અધ્યાય-૧૦૬-નવમો દિવસ સમાપ્ત-અજિત ભીષ્મ
॥ संजय उवाच ॥ ततः पिता तव कृद्वो निशितैः सायकोत्तमैः I आजधान रणे पार्थान्सहसेनान्समंततः ॥१॥
સંજયે કહ્યું-ત્યાર પછી અત્યંત ક્રોધાયમાન થયેલા તમારા પિતા ભીષ્મ,મોટા મોટા તીક્ષ્ણ બાણો વડે પાંડવોને ને તેમની સેનાને ચારે બાજુથી પ્રહાર કરવા માંડ્યા.અનેક બાણો મૂકી તેમણે ભીમ,સાત્યકિ,નકુલ,સહદેવ,યુધિષ્ઠિર અને ધૃષ્ટદ્યુમ્નને વીંધી નાખીને મોટેથી ગર્જના કરી મૂકી.ત્યારે તે સર્વેએ પણ સામે તે પિતામહને,અનેક બાણો મૂકીને વીંધ્યા.દ્રોણાચાર્યે જયારે ભીમ,સાત્યકિ પર બાણોથી પ્રહાર કર્યો ત્યારે તેમણે પણ દ્રોણ સામે પ્રહાર કરીને તેમને વીંધી નાખ્યા.



