Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 6, 2024
અનહત-નાદ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-478

અધ્યાય-૧૯૨-મંડૂકનું ઉપાખ્યાન
II वैशंपायन उवाच II भूव एव ब्राह्मणमहाभाग्यं वक्तुमर्हसीत्यव्रवित्पांडवे यो मार्कण्डेयं II १ II
વૈશંપાયન બોલ્યા-'પાંડુપુત્ર યુધિષ્ઠિરે માર્કંડેયને કહ્યું-તમે બ્રાહ્મણના મહાભાગ્યને ફરીથી કહેવા યોગ્ય છો'
માર્કંડેય બોલ્યા-બ્રાહ્મણોનું આ અપૂર્વ ચરિત્ર તમે સાંભળો.અયોધ્યામાં ઇક્ષ્વાકુ કુળનો પરીક્ષિત નામે રાજા હતો.
એકવાર તે મૃગયાએ નીકળ્યો હતો ત્યારે એક મૃગની પાછળ તે દૂર દૂર ગયો,તે થાક્યો ને ભૂખ-તરસથી પીડાયો,
ત્યારે તેણે તે વનમાં એક રમણીય સરોવર જોયું,ત્યાં તેણે સ્નાન કરી તેના કિનારે સૂતો હતો ત્યારે
તે મધુર ગીતના સ્વરોથી જાગી ગયો ને તેણે એક રૂપવતી કન્યાને ફૂલો વીણતી જોઈ.
Apr 5, 2024
જ્ઞાનથી મુક્તિ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-477
અધ્યાય-૧૯૧-યુધિષ્ઠિરને ઉપદેશ
II मार्कण्डेय उवाच II ततश्चोरक्षयं कृत्वा द्विजेभ्यः पृथिवीमिमाम् I वाजिमेधे महायज्ञे विधिवत्कल्पयिप्पति II १ II
માર્કંડેય બોલ્યા-પછી ચોરોનો નાશ કરીને કલ્કી,અશ્વમેઘ યજ્ઞ કરશે ને આ પૃથ્વી બ્રાહ્મણોને અર્પણ કરશે.
તે પોતે જ આ પૃથ્વીમાં શુભ ને હિતકારી મર્યાદાઓ સ્થાપશે ને પછી તે રમણીય વનમાં પ્રવેશશે.
પૃથ્વીલોકમાં વસનારા મનુષ્યો તેમના શીલને અનુસરશે,ને જગતમાં ફરીથી કલ્યાણ વર્તશે.
ત્યારે હે ભારત,અધર્મનો વિનાશ થશે અને ધર્મની વૃદ્ધિ થશે,લોકો ક્રિયાવાન થશે.(7)

