અધ્યાય-૨૬૦-મુદ્દગલનો દાનધર્મ
II युधिष्ठिर उवाच II व व्रीहिद्रोण: परित्यक्तः कथं तेन महात्मना I कस्मै दत्तश्च भगवन विधिना केन चात्थ मे II १ II
યુધિષ્ઠિર બોલ્યા-'હે ભગવન,મહાત્મા મુદ્દગલે,કેવી રીતે,કોને ને કયી વિધિથી દ્રોણભેર ડાંગરનું દાન કર્યું હતું?'
વ્યાસ બોલ્યા-હે રાજન,કુરુક્ષેત્રમાં મુદ્દગલ નામના એક ધર્માત્મા હતા.તે જિતેન્દ્રિય,શીલૉંછ વૃત્તિથી રહેતા હતા.
(ખેતરમાં વેરાયેલા કણસલાં ને દાણાઓ વીણી લાવી તે વડે નિર્વાહ કરવો તેને શીલૉંછ (શીલ+ઉંછ) વૃત્તિ કહે છે)
તે નિત્ય (પશુબલિની અપેક્ષા વિનાનો-પૂનમ ને અમાસે) ઇષ્ટિકૃત નામનો યજ્ઞ કરતા હતા.ને પુત્ર તથા પત્ની સાથે તે મુનિ એક એક પખવાડિયે આહાર કરતા.કણકણ ભેગા કરીને,પખવાડિયે તે એક દ્રોણ (બત્રીસ શેર) ડાંગર એકઠી કરતા,ને ઇષ્ટિયજ્ઞમાં તે દેવો ને અતિથિઓને આપ્યા પછી શેષ રહેલું અન્ન અતિથિઓના દર્શન થતાં વૃદ્ધિ પામ્યા કરતું.ને તેથી સેંકડો બ્રાહ્નણો ને પોતે પણ તે અન્નથી પોતાનો દેહનિર્વાહ કરતા.(10)




