અધ્યાય-૧૦૨-ભીમનું પરાક્રમ
॥ धृतराष्ट्र उवाच ॥ कथं द्रोणे महेष्वासः पांडवश्च धनंजयः I समोयेतुरणे यतौ तावुभौ पुरुशर्षभौ ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-મહાધનુર્ધર દ્રોણાચાર્ય અને અર્જુન એ બંને પુરુષશ્રેષ્ઠો રણસંગ્રામ કરવા કેવી રીતે સજ્જ થયા? દ્રોણાચાર્યને અર્જુન હંમેશાં પ્રિય હતો,તેમ જ અર્જુનને પોતાના ગુરુ દ્રોણાચાર્ય અત્યંત પ્રિય હતા તો પછી સિંહની જેમ ઉત્કટ થયેલા તે બંને મહારથીઓ હર્ષમાં આવી જઈને યુદ્ધ કરવા સામસામા કેવી રીતે સજ્જ થયા? તે મને કહે.





