અધ્યાય-૨૦૮-યુધિષ્ઠિર અને નારદનો સંવાદ
II जनमेजय उवाच II एवं संप्राप्यं राज्यं तदिन्द्रप्रस्थं तपोधन I अत ऊर्ध्व महात्मनः किमकुर्वत पाण्डवाः II १ II
જન્મેજય બોલ્યા-હે તપોધન,આમ,ઈંદ્રપ્રસ્થનું રાજ્ય મેળવ્યા પછી,મારા પૂર્વજ એવા,તે પાંડવોએ શું કર્યું?
તેમની ધર્મપત્ની દ્રૌપદી તેમની સાથે કેવી રીતે વર્તતી હતી? તે પાંચે પાંડવો એક પત્ની સાથે સંબંધ રાખતા હતા,છતાં,તેમનામાં પરસ્પર ભેદ કેમ પડ્યો નહિ? તેમની ચેષ્ટાઓને હું સાંભળવા ઈચ્છું છું (1-4)