Apr 18, 2024

કૃપા અનંતની-By અનિલ શુક્લ

 

નાદ અનહદનો સુણીને,શું થયો હતો અસ્થિર વાયુ?
કે  પામી અસ્થિરતાને,તે શું પવન નામે થયો હતો?

પણ,શું બન્યું,આજ,કે સ્થિરતા થઇ ગઈ પ્રચંડ,પવનને.
બની ફરી વાયુ,ચૂપચાપ  આકાશમાં સમાઈ ગયો લાગે.

થઇ હતી ઘોષણા અનંતની,કે બની રહી કૃપા અનંતની?
પવન,નથી રહ્યો પવન હવે,અનંતમાં સમાઈ ગયો લાગે.

અનિલ શુક્લ
નવેમ્બર-૧૮,૨૦૧૬

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-490

 

અધ્યાય-૨૦૬-પતિવ્રતાનું આખ્યાન-કૌશિકની કથા 


II मार्कण्डेय उवाच II कश्चिद्द्विजातिप्रवरो वेदाध्यायी तपोधन: I तपस्वी धर्मशीलश्च कौशिको नाम भारत II १ II

માર્કંડેય બોલ્યા-હે ભારત,કૌશિક નામે એક બ્રાહ્મણ હતો કે જે તપસ્વી,ધર્મશીલ હતો.તેણે ઉપનિષદો સાથે વેદોનું અધ્યયન કર્યું હતું.એક વાર તે કોઈ ઝાડના નીચે બેસીને વેદ ભણી રહ્યો હતો,ત્યારે તે ઝાડ પર બેસેલી એક બગલીએ તે બ્રાહ્મણની પર અઘાર કરી,કે જેથી તે બ્રાહ્મણ ક્રોધે ભરાયો અને બગલીનું અનિષ્ટ ચિંતન કરીને તેની સામે જોયું કે તરત જ તે બગલી,નિષ્પ્રાણ થઈને ધરતી પર પડી.તેને જોઈને બ્રાહ્મણ દયાથી સંતાપ કરવા લાગ્યો કે-'અરે રે,રોષ અને રાગમાં આવી જઈને મેં આ ભૂંડું કામ કરી નાખ્યું '(6)

Apr 17, 2024

ફૂલોને-By અનિલ શુક્લ


જરા સુગંધ જ લઇ ગયો,પવન,તો અકળાઈ કેમ જાઓ? તમે ફૂલો?
અસ્તિત્વ તમારું તો એનાથી જ છે,તેનાથી જ તો તમે ફૂલો ફાલો !

ના થશે ઓછું વજન,તમારું,જો સુગંધ ને લઇ ગયો પવન, ઓ ફૂલો,
પણ જુઓ ,અસ્તિત્વ તમારું એ સર્વ જગતમાં જાહેર કરી રહ્યો ફૂલો.

આસાન નથી મળવી આવી વફાદારી,જગતમાં વિચાર કરો,ફૂલો,
બાકી,તો ત્યજી દો છો,તમારા સ્થાન ને જ્યાં તમે ફાલ્યાં હતાં ફૂલો.

મૌન બની ફરી રહ્યો,સંગાથમાં રહી સર્વની,સુગંધ પ્રસરાવી તે રહ્યો,
પ્રાણ બનીને પવન,જગતના જીવનને,મહેકાવી, પ્રસારી રહ્યો,ફૂલો.

અનિલ શુક્લ
૨૨.નવેમ્બર,૨૦૧૬

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-489

 

અધ્યાય-૨૦૫-પતિવ્રતાનું માહાત્મ્ય 


II वैशंपायन उवाच II ततो युधिष्ठिरो राजा मार्कण्डेयं महाध्युतिम् I पप्रच्छ भरतश्रेष्ठ धर्मप्रश्नं सुदुर्विदम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,હે ભરતશ્રેષ્ઠ,યુધિષ્ઠિરે મહાકાંતિવાળા માર્કંડેયને સહેજે ન સમજી શકાય એવો આ ધર્મપ્રશ્ન પૂછ્યો કે-'હે ભગવન,હું સ્ત્રીઓનું ઉત્તમ માહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું તે યથાર્થ કહો.સૂર્ય,ચંદ્ર,વાયુ,પૃથ્વી,પિતા,

માતા,ગુરુ અને જે કોઈને દેવ કહેવામાં આવે છે,તે આ લોકમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે.સર્વ ગુરુજનો ને પતિવ્રતા સ્ત્રીઓ માનપાત્ર છે,આ બંનેમાં પતિવ્રતાઓની પતિસેવા મને ભારે કઠણ જણાય છે,કેમ કે તેઓ ઇન્દ્રિયોને વશ રાખી,મનનો નિરોધ કરી,પતિને જ દેવ માનીને તેમના જ ચિંતનમાં રહે છે,વળી તેમને માતપિતાની સેવા પણ કરવાની હોય છે,સ્ત્રીઓના અતિ કઠિન ધર્મ જેવું દુષ્કર હું કશું જોતો નથી.

Apr 16, 2024

સુગંધી પવન-By અનિલ શુક્લ

  

છે પવન તો સુગંધ છે,ને પવન આકાશ મહીં સમાણો,
લથડ્યો પવન જો શ્વાસનો,પૂછશે નહિ કેટલું કમાણો?

પાંગળો પ્રવાસ છે,જીવન-જીવને સમજાતું નથી કેમ?
સરહદ છે મૌનની,પણ કરી વ્યાપાર વાણીનો,ફસાણો.

કહો ભલે,કે ફૂલ છે તો સુગંધ છે,કાં કરો વાત પવનની?
ડૂબ્યાં ફૂલ જો,ભળી સુગંધ પવનમાં,પવન સુગંધ કમાણો.

અનિલ શુક્લ,
જાન્યુઆરી,૨૮,૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com