માર્કંડેય પુરાણમાં એક કથા છે.રામ-લક્ષ્મણ એક જંગલમાંથી જતાં હતા.એક જગ્યાએ લક્ષ્મણજીની બુદ્ધિ બગડી છે.
Page list
- Try our AI
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jun 28, 2026
ભાગવત રહસ્ય-૧૮૧-Bhgavat Rahasya-181
માર્કંડેય પુરાણમાં એક કથા છે.રામ-લક્ષ્મણ એક જંગલમાંથી જતાં હતા.એક જગ્યાએ લક્ષ્મણજીની બુદ્ધિ બગડી છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1162
અધ્યાય-૧૬૪-સંકુલ યુદ્ધ
II संजय उवाच II प्रकाशिते तदलोके रजसा तमसा वृते I समाजग्मुरथो वीराः परस्परवधैषिण II १ II
સંજય બોલ્યો-સર્વ સ્થળે દીવા પ્રગટાવ્યા,એટલે તુરત અંધકાર અને રજથી છવાઈ ગયેલા એ રણમાં પ્રકાશ પ્રકાશ થઇ રહ્યો.પછી,પરસ્પરનો વધ કરવા ઇચ્છતા સર્વ યોદ્ધાઓ યુદ્ધ માટે સામસામે ધસ્યા.ત્યારે,એ ઘોર રાત્રિના આરંભમાં તમારા પુત્રની આજ્ઞાથી વીર યોદ્ધાઓ સામસામે જુદાં જુદાં યુદ્ધ કરવા મચી પડ્યા હતા.હાથીસવારો હાથીસવારોની સામે,ઘોડેસ્વારો ઘોડેસ્વારોની સામે ને રથી યોદ્ધાઓ રથી યોદ્ધાઓ સામે લડવા લાગ્યા ને જોતજોતામાં તો ત્યાં તે ચતુરંગી સૈન્યનો મહાસંહાર થવા લાગ્યો હતો.સર્વ રાજાઓનો સંહાર કરીને અર્જુન કૌરવોની સેનાને છિન્નભિન્ન કરવા મંડી પડ્યો હતો.
Jun 27, 2026
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1161
અધ્યાય-૧૬૩-રાત્રિયુદ્ધ ચાલુ-દીવા પ્રગટાવ્યા
II संजय उवाच II वर्तमाने तथा युद्धे घोररूपे भयावहे I तमसा संघृते लोके रजसा च महीपते II १ II
સંજય બોલ્યો-હે મહીપતે,જયારે ભયકારી અને ઘોર સ્વરૂપનું એ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે સર્વ લોક અંધકાર અને રજથી ઢંકાઈ ગયો હતો.રણમાં પરસ્પર ગોઠવાયેલા યોદ્ધાઓ એકબીજાને જોઈ શકતા નહોતા,કેવળ અનુમાન અને નામોચ્ચારણ આદિ સંજ્ઞાઓને આધારે જ એ મહાન યુદ્ધ વૃદ્ધિ પામ્યે જતું હતું.અનેક મનુષ્યો,હાથીઓ અને ઘોડાઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો.આ તરફથી દ્રોણાચાર્ય,કર્ણ અને કૃપાચાર્ય ને પેલી તરફથી ભીમ,ધૃષ્ટદ્યુમ્ન ને સાત્યકિ અન્યોન્યના સૈન્યને ખળભળાવી રહ્યા હતા,ને ચોતરફથી સૈન્યનો વિનાશ કરી રહ્યા હતા.અંધારા પ્રદેશમાં સૈનિકો નાસભાગ કરતા હતા અને લગભગ બેભાન જેવા થઇ ગયા હતા.નાસતા નાસતા પણ તેઓ સંગ્રામમાં માર્યા જતા હતા.
Jun 26, 2026
ભાગવત રહસ્ય-૧૭૯-Bhgavat Rahasya-179
૧૧ અધ્યાયથી ૧૫ અધ્યાય સુધી મિશ્ર વાસનાનું વર્ણન છે.
--મનુષ્યની મિશ્ર વાસના છે.-હું સુખ ભોગવીશ અને વધે તો બીજાને આપીશ –તે મિશ્ર વાસના.--સંત ની સદવાસના છે-જાતે દુઃખ ભોગવી બીજાને સુખ આપવું-તે સદવાસના.--રાક્ષસોની અસદવાસના છે-કોઈ કારણ વગર બીજાને દુઃખ-ત્રાસ આપવો-તે અસદવાસના.


