II नारद उवाच II शृणु मे विस्तरेणे ममितिहासं पुरातनम् I भ्रात्रुति: सहितः पार्थ यथावृतं युधिष्ठिर II १ II
નારદ બોલ્યા-હે યુધિષ્ઠિર,પૂર્વે,મહાન અસુર હિરણ્યકશિપુના વંશમાં,નિકુંભ નામે એક બળવાન રાક્ષસ થયો હતો,
તેને સુંદ અને ઉપસુંદ નામના બે,બળવાન ને ક્રૂર માનસવાળા,દૈત્યોના ઇન્દ્ર સરખા પુત્રો હતા.
તે બંને એક જ નિશ્ચયવાળા,એક જ કાર્યવાળા,એક જ પ્રયોજનવાળા,અને સુખદુઃખમાં સદૈવ સાથે વર્તનારા હતા.
તેઓ એકબીજા વિના જમતા નહોતા અને એકબીજાનું પ્રિય કરતા હતા.તેઓ એક જ જાતના સ્વભાવવાળા અને આચરણવાળા હતા,જાણે કે એક જ ખોળિયામાં બે જીવ હોય,તેવા તે હતા.(1-6)




