અધ્યાય-૯૧-આઠમો દિવસ (ચાલુ) દુર્યોધન અને ઘટોત્કચનું યુદ્ધ
॥ धृतराष्ट्र उवाच ॥ इरावंतं तु निहतं द्रष्ट्वा पार्था महारथाः I संग्रामे किमकुर्वत तन्ममाचक्ष्व संजय ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,એ સંગ્રામમાં અર્જુનના પુત્ર ઈરાવાનને માર્યો ગયેલો જોઈને પાંડવોએ શું કર્યું? તે કહે.
સંજયે કહ્યું-હે રાજા,ઈરાવાનને સંગ્રામમાં મરણ પામેલો જોઈને ભીમપુત્ર ઘટોત્કચ,મોટા શબ્દોથી ગર્જના કરવા લાગ્યો,જે સાંભળીને તમારા સૈન્યના યોદ્ધાઓના શરીરમાં કંપારી છૂટી ગઈ.તેમનાં મન દીન થઇ ગયાં ને આમતેમ નાસવા લાગ્યા.
ઘટોત્કચે તે પ્રમાણે ગર્જના કરીને હાથમાં ઝળહળતું ત્રિશુલ ઊંચું કરીને મહાભયંકર રૂપ ધારણ કર્યું.ને અનેક પ્રકારના હથિયારો અને સ્વરૂપો ધારણ કરનારા રાક્ષસોથી વીંટાઇને તેણે તમારા સૈન્યનો સંહાર કરવા માંડ્યો.





