Nov 9, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Full--શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-Full


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-15-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-15


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૨

તપ કરીને જે,મનુષ્યનો આત્મા,પરમાત્મા સાથે એક-ચિત્ત બને તો,પરમાત્માની શક્તિ તેના દ્વારા વહે.અને પછી કશું જ અશક્ય નથી,કશું જ અસાધ્ય નથી.અને એવા તપસ્વીને ઘેર પ્રભુ એમને શોધતાં શોધતા એમના દ્વારે ટકોરા મારે છે.અતિથી બને છે.તપનું આ ફળ છે.એકવાર,તુકારામ માંદા હતા અને તેથી વિઠોબા(વિઠ્ઠલ)ના દર્શન કરવા જઈ શક્યા નહિ,તો વિઠોબા જાતે તુકારામને ઘેર પહોંચી ગયા ને દર્શન આપ્યા.
ભક્તને પરમાત્માનાં દર્શનની જેટલી આતુરતા છે એટલી જ ભગવાનને ભક્તનાં દર્શનની આતુરતા છે!!! ખરો ભક્ત એ છે કે જેની ભગવાન ચિંતા કરે.

Nov 8, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૧

સર્વ પ્રત્યે સમભાવ રાખવાથી સત્કાર્ય સફળ થાય છે.સર્વનું કલ્યાણ થાય એ જ સત્કાર્ય.જીવ-માત્રના હિતમાં રત રહેવું,તે સાત્વિકતા-તે સત્વગુણ.અને સત્વગુણ હંમેશાં સત્યને પડખે જ રહેશે.કુટુંબીજનો અસતનો પક્ષ લેતાં હશે તો તેમનો પણ ત્યાગ કરીને સત્વ-ગુણી સત્યના પક્ષે જશે.અને વિભિષણે પણ તેમ જ કર્યું, વિભીષણ એ સત્વ-ગુણી છે.સર્વમાં સદભાવ રાખવો તે ઉત્તમોત્તમ ધર્મ છે.સદભાવ એટલે ઈશ્વરનો ભાવ.

Nov 7, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૦

રામાયણમાં સાત્વિક,રાજસિક અને તામસિક –એ ત્રણે ગુણોના દાખલા આપ્યા છે.
વિભીષણ સત્વગુણ,રાવણ રજોગુણ અને કુંભકર્ણ એ તમોગુણનું સ્વરૂપ છે.
આ ત્રણના ચરિત્રો જોઈને અને તેમના ગુણનો વિચાર કરવામાં આવે તો આપણે કોના જેવા છીએ એની ખબર પડે.આ ત્રણના ઉપરાંત આ ત્રણે ગુણોથી પર એવા ચોથા છે-અત્રિ-ઋષિ.મનુષ્ય અત્રિ થાય તો પ્રભુ તેના ઘેર પધારે,વિભીષણ થાય તો પ્રભુ શરણમાં લે, રાવણ થાય તો પ્રભુ તેનો નાશ કરે અને કુંભકર્ણ થાય તે પોતે જ પોતાનો નાશ કરે.