અધ્યાય-૨૭૮-મારીચનો વધ ને સીતાહરણ
II मार्कण्डेय उवाच II मारीचस्त्वथ संभ्रातो द्रष्ट्वा रावणमागतम् I पूजयामास सत्कारैः फ़लमुलादिभिस्ततः II १ II
માર્કંડેય બોલ્યા-રાવણને આવેલો જોઈને મારીચ તો ભારે ગભરાઈ ગયો ને ફળમૂળ આદિ આપી તેનો સત્કાર કર્યો.
અને રાવણને કહેવા લાગ્યો કે-'\તારા મુખની કાંતિ હંમેશના જેવી નથી,સર્વ કુશળ છે ને? તારે અહીં આવવા
જેવું શું દુષ્કર કાર્ય આવી પડ્યું છે?કાર્ય ગમે તેવું હોય પણ તે થઇ ગયું છે એમ જ માની લે.(4)




