અધ્યાય-૨૭-સંશપ્તકોનો સંહાર
II संजय उवाच II यन्मां पार्थस्य संग्रामे कर्माणि परिप्रुच्छसि I तछ्रुणुश्व महाबाहो पार्थो यदकरोद्रयो II १ II
સંજય બોલ્યો-હે મહાબાહુ,હવે બીજી બાજુ અર્જુને રણમાં જે કરી દેખાડ્યું હતું તે તમે સાંભળો.ભગદત્તના હાથીની ગર્જનાઓ સાંભળી અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે-'હે મધુસુદન,ત્યાં ભગદત્ત યુદ્ધ કરવા નીકળ્યો હોય તેમ લાગે છે.હાથી પર બેસી યુદ્ધ કરવામાં એ કુશળ છે ને તેનો હાથી પણ સર્વ હાથીઓમાં શ્રેષ્ઠ છે,તેની સામે કોઈ પણ ટક્કર ઝીલે તેમ નથી.તેનો હાથી હથિયારોના મારાને સહન કરનારો છે ને તેને અગ્નિનો સ્પર્શ પણ અસર કરી શકતો નથી.આથી તે એકલો જ આપણા સૈન્યનો ઘાણ કાઢી નાખશે.આપણા બે સિવાય તેને જીતવાને કોઈ સમર્થ નથી,માટે આપણે ત્યાં જઈએ.તે ભગદત્ત પોતાના હાથીના બળથી ગર્વિષ્ઠ થઈ ગયો છે ને પાકી ગયેલી ઉંમરથી તે રૂઢ અહંકારવાળો થયો છે,આજે તેને હું ઇન્દ્રના અતિથિ તરીકે મોકલી દઈશ.'




