Nov 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-985

 

અધ્યાય-૧૦૨-ભીમનું પરાક્રમ 


॥ धृतराष्ट्र उवाच ॥ कथं द्रोणे महेष्वासः पांडवश्च धनंजयः I समोयेतुरणे यतौ तावुभौ पुरुशर्षभौ ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-મહાધનુર્ધર દ્રોણાચાર્ય અને અર્જુન એ બંને પુરુષશ્રેષ્ઠો રણસંગ્રામ કરવા કેવી રીતે સજ્જ થયા? દ્રોણાચાર્યને અર્જુન હંમેશાં પ્રિય હતો,તેમ જ અર્જુનને પોતાના ગુરુ દ્રોણાચાર્ય અત્યંત પ્રિય હતા તો પછી સિંહની જેમ ઉત્કટ થયેલા તે બંને મહારથીઓ હર્ષમાં આવી જઈને યુદ્ધ કરવા સામસામા કેવી રીતે સજ્જ થયા? તે મને કહે.

Nov 17, 2025

ભાગવત રહસ્ય-૧-ભાગવત માહત્મ્ય-Bhgavat Rahasya-1


ભાગવત માહાત્મ્ય

પરમાત્મા ના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે.મનુષ્ય જન્મ પ્રભુને પ્રાપ્ત કરવા માટે છે.પ્રભુએ કૃપા કરી માત્ર માનવને જ એક એવી શક્તિ (બુદ્ધિ) આપી છે કે –જો માનવ આ બુદ્ધિનો સદુપયોગ કરી,વિવેકથી (સંયમથી),પવિત્ર જીવન ગાળે તો....મરતાં પહેલા તેને જરૂર પરમાત્મા ના દર્શન થાય...........
માત્ર માનવમાં જ બુદ્ધિ-શક્તિ હોવાથી તે આત્મ-સ્વરૂપને પરમાત્મ-સ્વરૂપને ઓળખી લઇ,પરમાત્માના દર્શન કરી શકે છે.માનવ ધારે તો પાપ છોડી શકે છે.પણ પશુ પાપ છોડી શકતા નથી.પશુ પાપ કરે છે, પણ તેમને-અજ્ઞાન-હોવાથી,પરમાત્મા તેના પાપ માફ કરે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-984

 

અધ્યાય-૧૦૧-નવમો દિવસ (ચાલુ) અલંબુશ તથા અભિમન્યુની ઝપાઝપી 


॥ धृतराष्ट्र उवाच ॥ आर्जुनिं समरे शूरं विनिघ्नन्तं महारथान I अलम्बुष: कथं युद्धे प्रत्ययुध्यत संजय ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,એ યુદ્ધમાં અભિમન્યુ સામે તે રાક્ષસ અલંબુશે કેવી રીતે યુદ્ધ કર્યું?વળી,એ યુદ્ધમાં 

મારાં સૈન્યોએ શું કર્યું? અર્જુન-આદિ પાંડવોએ કેવું યુદ્ધ કર્યું? તે સર્વ મને કહી સંભળાવ,તું બહુ જ કુશળ છે.

Nov 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-983

 

અધ્યાય-૧૦૦-નવમો દિવસ (ચાલુ) અભિમન્યુનો ઝપાટો 


॥ संजय उवाच ॥ अभिमन्यु रथोदारः पिशन्गैस्तुरगौतमेः I अभिदुद्राव तेजस्वी दुर्योधनबलंमहत् ॥१॥

મહારથી ને તેજસ્વી અભિમન્યુ,પીળા રંગના ઉત્તમ ઘોડાઓવાળા રથમાં બેસીને દુર્યોધનના મહાન સૈન્ય સામે ધસી આવ્યો.બાણોનો વરસાદ વરસાવતા,તેને કોઈ પણ યોદ્ધાઓ અટકાવી શક્યા નહિ.તે અર્જુનપુત્ર,રથીઓ સહીત રથોને,ઘોડેસ્વારો સહીત ઘોડાઓને ને માવતો સહીત હાથીઓને મારી તોડી પાડતો હતો.જેમ,વાયુ રૂના ઢગલાને ચારે બાજુ ઉરાડી મૂકે તેમ,તે અભિમન્યુએ તમારા સૈન્યોને ચારે દિશામાં નસાડી મૂક્યાં.તેને કોઈ પણ યોદ્ધાઓ સહન કરી શક્યા નહિ.કૃપ,દ્રોણ,અશ્વત્થામા,બૃહદબલ અને જયદ્રથને મોહ પમાડી દઈ,ઘણી ઝડપથી અભિમન્યુ સૈન્યમાં ઘૂમી રહ્યો હતો.

Nov 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-982

 

અધ્યાય-૯૯-નવમો દિવસ-વ્યૂહરચના 


॥ संजय उवाच ॥ ततः शांतनवो भीष्मो निर्ययौ सहसेनया I व्यूहं चाव्युहत महत्सर्वतो भद्र्मात्मनः ॥१॥

સંજયે કહ્યું-પછી,શાન્તનુકુમાર ભીષ્મ,સૈન્ય સહિત આગળ નીકળ્યા.એ વેળા એમણે સર્વતોભદ્ર નામનો મહાવ્યૂહ રચ્યો હતો.

હે ભારત,કૃપાચાર્ય,કૃતવર્મા,શૈલ્ય,શકુનિ,જયદ્રથ,સુદક્ષિણ અને તમારા પુત્રો સહીત ભીષ્મ-એ બધા સર્વ સૈન્યોની આગળ થઈને વ્યુહના મોખરામાં ઉભા રહ્યા.તેમ જ દ્રોણ,ભૂરિશ્રવા,શલ્ય ને ભગદત્ત જમણા પડખાંનો આશ્રય કરી ઉભા રહ્યા.અશ્વત્થામા,સોમદત્ત અને અવંતિના બે કુમારો મોટી સેનાને સાથે રાખી વ્યુહના ડાબા પડખે ઉભા રહ્યા હતા.ત્રિગર્તોથી વીંટાયેલો દુર્યોધન વ્યુહના મધ્ય ભાગમાં આવી પાંડવો સામે ઉભો રહ્યો.અલંબુશ ને સૃતાયુષ સર્વ સૈન્યની પાછળ ઉભા રહ્યા.

Nov 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-981

 

અધ્યાય-૯૮-દુર્યોધન પ્રત્યે ભીષ્મવચન 


॥ संजय उवाच ॥ वाक्शल्यैस्तव पुत्रेण सोतिविद्वो महामनाः I दुःखेन महाविष्टो नोवाचाप्रियमन्वपि हता ॥१॥

સંજયે કહ્યું-તમારા પુત્રનાં વચનબાણથી અત્યંત વીંધાયેલા ઉદાર મનવાળા ભીષ્મપિતામહને ઘણું દુઃખ લાગ્યું,પણ તેમણે જરા પણ અપ્રિય વચન કહ્યું નહિ.દુઃખ અને ક્રોધથી યુક્ત થયેલા પિતામહે સર્પની જેમ નિશ્વાસ નાખી લાંબા કાળ સુધી વિચાર કર્યો ને પછી દુર્યોધનને કહ્યું કે-'હે દુર્યોધન,તું શા માટે મને વચનબાણથી વીંધી નાખે છે?હું યથાશક્તિ યુદ્ધમાં જોડાયો છું,હંમેશા તારું પ્રિય કરું છું ને પ્રાણોની આહુતિ આપવા તૈયાર થયો છું.પરંતુ શૂરવીર અર્જુને યુદ્ધમાં ઇન્દ્રનો પણ પરાજય કરીને ખાંડવવનમાં અગ્નિને તૃપ્ત કર્યો હતો તે જ તેના અજિતપણા માટે સંપૂર્ણ પ્રમાણ છે.