Feb 17, 2024

અચળ ભક્તિ-By અનિલ શુક્લ

 

હરી જતો જે સર્વનાં મન,તે  જ મનહરનું મન,

હરી ગઈ,રાધાજી ને ગોકુળની નટખટ ગોપીઓ.

કોણ કહી શકે કે જગદીશ્વરને કોઈ ખોટ નથી?
મનની જ ખોટ પડી ગઈ,લાગે,જશોદાના લાલને.

હે હરિ,દઈ દઉ છું,મન, મારુ,પ્રેમથી સ્વીકારજો.
ચરણકમળમાં રહું સદા,ભક્તિ અચળ આપજો.

અનિલ 

7-29-2021


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-429

 

અધ્યાય-૧૩૬-યવક્રીતનો વિનાશ 


II लोमश उवाच II चेन्क्तभगः सा तदा यवक्रितोSकृत्तो भयः I जगाम माधवे मासि रैभ्याश्रमपदं प्रति II १ II

લોમશ બોલ્યા-હવે સર્વ રીતે નિર્ભય થયેલો તે યવક્રીત,એકવાર વૈશાખ માસમાં ફરતો ફરતો રૈભ્યના આશ્રમે જઈ પહોંચ્યો.ત્યાં તેણે રૈભ્યની સુંદર પુત્રવધૂને ફરતી જોઈ.કામથી બુદ્ધિ ખોઈ બેઠેલા તેણે તે સુંદરીને કહ્યું કે-

'તું મારી પાસે આવ' તે સ્ત્રી યવક્રીતને જાણતી હતી એટલે તેના શાપથી ડરીને તેની પાસે ગઈ.

યવક્રીતે તેને એકાંતમાં લઇ જઈને શોકસાગરમાં ડુબાડી દીધી.

Feb 16, 2024

એક દુઃખી જનને-By અનિલ શુક્લ

 

વિતાવી દીધી જે પળો જિંદગીની,વહી જ ગઈ છે તે,

વહી ગયું જળ નદીનું સામેથી,તેની ચિંતા કરેથી શું?


વહી ગયેલું જળ જઈ સાગરને મળ્યું,જળ સાગર બન્યું,

હજી નજર સામે પણ નદીનું તે જ જળ વહેતું નથી શું?


દુઃખની વાતો કરી હતી તમે,તો દુઃખથી,અમે સાંભળી હતી,

ભલે ન કહો,પણ તે દુઃખ,ન ખબર પડે તેમ સુખ નથી થતું શું?


સુખની શતરંજ તો ખેલી જ હતી ને? આનંદથી બહુ  સુખી બની,

દુઃખની શતરંજ ફેલાઈ છે આજે,તો તે સુખથી ન ખેલાઈ શકાય શું?


અનિલ 

ઑગસ્ટ-1-2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Sant Gnaneshvar-1964-Rare Song Video-ભક્તિ શક્તિ હૈ-બહુત દિન બીતે-જ્યોત સે જ્યોત-સંત જ્ઞાનેશ્વર ના ગીતો

ખુબ જ સુંદર શબ્દો.....

ભક્તિ........ શક્તિ હૈ,
કર્મ............ ધર્મ હૈ.
જ્ઞાન......... મુક્તિ કા પથ હૈ...... 
આત્મા કી અનંત યાત્રા મેં..........
યે તન........ તો બસ........ રથ હૈ.....
 પથ..... અનેક હૈ-............રથ........... અનેક હૈ, 
એક ........... હી........... લક્ષ્ય............ દિખાતે ચલો.....
 ઉસ વિરાટ મેં........ હો વિલીન........... તુમ...... નિત્ય હી.......... અલખ.......... જગાતે ચલો....

 Bhakti Shakti Hai- Sant Gnanesvar-Rare Video
Bahot din bite Sant Gnaneshvar-Movie-1964-Rare video

Jyotse jyot jagate chalo-Lata-Sant Gnanesvar movie-1964-Rare Video

Jyotse jyot jagate chalo-Mukesh-Sant Gnanesvar movie-1964-Rare Video


Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-428

 

અધ્યાય-૧૩૫-યવક્રીતનું આખ્યાન 


II लोमश उवाच II एषा मधुविला राजन्समंगा संप्रकाशते I एतत्कर्दमिलं नाम भरतस्याभिपेचनम् II १ II

લોમશ બોલ્યા-હે રાજન,આ મધુવિલ નદી સમંગા નામે શોભી રહી છે.આ કર્દમિલ નામનું ભરતનું અભિષેક તીર્થ છે.વૃત્રને મારીને લક્ષ્મીરહિત થયેલો ઇન્દ્ર.પૂર્વે આ સમંગામાં સ્નાન કરીને પાપમુક્ત થયો હતો.મૈનાકની વચ્ચે આવેલું આ વિનશન નામનું તીર્થ છે.પૂર્વે અહીં અદિતિએ પુત્રપ્રાપ્તિ માટે ચરુ તૈયાર કર્યો હતો.આ ઋષિઓને પ્રિય કનખલ પર્વતો છે.આ મહાનદી ગંગા શોભી રહી છે.અહીં સનતકુમાર સિદ્ધિ પામ્યા હતા.તેમાં સ્નાન કરો.

આ પુણ્ય નામે જળનો ઝરો છે,આ ભૃગુતુંગ પર્વત છે,આ ઉષણી ગંગા છે.આ સ્થૂલશિરા ઋષિનો આશ્રમ છે.

આ રૈભ્યાશ્રમ છે,અહીં ભારદ્વાજનો યવક્રીત નામે પુત્ર નાશ પામ્યો હતો.(9)