અધ્યાય-૬૪-ચોથા દિવસની સમાપ્તિ-ભીમનું યુદ્ધ
॥ संजय उवाच ॥ ततो भूरिश्रवा राजन सात्यकी नवभि शरैः I प्राविध्यद्भृश संकृद्वस्तोत्रैरिवमहाद्विपः ॥१॥
સંજયે કહ્યું-પછી,અતિક્રોધાયમાન થયેલા ભૂરિશ્રવાએ,સાત્યકિને નવ બાણોનો પ્રહાર કરીને વીંધ્યો.ત્યારે સામે સાત્યકિએ પણ,ભૂરિશ્રવાને સર્વ લોકના દેખતાં,બાણોનો પ્રહાર કરીને તેને નિવાર્યો.પછી,દુર્યોધન પોતાના ભાઈઓને લઈને ભૂરિશ્રવાનું રક્ષણ કરવા આવી પહોંચ્યો,તો સામે પાંડવો પણ સાત્યકિનું રક્ષણ કરવા આવી પહોંચ્યા ને તેને વીંટળાઈને ઉભા રહ્યા.એ વેળા,ભીમસેન પણ પોતાની ગદા લઈને આવી પહોંચ્યો ને તમારા સર્વ પુત્રોને ઘેરી વળ્યો.તમારો પુત્ર નંદક,હજારો રથો લઈને આવ્યો અને તેણે ભીમસેનની છાતી પર નવ બાણોથી પ્રહાર કર્યો.એટલે ભીમસેન પોતાના શ્રેષ્ઠ રથ પર ચડી ગયો અને વિશોક નામના પોતાના સારથિને કહેવા લાગ્યો કે-




