Nov 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-988

 

અધ્યાય-૧૦૫-નવમો દિવસ (ચાલુ)-સંકુલ યુદ્ધ 


॥ संजय उवाच ॥ द्रष्टा भीष्मं रणे कृद्वं पांडवैरभिसंवृतं I यथा मेधैमहाराज तपांते दिवि भास्करः ॥१॥

સંજયે કહ્યું-હે મહારાજ,એ રણસંગ્રામમાં ક્રોધાયમાન થયેલા ભીષ્મને,જેમ,મેઘમંડળ આકાશમાં સૂર્યને ઢાંકી દે છે તેમ,પાંડવોથી વીંટાયેલા જોઈને દુર્યોધન દુઃશાસનને કહેવા લાગ્યો કે-'ભીષ્મ પિતામહને પાંડવોએ ચારે બાજુથી ઘેરી લીધા છે,માટે એમનું તારે રક્ષણ કરવું એ જ હું મુખ્ય કર્તવ્ય માનું છું.કેમ કે જો તેમનું રક્ષણ થશે તો તે ભીષ્મ,પાંચાલો અને પાંડવોનો નાશ કરશે.વળી,તે આપણું પણ રક્ષણ કરનારા છે,માટે તું સર્વ સૈન્ય લઈને તેમને વીંટાઈ વળી તેમનું રક્ષણ કર' આવી દુર્યોધનની આજ્ઞાથી દુઃશાસન સૈન્ય લઈને ભીષ્મને વીંટાઈને ઉભો રહ્યો.

Nov 20, 2025

ભાગવત રહસ્ય-૪-Bhgavat Rahasya-4

સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I
તાપત્રયવિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ II
(જે જગતની ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશનો હેતુ છે,તથા જે ત્રણે પ્રકારના તાપોનો નાશ કરવાવાળા છે,એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ)

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-987

 

અધ્યાય-૧૦૪-નવમો દિવસ (ચાલુ) ભીષ્મ અને સાત્યકિનું યુદ્ધ 


॥ संजय उवाच ॥ अर्जुनस्तान्नरव्याघ्रः सुशर्मानुचरान्नृपान I अनयत्प्रेत राजस्य सदनं सायकैः शितैः ॥१॥

સંજયે કહ્યું-પુરુષવ્યાઘ્ર અર્જુને,સુશર્માના અનુચર રાજાઓને તીક્ષ્ણ બાણોનો પ્રહાર કરીને યમરાજને ઘેર વિદાય કરવા માંડ્યા,ત્યારે સુશર્માએ નવ બાણોથી અર્જુનને અને સિત્તેર બાણોથી કૃષ્ણને વીંધ્યા.અર્જુને અનેક બાણો મૂકીને સુશર્માને આગળ વધતો અટકાવીને તેના અનુયાયી યોદ્ધાઓને યમદ્વારમાં મોકલી દીધા.સુશર્માના સૈનિકો પોતાના પરની ભયંકર સ્થિતિ થતાં,પોતાના રથો,ઘોડાઓ અને રથો,ત્યાં રણભૂમિમાં જ છોડીને નાસવા લાગ્યા.ત્રિગર્તરાજ સુશર્માએ તેઓને ઘણા વાર્યા પણ તેઓ ત્યાં ઉભા રહ્યા નહિ.સૈન્યને આમ નાસતું જોઈને દુર્યોધન સર્વ સૈન્ય સહીત ભીષ્મને આગળ કરીને સુશર્માનો જીવ બચાવવા અર્જુન સામે ધસ્યો.પેલી તરફ પાંડવો પણ અર્જુનનું રક્ષણ કરવા આવી પહોંચ્યા,ને તેને વીંટાઈ વળ્યા.

Nov 19, 2025

ભાગવત રહસ્ય-૩-Bhgavat Rahasya-3

મંદિરમાં પ્રભુના દર્શન કર્યા પછી જ્ઞાની પુરુષો જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ભગવત સ્વ-રૂપ નો અનુભવ કરે છે.મન જ્યાં જાય ત્યાં ઈશ્વરનાં દર્શન કરે તે જ ઈશ્વર નું અસાધારણ દર્શન છે.જે પરમાત્મા મારામાં છે - તે સર્વમાં છે ,એ પ્રમાણે સમગ્ર જગત જેને બ્રહ્મ રૂપે દેખાય છે ,તે જ્ઞાની છે.સર્વમાં પરમાત્માનો અનુભવ કરતા તેને પોતાના સ્વ-રૂપમાં પણ પરમાત્માનો અનુભવ થાય છે.જેને પ્રત્યક્ષ દર્શન પણ કહેવાય.ઉપનિષદમાં તેને અપરોક્ષ દર્શન કહે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-986

 

અધ્યાય-૧૦૩-નવમો દિવસ (ચાલુ) સંકુલ યુદ્ધ 


॥ संजय उवाच ॥ मध्यं दिने महाराज संग्रामः समपद्यत I लोकक्षरकरो रौद्रो भीष्मस्य सहसोमकै:॥१॥

સંજયે કહ્યું-હે મહારાજ,બરાબર મધ્યાહ્ન કાળ થયો તે વખતે પિતામહ ભીષ્મ અને સોમક યોદ્ધાઓ વચ્ચે લોકોનો ક્ષય કરનારો રૌદ્ર સંગ્રામ થઇ રહ્યો હતો.ભીષ્મ હજારો બાણોથી પાંડવોની સેનાનો સંહાર કરી રહ્યા હતા.એ જોઈ,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી,

વિરાટરાજા અને દ્રુપદરાજા ભીષ્મ સામા આવી તેમના પર બાણોનો પ્રહાર કરવા લાગ્યા.ત્યારે ભીષ્મે પણ સામે તેમને વીંધ્યા.

શિખંડીએ આવીને જયારે ભીષ્મને વીંધી નાખ્યા-ત્યારે 'આ તો સ્ત્રી છે'એમ મનમાં વિચાર કરીને ભીષ્મે તેના પર પ્રહાર કર્યો નહિ.પછી,ભીષ્મે એક ભલ્લ બાણથી દ્રુપદરાજાના ધનુષ્યને કાપી નાખ્યું ને બીજા બાણો મૂકી તેના સારથિને વીંધી નાખ્યો.

Nov 18, 2025

ભાગવત રહસ્ય-૨-Bhgavat Rahasya-2

પ્રભુ-દર્શનના ત્રણ પ્રકારો શાસ્ત્રમાં દર્શાવ્યા છે.
૧.સ્વપ્ન માં પ્રભુની ઝાંખી થાય તે સાધારણ દર્શન 
૨.મંદિર અને મૂર્તિમાં પ્રભુના દર્શન થાય તે મધ્યમ દર્શન છે.મંદિરમાં પ્રભુના દર્શન મનુષ્ય કરે પણ તેને શાંતિ ક્યાં મળે છે?તેથી સિદ્ધ થાય છે કે ઉત્તમ દર્શન નથી.
૩.પ્રભુનું અપરોક્ષ દર્શન તે ઉત્તમ દર્શન છે.સ્થાવર,જંગમ ,સર્વ મનુષ્યોમાં પરમાત્માના દર્શન થાય, તે ઉત્તમ દર્શન છે.ને પ્રભુનું આ અપરોક્ષ દર્શન કે સાક્ષાત્કાર જયારે થાય ત્યારે જીવન સફળ થાય છે.