અધ્યાય-૩૭-શિશુપાલનો ક્રોધ
II शिशुपाल उवाच II नायमर्हति वार्ष्णेयस्तिष्ठत्सिव्ह महात्मसु I महिपतिषु कौरव्य राज्वत्यार्थिवार्हणम् II १ II
શિશુપાલ બોલ્યો-હે કૌરવ્ય,અહીં સભામાં મહાત્મા મહીપાલો હોવા છતાં,આ વૃષ્ણીપુત્રને,રાજાઓને ઉચિત એવી રાજપૂજા ઘટતી નથી.તેં આ જે સ્વેચ્છાથી કૃષ્ણપૂજા કરી છે,તે તારું આચરણ યોગ્ય નથી,હે પાંડવો,તમે બાળકમૂઢ છો,તમે કંઈ જનતા નથી,કેમ કે ધર્મ સૂક્ષ્મ છે.ધર્મનું આ સૂક્ષ્મદર્શન ગંગાપુત્ર ભીષ્મ પણ જોઈ શક્યા નથી,મને તો તે અલ્પ વિચારશાળી લાગે છે.કેમ કે તારા જેવો ધર્મયુક્ત માણસ પોતાની પ્રિય ઈચ્છા પ્રમાણે આવું કાર્ય કરે છે,
તો તેથી ભીષ્મ,સત્પુરુષોના અધિક અપમાનને પાત્ર થાય છે.(4)