Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
May 12, 2024
સંબંધો સ્વાર્થના-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-514
અધ્યાય-૨૪૧-ગંધર્વોએ યુદ્ધમાંથી કર્ણને ભગાડ્યો
II वैशंपायन उवाच II ततस्ते सहिताः सर्वे दुर्योधनमुपागमन I अत्रुवन्श्च महाराज यद्चुः कौरव प्रति II १ II
વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,અગ્રણીઓએ પાછા આવી દુર્યોધનને,ગંધર્વોએ કહેલ વચનો કહ્યાં,ત્યારે દુર્યોધન
ક્રોધથી ભરાઈને બોલ્યો-'મારુ અપ્રિય કરનાર તે ગંધર્વોને તમે શિક્ષા કરો.ઇન્દ્ર પણ ક્રીડા કરતા હોય તો પણ શું?'
દુર્યોધનનાં વચનોથી કર્ણ,કૌરવો ને હજારો યોદ્ધાઓ યુદ્ધ માટે સજ્જ થઈને,બળપૂર્વક વનમાં પ્રવેશ્યા.
એટલે ગંધર્વોએ ચિત્રસેનને,આ વિશે નિવેદન કર્યું એટલે તેણે કહ્યું કે-'તે અનાર્યોને શિક્ષા કરો'
May 11, 2024
નાદ અલખનો-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-513
અધ્યાય-૨૩૯-દુર્યોધનનું દ્વૈતવન તરફ પ્રયાણ
II वैशंपायन उवाच II धृतराष्ट्र ततः सर्वे दद्शुर्जनमेजय I पुष्ट्वा सुखमथो राज्ञः पृष्टा राज्ञा च भारतः II १ II
વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,પછી,તે સર્વે ધૃતરાષ્ટ્રને મળ્યા,ને આગળથી ગોઠવી રાખેલા સમંગ નામના ગોવાળે
ધૃતરાષ્ટ્રને નિવેદન કર્યું કે-'અત્યારે ગાયો નજીકમાં જ છે' એટલે શકુનિ ને કર્ણ,ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યા કે-
હે રાજન,હાલમાં ગાયોનાં ધણ,રમણીય ભાગોમાં આવ્યાં છે,તો તેમની નોંધ કરવાનો તથા વાછરડાંને છાપ મારવાનો
આ સમય છે,વળી આ સમયે મૃગયા પણ ઉચિત છે તો દુર્યોધનને વનમાં જવાની રજા આપો'(5)



