Nov 20, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-021

અધ્યાય-૧૫-સર્પોને,માતાએ આપેલ શાપ 


II सौतिरुवाच II मात्रा हि भुजगाः शप्ताः पूर्व ब्रह्मविदांवर I जनमेजयस्य वो यज्ञे धक्षत्यनिलसारथिः  II १ II

સૂતજી બોલ્યા-પૂર્વે,સર્પોને તેમની માતાએ શાપ આપ્યો હતો કે-'જન્મેજયના યજ્ઞમાં અગ્નિ તમને બાળી નાખશે'

કે જે શાપની શાંતિ માટે જ વાસુકિએ પોતાની બહેન જરુત્કારુને આપી હતી.તે જરુત્કારુ ઋષિએ,તેને વિધિપૂર્વક સ્વીકારી હતી,કે જે બંનેથી,તેમને આસ્તીક નામે પુત્ર થયો હતો.તે તપસ્વી,મહાત્મા,વેદમાં પારંગત,

સર્વ લોકને સમદ્રષ્ટિ રાખનારો અને માતપિતાનાં બંને કુળોના ભયને દૂર કરનારો હતો.

Nov 19, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-020


આસ્તીક પર્વ

અધ્યાય-૧૩-જરુત્કારૂનો પિતૃઓ સાથે સંવાદ 

(અધ્યાય-1 માં જણાવ્યા મુજબ કેટલાક અહીં (આસ્તીક પર્વ) થી મહાભારતની કથાનો પ્રારંભ કરે છે)

II शौनक उवाच II किमर्तः राजशार्दुलः स राज जनमेजयः I सर्पसत्रेण सर्पाणां गतोSतं तद्वदस्य मे II १ II

શૌનક બોલ્યા-રાજાઓમાં સિંહ સમાન,તે જન્મેજય રાજાએ,શા કારણથી સર્પસત્રથી સર્પોનો અંત આણ્યો?

વળી,દ્વિજવાર આસ્તીકે,શા માટે સર્પોને અગ્નિમાંથી છોડાવ્યા હતા? આસ્તીક હે જન્મેજયના વિષે કહો,

કે તેઓ કોના પુત્ર હતા? આસ્તીકની મનોરમ કથા હું સાંભળવા ઈચ્છું છું.

Nov 18, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-019

 

અધ્યાય-૧૦-રુરુ અને ડુંડુંભનો સંવાદ 


II रुरु उवाच II मम प्राणसमा भार्या दष्टासिद्मुजगेन ह I तत्र भे समयो घोर आत्मनोरग वै कृतः II १ II

રુરુ બોલ્યો-મારી પ્રાણસમી પત્નીને એક સર્પ કરડ્યો હતો,ત્યારથી મેં એક ભયંકર નિયમ લીધો છે કે-

મારા જોવામાં,જે કોઈ સર્પ આવે તેને હું મારી નાખું છું,એટલે આજે હું પણ તને મારીશ.


ડુંડુંભ બોલ્યો-હે તપોધન,માણસોને જે ડસે છે તે સર્પો જુદા છે,માત્ર સાપના આકાર જેવા (ડેંડવા) અમોને,

મારવા તમોને ઘટતા નથી,અમે સર્પોની જાતિના છીએ,તેથી જ તેમની જેમ,અમે હાનિ પામીએ છીએ,

દુઃખ પામીએ છીએ પણ તેમની જેમ સુખ પામતા નથી,તમે અમને મારવા જોઈએ નહિ