Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Mar 18, 2024
માગું,હરપળ તને-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-459
અધ્યાય-૧૬૯-નિવાત-કવચ સાથે યુદ્ધ
II अर्जुन उवाच II ततोSह स्तूयमानस्तु तत्र तत्र महर्षिभिः I अपस्यमुदधि भीममपांपतिमथाव्ययम् II १ II
અર્જુન બોલ્યો-પછી,સ્થળે સ્થળે મહર્ષિઓથી સ્તુતિ કરાયેલા મેં,અનંત અને ભીષણ જલનાથ જળનિધિને જોયો.
મહાવેગવાળા તે જળનિધિને જોયા પછી,મેં દાનવોથી ભરેલા તે દૈત્યનગરને પાસેથી જોયું.માતલિએ ત્યાં જ
રથને એકદમ પૃથ્વીની સપાટી પર ઉતાર્યો.ને રથઘોષથી ત્રાસ વર્તાવતો તે રથ નગર તરફ દોડવા લાગ્યો.
Mar 17, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-458
અધ્યાય-૧૬૮-લોકપાલોનાં અસ્ત્રોની પ્રાપ્તિનું વર્ણન
II अर्जुन उवाच II ततस्तामवसं प्रीतो रजनीं तत्र भारत I प्रसादादेवदेवस्य त्र्यम्बकस्य महात्मान:II १ II
અર્જુન બોલ્યો-પછી,હે ભારત,દેવાધિદેવ મહાત્મા શંકરની કૃપાથી હું તે રાત ત્યાં જ રહ્યો.બીજે દિવસે પ્રાતઃકાળે,
મેં ફરીથી પેલા બ્રાહ્મણને ત્યાં જોયો,એટલે મેં તેને શંકરને મળ્યાનો સર્વ વૃતાંત કહ્યો.પ્રસન્ન થયેલા તે બ્રાહ્મણે મને કહ્યું કે-
તું મહાદેવનાં જેવાં દર્શન પામ્યો છું તેવાં દર્શન બીજા કોઈને એ થયાં નથી.હવે તું યમ આદિ સર્વ લોકપાલોને મળીને ઇંદ્રનાં દર્શન પામીશ તે તને અસ્ત્રો આપશે' આમ કહીને તે બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યો ગયો.
Mar 16, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-457
અધ્યાય-૧૬૭-યુધિષ્ઠિર અને અર્જુનનો સંવાદ
II वैशंपायन उवाच II यथागतं गते शक्रे भ्रातृभिः सः संगतः I कृष्णया चैव विभत्सुर्धर्मपुत्र पुजयत् II १ II
વૈશંપાયન બોલ્યા-આમ,ઇન્દ્ર પોતાના સ્થાને પાછા ગયા,પછી,અર્જુને પોતાના ભાઈઓ ને દ્રૌપદી સાથે,ધર્મરાજ યુધિષ્ઠિરની પૂજા કરી.ધર્મરાજે વંદન કરતા તે અર્જુનના માથાને સુંઘયું ને પ્રસન્ન મનથી હર્ષથી ગદગદ થયેલી વાણીમાં તેને પૂછ્યું કે-'હે અર્જુન,સ્વર્ગમાં તારો સમય કેવી રીતે પસાર થયો હતો?તું કેવી રીતે અસ્ત્રો પ્રાપ્ત કરી શક્યો? તેં દેવરાજ ઇન્દ્રને કેવી રીતે પ્રસન્ન કર્યા? તે પિનાકપાણી શંકરના કેવી રીતે દર્શન કર્યા ને કેવી રીતે તેમના અસ્ત્રોની પ્રાપ્તિ થઇ? તેં શી રીતે દેવોને આરાધ્યા? ઈન્દ્રનું તેં કયું પ્રિય કાર્ય કર્યું છે? આ બધું તું મને કહે (8)
.jpg)



