અધ્યાય-૧૪૧-પાંડવો પ્રત્યે દુર્યોધનની ઈર્ષા
II वैशंपायन उवाच II ततः सुबलपुत्रस्तु राजा दुर्योधनश्चह् I दुःशासनश्च कर्णश्च दुष्टं मंत्रममंत्रयन् II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,સુબલપુત્ર શકુનિ,દુર્યોધન,દુઃશાસન અને કર્ણ મળીને દુષ્ટ મંત્રણા કરવા લાગ્યા.
ધૃતરાષ્ટ્રની અનુમતિ લઈને,તેમણે કુંતીના પાંચે પુત્રોને લાક્ષાગૃહમાં બાળી મુકવાનો નિર્ણય કર્યો.
કૌરવોની ચેષ્ટાઓથી,તેમનો ભાવ જાણી જનારા તત્વદર્શી વિદુર,કૌરવોનો વિચાર જાણી ગયા,ને બીજું
જાણવા જેવું જાણીને,પાંડવોના હિતમાં રહેનારા તે વિદુરે,કુંતીને પુત્રો સાથે નસાડી મુકવાનો વિચાર કર્યો.