અધ્યાય-૩૦-અધ્યાત્મયોગ (ગીતા-૬-આત્મ-સન્યાસ-યોગ)
श्रीभगवानुवाच--अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः ।स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ॥१॥
શ્રી ભગવાન કહે છે-હે પાર્થ,કર્મના ફળને ન ચાહીને કરવા યોગ્ય કર્મ કરે છે તેજ સંન્યાસી
અને કર્મયોગી છે.કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી તેમજ કેવળ ક્રિયાઓને
ત્યાગનારો પણ સંન્યાસી કે યોગી નથી.(૧)



