Mar 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-109

અધ્યાય-૧૨૦-પાંડુરાજા અને પૃથા (કુંતી)નો સંવાદ 


II वैशंपायन उवाच II तत्रापि तपसि श्रेष्ठे वर्तमानः स वीर्यवान I सिद्ध्चारणसंघानां बभूव प्रियदर्शनः II १ II

વૈશંપાયન બોલ્યા-શ્રેષ્ઠ તપમાં રહેલા તે વીર્યવાન પાંડુરાજા,ત્યાં પણ સિદ્ધો ને ચારણો માટે 

પ્રિયદર્શન થયા.સેવાપ્રિય,અનહંકારી,વશ મનવાળા ને જિતેન્દ્રિય એવા,તે પાંડુ પોતાના તપથી 

સ્વર્ગે જવા,પરાક્રમશીલ થયા.નિર્મળ તપ કરીને.તે પાંડુ,બ્રહ્મર્ષિ જેવા થયા.

એક દિવસે અમાસના દિવસે,ઋષિ-મહર્ષિઓ,બ્રહ્માના દર્શને નીકળ્યા,

ત્યારે પાંડુએ તેમને પૂછ્યું કે-'આપ સર્વ ક્યાં જઈ રહયા છો?' 

ઋષિઓ બોલ્યા-'આજે બ્રહ્મલોકમાં મહાત્માઓ,દેવો,ઋષિઓ-આદિનું મહાસંમેલન છે,

સ્વયંભૂનાં દર્શનની ઈચ્છાથી અમે ત્યાં જઈએ છીએ'(1-6)

Feb 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-108

અધ્યાય-૧૧૯-પાંડુરાજાનો નિત્યને માટે વનવાસ 

II वैशंपायन उवाच II तं व्यतीतमतिक्रम्य राजा स्वमिव बान्धवम् I समार्यः शोकदुखार्तः पर्यदेवदासुरःII १ II

વૈશંપાયન બોલ્યા-હવે શોક અને દુઃખથી પીડિત થયેલા તે આતુર પાંડુરાજે મરણશરણ થયેલા 

એ મૃગને ત્યાં છોડ્યો અને પત્નીઓ સાથે તેના બાંધવની જેમ વિલાપ કરવા માંડ્યો (1)

Feb 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-107

અધ્યાય-૧૧૮-પાંડુરાજાને શાપ 


II जनमेजय  उवाच II कथितो धार्तराष्ट्राणामार्पः संभव उत्तमः I अमनुष्यो मनुष्याणां भवत ब्रह्मवादिना II १ II

જન્મેજય બોલ્યા-હે બ્રહ્મવાદીન,માનવોમાં અમાનવ એવી ધૃતરાષ્ટ્ર પુત્રોની શ્રેષ્ઠ ઉત્પત્તિ કથા કહી,તે મેં સાંભળી,

હવે તમે પાંડવોની વાત કહો.(આગળ) અંશાવતરણ પર્વમાં,તમે કહ્યું હતું કે-તે સર્વે માહતામો,ઈંદ્રરાજ જેવા પરાક્રમી ને દેવાંશી હતા.તો તેઓના જન્મથી માંડીને બધું હું સાંભળવા ઈચ્છું છું (1-4)

Feb 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-106

 
અધ્યાય-૧૧૬-દુઃશલાની જન્મકથા 

II जनमेजय  उवाच II धृतराष्ट्रस्य पुत्राणामादितः कथितं त्वया I ऋषिः प्रसादात्तुशतं न च कन्या प्रकिर्तिता II १ II

જન્મેજય બોલ્યા-તે વ્યાસ ઋષિના પ્રસથી,ધૃતરાષ્ટ્રને સો પુત્રો થયા તે તમે પહેલાં કહ્યું.પણ તે વખતે કન્યા વિશે,

તમે કશું જ કહ્યું નહોતું.મહર્ષિ વ્યાસે તો કહ્યું હતું કે 'સો પુત્રોવાળી  થા' તો આ કન્યા ક્યાંથી ઉત્પન્ન થઇ?

જો મહર્ષિએ માંસપેશીના સો ભાગ જ કર્યા હોય,અને ગાંધારી,જો ફરીથી પ્રજાવતી થઇ જ ન હોય 

તો,દુઃશલાનો જન્મ કેવી રીતે થયો?તે વિશે આપ,મને યથાવત કહો,મને આ વિશે કુતુહલ થયું છે.(1-5)

Feb 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-105

અધ્યાય-૧૧૪-પાંડુનો અરણ્યનિવાસ તથા વિદુરનાં લગ્ન 


II वैशंपायन उवाच II धृतराष्ट्राम्यनुज्ञातः स्वबाहुविजितं धनम् I भीष्माय सत्यवत्यै च मात्रे चोपजहार सः II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પાંડુએ,ધૃતરાષ્ટ્રની આજ્ઞા મેળવીને,પોતાના બાહુબળથી જીતેલું તે ધન,ભીષ્મ,સત્યવતી 

અને પોતાની માતાને અર્પણ કર્યું.વળી વિદુરને તથા મિત્રો સુધ્ધાંને તે ધનથી સંતુષ્ટ કર્યા.સત્યવતીએ પણ,પોતાને મળેલા ધનથી ભીષ્મ ને કૌશલ્યાને પ્રસન્ન કર્યા.તેજસ્વી પાંડુને ભેટી,માતા કૌશલ્યા અપાર આનંદ પામી.(1-4)