ્વર નહિ પણ સામાન્ય માનવી છે.અને જો રામ સામાન્ય માનવી જ સાબિત થાય તો પછી સીતાને ઉપાડી લાવવી એ તો રમત વાત છે.અને જો રામ ઈશ્વર સાબિત થાય તો યે શું? હું ભજન-બજન કરી ને તેને પામવામાં માનતો નથી,હું તો તેની સાથે વેર બાંધીશ.પણ વેર કેમ બાંધવું?” ત્યારે પાછો તેનો અહંકાર બોલી ઉઠયો કે –સીતાને ઉપાડી લાવીને.

Nov 20, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૨

રામજી એ જોઈ લીધું કે-હવે ભીષણ સંગ્રામ થશે.તેથી તેમણે લક્ષ્મણની સાથે સીતાજીને થોડે દૂર આવેલી ગુફામાં મોકલી દીધાં અને પોતે એકલા ચૌદ હજારની સેના સામે સજ્જ થઇને ઉભા.હાકોટા અને પડકારો પાડતું રાક્ષસોનું સૈન્ય આવી પહોંચ્યું.રામચંદ્રને આમ એકલા ઉભેલા જોઈને આકાશમાં યુદ્ધ જોવા આવેલા દેવો ફફડવા માંડ્યા.લડવાવાળો બીતો નથી પણ દેવો બીએ છે.દેવોને વિજય જોઈએ છે પણ એમને લડવું નથી,જોવું છે ને ફૂલો વરસાવવા છે.