Jan 19, 2026

ભાગવત રહસ્ય-૪૦-Bhgavat Rahasya-40

જેનાથી ભગવાન શ્રીકૃષ્ણમાં ભક્તિ થાય-એ-મનુષ્યો માટે શ્રેષ્ઠ ધર્મ છે. ભક્તિ પણ એવી-કે-જેમાં કોઈ પ્રકારની કામના ના હોય અને જે નિત્ય નિરંતર થાય. આવી ભક્તિથી-હૃદય-“આનંદ રૂપ પરમાત્મા” ની પ્રાપ્તિ કરીને-કૃત-કૃત્ય થઇ જાય છે.(ભાગવત-૧-૨-૬)
સૂતજી કહે છે- જીવાત્મા અંશ છે. પરમાત્મા અંશી(જેમાંથી અંશ થાય તે) છે.
આ જીવ કોઈ જીવનો અંશ નથી-જીવ કોઈ જીવનો નથી-જીવ ઈશ્વરનો છે. ઈશ્વરથી વિખુટો પડ્યો છે-તેથી તેની દશા બગડી છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1022

 

અધ્યાય-૧૬-પહેલો દિવસ સમાપ્ત 


II संजय उवाच II तदबलं सुमहदीर्णं त्वदीयं प्रेक्ष्य वीर्यवान I दधारैको रणे राजन वृषसेनोस्त्रमायया II १ II

સંજય બોલ્યો-હે રાજન,તમારા સૈન્યને નાસભાગ થતું જોઈને પરાક્રમી વૃષસેન (કર્ણનો પુત્ર) એકલો જ પોતાની અસ્ત્રકુશળતાથી સર્વને રોકી રહ્યો હતો.તેનાં બાણો દશે દિશામાં જતાં હતાં.ને તેણે ઘાયલ કરેલા રથીઓ અને ઘોડેસ્વારો ટપોટપ પૃથ્વી પર પડતા હતા.ત્યારે નકુલનો પુત્ર શતાનિક તેની સામે ધસી આવ્યો અને દશ નારાચ બાણોથી તેને વીંધી નાખ્યો.સામે વૃષસેને શતાનિકના ધનુષ્યને કાપી નાખ્યું ને તેની ધજાને ઢાળી દીધી એટલે દ્રૌપદીના પુત્રો પોતાના એ ભાઈનું રક્ષણ કરવા માટે ત્યાં ધસી આવ્યા ને બાણોના સમૂહથી તે કર્ણના પુત્રને એકદમ અદશ્ય કરી દીધો.

Jan 18, 2026

ભાગવત રહસ્ય-૩૯-Bhgavat Rahasya-39

વક્તાનો અધિકાર સિદ્ધ થવો જોઈએ –તેમ-શ્રોતાનો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ.શ્રવણ (સાંભળવાના) ના ત્રણ પ્રધાન અંગ છે.
શ્રદ્ધા- શ્રોતાએ શ્રદ્ધા-એકાગ્રતાથી કથા સાંભળવી જોઈએ
જીજ્ઞાસા-શ્રોતામાં જાણવાની –જીજ્ઞાસા- હોવી જોઈએ.(માત્ર કુતુહુલતા ના ચાલે)
નિર્મત્સરતા –શ્રોતાને જગતમાં કોઈ જીવ પ્રત્યે મત્સરભાવ (ઈર્ષા) ના હોવો જોઈએ.

Jan 17, 2026

ભાગવત રહસ્ય-૩૮-Bhgavat Rahasya-38

ઋષિ મુનિઓએ એક વખત ભગવાનને પૂછ્યું-કે-અમને કોઈ સાત્વિક જગ્યા બતાવો. જે ભૂમિ અમને ભજનમાં સાથ આપે.પરમાત્માએ ઋષિ મુનિઓને એક ચક્ર આપ્યું. અને કહ્યું-આ ચક્ર જ્યાં સ્થિર થાય-ત્યાં તપ કરજો.ઋષિ મુનિઓ ચક્ર લઇ ચાલ્યા છે. ફરતાં-ફરતાં નૈમિષારણ્યની ભૂમિ પર આવ્યા છે. ત્યાં ચક્ર સ્થિર થયું.સુધી મુનિઓએ આ ભૂમિ પર તપ કર્યું છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1021

 

અધ્યાય-૧૫-શલ્યને રણમાંથી દૂર લઇ જવો 


 II धृतराष्ट्र उवाच II बहूनि सुविचित्राणि द्वन्द्वयुद्धामि संजय I त्वयोक्तानि निशम्याहं स्पृहयामि स्वचक्षुपाम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,તેં અનેક પ્રકારના અદભુત દ્વંદ્વયુદ્ધો મને કહ્યાં તે સાંભળીને,હું ચક્ષુવાળા મનુષ્યોના 

દૃષ્ટિસુખને ઈચ્છું છું.લોકમાં આશ્ચર્યરૂપ એવા આ કૌરવ-પાંડવના યુદ્ધને મનુષ્યો ગાયા જ કરશે.આ યુદ્ધને 

સાંભળતાં મને તૃપ્તિ થતી જ નથી માટે તું હવે શલ્ય અને અભિમન્યુના યુદ્ધ વિષે આગળ કહી સંભળાવ.

Jan 16, 2026

ભાગવત રહસ્ય-૩૭-Bhgavat Rahasya-37

ચાંગદેવ પોતે પ્રાપ્ત કરેલ યોગ સિધ્ધીના બળે ૧૪૦૦ વર્ષ જીવ્યા હતા. મૃત્યુને ચૌદ વખત તેઓએ પાછું ઠેલ્યું હતું. તેઓ સિધ્ધિઓમાં ફસાયેલા હતા. તેમને પ્રતિષ્ઠા નો મોહ હતો.તેઓએ જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી. ચાંગદેવ જ્ઞાનેશ્વર –માટે મત્સર(ઈર્ષા) કરવા લાગ્યા.કે-આ બાળક શું મારાં કરતાં પણ વધ્યો ? જ્ઞાનેશ્વરની ઉંમર સોળ વર્ષની-તે વખતે - હતી.