ત્યાર બાદ,ત્રીજીવાર,તે અસુરોએ કચને મારી નાખ્યો ને તેને બાળીને તેનું ચૂર્ણ કરીને,મદિરામાં ભેળવીને,
શુક્રાચાર્યને પાઈ દીધું.દેવયાનીએ કચને ન જોઈને પિતાને ફરિયાદ કરી કે-'ક્યાંય કચ દેખાતો નથી'
ત્યારે શુક્રાચાર્ય બોલ્યા કે-હે પુત્રી,કચ,મરણ પામ્યો છે.તેને(બે વખત) મેં સંજીવની વિદ્યાર્થી તેને સજીવન કર્યો,
પણ અસુરો તેને મારી નાખે છે.તેને માટે શોક કરવો ઘટતો નથી,કેમ કે તેને ફરીથી જીવતો રાખવો અશક્ય છે,
કેમ કે તે ફરીથી જીવતો થાય તો,અસુરોથી,તેનો ફરીથી વધ થવાનો જ છે (33-48)




