Jul 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-246

અધ્યાય-૩૭-શિશુપાલનો ક્રોધ 

II शिशुपाल उवाच II नायमर्हति वार्ष्णेयस्तिष्ठत्सिव्ह महात्मसु I महिपतिषु कौरव्य राज्वत्यार्थिवार्हणम्  II १ II

શિશુપાલ બોલ્યો-હે કૌરવ્ય,અહીં સભામાં મહાત્મા મહીપાલો હોવા છતાં,આ વૃષ્ણીપુત્રને,રાજાઓને ઉચિત એવી રાજપૂજા ઘટતી નથી.તેં આ જે સ્વેચ્છાથી કૃષ્ણપૂજા કરી છે,તે તારું આચરણ યોગ્ય નથી,હે પાંડવો,તમે બાળકમૂઢ છો,તમે કંઈ જનતા નથી,કેમ કે ધર્મ સૂક્ષ્મ છે.ધર્મનું આ સૂક્ષ્મદર્શન ગંગાપુત્ર ભીષ્મ પણ જોઈ શક્યા નથી,મને તો તે અલ્પ વિચારશાળી લાગે છે.કેમ કે તારા જેવો ધર્મયુક્ત માણસ પોતાની પ્રિય ઈચ્છા પ્રમાણે આવું કાર્ય કરે છે,

તો તેથી ભીષ્મ,સત્પુરુષોના અધિક અપમાનને પાત્ર થાય છે.(4)

Jul 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-245

અર્ધાભિહરણ પર્વ 

અધ્યાય-૩૬-શ્રીકૃષ્ણનું અર્ઘ પૂજન 

II वैशंपायन उवाच II ततोSभीपेचनीयेSहनि ब्राह्मणा राजभिः सह I अन्तर्वेदी प्रविविशुः सत्कारार्हा भहंपयः  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,અભિષેકના દિવસે,સત્કારપાત્ર બ્રાહ્મણોએ રાજાઓ સહિત અંતર્વેદી નામના સ્થાનમાં પ્રવેશ કર્યો.તે અંતર્વેદીમાં નારદ આદિ મહાત્મા ઋષિઓ બેઠેલા હતા,કે જેઓ વચ્ચે વચ્ચે વિરામનો સમય મળતો ત્યારે અનેકવિધ કથાઓ કહેતા હતા.વિતંડાવાદી બ્રાહ્મણોમાંથી કેટલાક શાસ્ત્રનિશ્ચિત તર્કોથી યુક્તિરહિત દુર્બળ વિષયોને સબળ કરતા હતા,તો કેટલાક યુક્તિયુક્ત સબળ વિષયોને દુર્બળ કરતા હતા.(5)

Jul 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-244

 
અધ્યાય-૩૪-રાજસૂય યજ્ઞમાં રાજાઓનું આગમન 

II वैशंपायन उवाच II स गत्वा हस्तिनापुरं नकुलः समिर्तिजयः I भीष्ममामंत्रयांचक्रे धृतराष्ट्रं च पाण्डवः  II १ II

વૈશંપાયન બોલ્યા-યુદ્ધમાં હંમેશા વિજયી એવા નકુલે,હસ્તિનાપુર જઈ,ભીષ્મને તથા ધૃતરાષ્ટ્રને આમંત્રણ આપ્યું,ને 

આચાર્ય વગેરેને પણ સત્કાર અને આમંત્રણ આપ્યાં,એટલે તેઓ બ્રાહ્મણોને આગળ કરીને પ્રસન્ન મનથી યજ્ઞ જોવાને ચાલ્યા.હે રાજન,ધર્મરાજના આ યજ્ઞમાં સર્વ દિશાએથી રાજાઓ,અનેક રત્નો લઈને આવ્યા હતા.(4)

Jul 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-243

રાજસૂય પર્વ 

અધ્યાય-૩૩-રાજસૂય યજ્ઞની દીક્ષા 

II वैशंपायन उवाच II रक्षणाद्वर्मराजस्य सत्यस्य परिपालनात I शत्रूणां क्षपणान्तैव स्वकर्मानिरताः प्रजाः  II १ II

વૈશંપાયન બોલ્યા-ધર્મરાજના રક્ષણથી,સત્યના પરિપાલનથી,અને શત્રુઓના નાશ થવાથી.સર્વ પ્રજા સ્વકર્મમાં પરાયણ થઈને રહેવા લાગી.યોગ્ય રીતે કર લેવાથી તેમ જ ધર્મપૂર્વક શાસન ચાલવાથી,માગ્યા મેઘ વરસતા હતા,

અને દેશ સંપત્તિવાળો થયો હતો.રાજાના કર્મના પ્રભાવથી સર્વ કાર્યો સારી રીતે ચાલતાં હતાં.

ગોરક્ષા,ખેતી,ને વેપાર,એ સર્વ પણ બહુ સારી રીતે ચાલતા હતા ને વધતાં હતાં. ત્યારે ચોર,ઠગારાઓ કે 

રાજાના પ્રિય મનુષ્યો તરફથી પણ જૂઠી વાણી સંભળાતી નહોતી.(4)