Mar 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-137

 
જતુગૃહ પર્વ 

અધ્યાય-૧૪૧-પાંડવો પ્રત્યે દુર્યોધનની ઈર્ષા 

II वैशंपायन उवाच II ततः सुबलपुत्रस्तु राजा दुर्योधनश्चह् I दुःशासनश्च कर्णश्च दुष्टं मंत्रममंत्रयन् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,સુબલપુત્ર શકુનિ,દુર્યોધન,દુઃશાસન અને કર્ણ મળીને દુષ્ટ મંત્રણા કરવા લાગ્યા.

ધૃતરાષ્ટ્રની અનુમતિ લઈને,તેમણે કુંતીના પાંચે પુત્રોને લાક્ષાગૃહમાં બાળી મુકવાનો નિર્ણય કર્યો.

કૌરવોની ચેષ્ટાઓથી,તેમનો ભાવ જાણી જનારા તત્વદર્શી વિદુર,કૌરવોનો વિચાર જાણી ગયા,ને બીજું 

જાણવા જેવું જાણીને,પાંડવોના હિતમાં રહેનારા તે વિદુરે,કુંતીને પુત્રો સાથે નસાડી મુકવાનો વિચાર કર્યો.

Mar 30, 2023

Ram-Charit-Manas-Gujarati-રામચરિત-માનસ- Index Page

Ram-Charit-Maanas-As It Is (With Gujarati Translation)
રામચરિત માનસ -તેના મૂળ રૂપે-ચોપાઈ અને તેના ગુજરાતીમાં સરળ શબ્દાર્થ સાથે


...........................................................................................................................
..........................................................................................................................
(5) સુંદરકાંડ-રામચરિતમાનસ(ગુજરાતી શબ્દાર્થ સાથે) 

Ram Charit Manas-Full Gujarati Book By Tulsidasji

This book is for Archive and online reading only-not downloadable


Rama-Raksha-Stotra -With Gujarati Font-Shloka & Gujarati Translation-રામરક્ષા સ્તોત્ર-ગુજરાતી અનુવાદ સાથે

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-136

 
અર્થવાળો,અર્થવાળા પાસે જતો નથી,અને ગરજ પુરી થાયે માણસ મૈત્રી રાખતો નથી,તેથી,બીજાને માટે કરવાનાં સર્વ કાર્ય થોડાં અધૂરાં રહે તેમ જ કરવાં.ઐશ્વર્ય ઇચ્છનારે,ઈર્ષારહિત રહીને,(મિત્રતામાં)સંગ્રહ અને શત્રુ સાથે વિગ્રહ કરવામાં યત્ન કરવો અને ઉત્સાહ રાખવો.નીતિયુક્ત મનુષ્ય એવું કરે કે-પોતાનાં કાર્યોને મિત્રો તેમજ શત્રુઓ જાણી જાય નહિ,તેઓ તે જો જાણે,તો કાર્ય આરંભ્યા પછી જ કે તે પુરી રીતે પર પડ્યા પછી જ જાણે.