અધ્યાય-૧૦૫-નવમો દિવસ (ચાલુ)-સંકુલ યુદ્ધ
॥ संजय उवाच ॥ द्रष्टा भीष्मं रणे कृद्वं पांडवैरभिसंवृतं I यथा मेधैमहाराज तपांते दिवि भास्करः ॥१॥
સંજયે કહ્યું-હે મહારાજ,એ રણસંગ્રામમાં ક્રોધાયમાન થયેલા ભીષ્મને,જેમ,મેઘમંડળ આકાશમાં સૂર્યને ઢાંકી દે છે તેમ,પાંડવોથી વીંટાયેલા જોઈને દુર્યોધન દુઃશાસનને કહેવા લાગ્યો કે-'ભીષ્મ પિતામહને પાંડવોએ ચારે બાજુથી ઘેરી લીધા છે,માટે એમનું તારે રક્ષણ કરવું એ જ હું મુખ્ય કર્તવ્ય માનું છું.કેમ કે જો તેમનું રક્ષણ થશે તો તે ભીષ્મ,પાંચાલો અને પાંડવોનો નાશ કરશે.વળી,તે આપણું પણ રક્ષણ કરનારા છે,માટે તું સર્વ સૈન્ય લઈને તેમને વીંટાઈ વળી તેમનું રક્ષણ કર' આવી દુર્યોધનની આજ્ઞાથી દુઃશાસન સૈન્ય લઈને ભીષ્મને વીંટાઈને ઉભો રહ્યો.



