Feb 4, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૧

શ્રીરામ તો પ્રાણી-માત્રના હિતકર અને વણમાગી દયાના કરનારા છે.તો જે દયા માગે 
તેના પર દયા કર્યા વિના એ કેમ રહે? તેમણે હસીને સારણને કહ્યું કે-જે જોવા આવ્યા હતા,
તે જોઈ લીધું હોય તો જાવ,અને હજુ જો જોવા તપાસવાનું કંઈ બાકી હોય તો,ખુશીથી જુઓ,
હું વિભીષણને આજ્ઞા કરું છું કે જે તમને મારી આખી સેના બતાવશે.
દુશ્મનથી પણ જેમને કશું છુપાવવાનું નથી,એમનું નામ શ્રીરામ.

Feb 3, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૦

શંકર ભગવાન પાર્વતીને કહે છે કે-શ્રીરામ તણખલાને વજ્ર જેવા બનાવે છે,
ને વજ્રને તણખલું બનાવે છે,તે એમના દૂત (અંગદ) ની પ્રતિજ્ઞા કેમ ખોટી પડવા દે? 
અંગદે,વાણીથી,બળથી,ભયથી-વગેરે અનેક રીતે રાવણને સમજાવ્યો,પણ રાવણ સમજ્યો નહિ,
ત્યારે તેણે રાવણને કહ્યું કે-“રણક્ષેત્રમાં તને રમાડી રમાડીને મારું નહિ તો મારું નામ અંગદ નહીં” આમ કહી એ પાછો ફરી ગયો,ને રાવણ અને તેના યોદ્ધાઓ તેને જોતા જ રહી ગયા....

Feb 2, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૯

રાવણ કહે છે કે-વાનરોની મદદથી પુલ બાંધ્યો એ જ તારા રામની તાકાત ને?સમુદ્ર તો ચકલાં યે ઓળંગે છે.એમાં એણે શું ધાડ મારી? બીજાની મદદ લેવી પડે,અને સમુદ્રને પાર કરવા પુલની જરૂર પડે તે મનુષ્ય નહિ તો બીજું શું છે? જયારે મારા ભુજબળમાં તો દેવો યે ડૂબી ગયા છે તો તારો રામ શી વિસાતમાં છે? એ લડાઈમાં બીએ છે,એટલે તો તને દૂત બનાવી મોકલે છે.શત્રુને કરગરવા દૂત મોકલતાં એણે લાજ પણ નથી.

Feb 1, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૮

અંગદે સીધા જ રાવણને કહ્યું કે-હે,રાવણ,હું રઘુવીરનો દૂત છું,મારા પિતાને ને તમારે મિત્રતા હતી તે સંબંધે હું તને સલાહ આપવા આવ્યો છું કે-દાંતમાં તરણું લઇ તું શ્રીરામને શરણે આવ,અને સીતાજીને પાછા સોંપી દે,તેમાં જ તારું કલ્યાણ છે.
રાવણે કહ્યું કે-અરે,મૂઢ,કયા સંબંધે તું મને તારા બાપનો મિત્ર કહે છે?કોણ છે તું?
અંગદે કહ્યું કે-મારું નામ અંગદ,હું કિષ્કિંધા-પતિ વાલીનો પુત્ર છું.

Jan 31, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૭

વિભીષણની વાત સાંભળીને રામે ધીરેથી એક બાણ છોડ્યું,કે જે રાવણના દશે મુગટ પાડી,અને માથાના છત્રને કાપીને –જમીનદોસ્ત કરીને -એમની પાસે પાછું આવી ગયું.
રાવણના રંગમાં ભંગ પડ્યો,નથી વાવાઝોડું,નથી ભૂકંપ,તો આ દશ મુગટને છત્ર શાથી પડી ગયાં? બધા કહે કે “અપશુકન-અપશુકન” રાવણ પણ મનમાં તો અપશુકન સમજીને ડર્યો,
પણ તરત જ બહારથી હિંમત દેખાડી એણે કહ્યું કે-