Aug 19, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-18

આ સુષુમ્ણા નાડી,સામાન્ય રીતે સામાન્ય મનુષ્યમાં નીચલે છેડે બંધ હોય છે.તેથી તેમાં થઇ ને કશી જ ક્રિયા ચાલતી નથી.પણ યોગી એક જાતની એવી સાધના સૂચવે છે કે-તેને ઉઘાડી શકાય છે.અને જ્ઞાનતંતુઓ ના પ્રવાહો તેની અંદર વહેતા કરી શકાય છે.

Aug 18, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-17

હવે આપણે આ વસ્તુને -વધુ સારી રીતે સમજવા -એક હકીકત -ભૌતિક વિજ્ઞાનમાંથી લઈશું.
આપણે વીજળી (ઈલેક્ટ્રીસીટી) અને તેની સાથે સંકળાયેલાં વિવિધ બળો વિશે સાંભળીએ છીએ,
કે જોઈએ છીએ,પણ વીજળી "પોતે" શું છે? એ કોઈ જાણતું નથી.પરંતુ તેના વિશે જેટલું જાણવામાં આવ્યું છે તે મુજબ-તે એક પ્રકારની "ગતિ" છે.

Aug 17, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-16

આધ્યાત્મિક પ્રાણ
યોગીઓના મત પ્રમાણે-મેરુદંડ (કરોડ) માં "ઈડા" અને "પિંગલા" નામના જ્ઞાનતંતુઓના બે પ્રવાહો છે.અને કરોડની મધ્યમા "સુષુમણા" નામની એક "પોલી નાડી" છે.આ પોલી સુષુમણા નાડી ને નીચેને છેડે-ત્રિકોણાકાર "કુંડલિની-પદ્મ" આવેલું છે.

Aug 16, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-15

જેવી રીતે,આપણે દુરબીનથી આપણી દૃષ્ટિનું ક્ષેત્ર વધારી શકીએ છીએ,તેવી રીતે,યોગ વડે આપણે આપણી જાતને બીજી ભૂમિકાના કંપનની સ્થિતિમાં લાવી શકીએ છીએ.અને એ રીતે,ત્યાં (બીજા કંપનની ભૂમિકાવાળા ક્ષેત્રમાં) શું થઇ રહ્યું છે તે જાણવા શક્તિમાન થઈએ છીએ.

Aug 15, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-14

આમ રાજયોગનું સઘળું ક્ષેત્ર -એ ખરી રીતે,પ્રાણ-શક્તિ પરનો કાબૂ -અને-જુદીજુદી ભૂમિકાઓ પર તેની દોરવણી-એ શીખવાનું છે.એટલે કે-મનુષ્યે,જયારે પોતાની શક્તિઓને એકાગ્ર કરી હોય છે,ત્યારે તે પોતાના શરીરમાં રહેલી પ્રાણશક્તિ પર કાબૂ મેળવે છે.અને મનુષ્ય જયારે ધ્યાન કરતો હોય છે ત્યારે તે પ્રાણ-શક્તિને એકાગ્ર કરતો હોય છે.