જે ભીષ્મ પિતાએ-પોતાને બાણ માર્યા છે-તેના અંત કાળે તેમની પાસે ગયા છે.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Feb 1, 2026
ભાગવત રહસ્ય-૫૨-Bhgavat Rahasya-52
જે ભીષ્મ પિતાએ-પોતાને બાણ માર્યા છે-તેના અંત કાળે તેમની પાસે ગયા છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1034
અધ્યાય-૨૮-કાળના મુખમાં ભગદત્ત
II संजय उवाच II यियासतस्तत: कृष्णः पार्थस्याश्वान्मनोजवान I संप्रेपिद्वेमसंछन्नान् द्रोणानिकाय सत्वरन् II १ II
સંજય બોલ્યો-એ પ્રમાણે અર્જુને જયારે ભગદત્ત તરફ જવાની ઈચ્છા કરી ત્યારે શ્રીકૃષ્ણે,અર્જુનના મન સમાન વેગવાળા તથા સુવર્ણના સાજથી ઢંકાયેલા ઘોડાઓને ઘણી ઝડપથી દ્રોણના સૈન્ય તરફ હાંક્યા.દ્રોણાચાર્યે દુઃખી કરેલા પોતાના ભાઈઓને સહાય કરવા માટે જયારે અર્જુને પ્રયાણ કર્યું ત્યારે સુશર્મા પોતાના ભાઈઓ સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી તેની પાછળ પડ્યો.તે જોઈ અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે-'હે અચ્યુત,એક તરફ ભાઈઓ સહીત આ સુશર્મા મને યુદ્ધ કરવા બોલાવે છે અને બીજી તરફ યુધિષ્ઠિરના સૈન્યનો સંહાર થઇ રહ્યો છે,આજે મારુ મન આ સંશપ્તકોને લીધે બે સ્થળે વહેંચાઈ ગયું છે,આ સંબંધમાં તમારો શું મત છે?કયા કાર્યમાં મારુ કલ્યાણ રહેલું છે?તે તમે જાણો છો માટે તમે જ કહો'
Jan 31, 2026
ભાગવત રહસ્ય-૫૧-Bhgavat Rahasya-51
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1033
અધ્યાય-૨૭-સંશપ્તકોનો સંહાર
II संजय उवाच II यन्मां पार्थस्य संग्रामे कर्माणि परिप्रुच्छसि I तछ्रुणुश्व महाबाहो पार्थो यदकरोद्रयो II १ II
સંજય બોલ્યો-હે મહાબાહુ,હવે બીજી બાજુ અર્જુને રણમાં જે કરી દેખાડ્યું હતું તે તમે સાંભળો.ભગદત્તના હાથીની ગર્જનાઓ સાંભળી અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે-'હે મધુસુદન,ત્યાં ભગદત્ત યુદ્ધ કરવા નીકળ્યો હોય તેમ લાગે છે.હાથી પર બેસી યુદ્ધ કરવામાં એ કુશળ છે ને તેનો હાથી પણ સર્વ હાથીઓમાં શ્રેષ્ઠ છે,તેની સામે કોઈ પણ ટક્કર ઝીલે તેમ નથી.તેનો હાથી હથિયારોના મારાને સહન કરનારો છે ને તેને અગ્નિનો સ્પર્શ પણ અસર કરી શકતો નથી.આથી તે એકલો જ આપણા સૈન્યનો ઘાણ કાઢી નાખશે.આપણા બે સિવાય તેને જીતવાને કોઈ સમર્થ નથી,માટે આપણે ત્યાં જઈએ.તે ભગદત્ત પોતાના હાથીના બળથી ગર્વિષ્ઠ થઈ ગયો છે ને પાકી ગયેલી ઉંમરથી તે રૂઢ અહંકારવાળો થયો છે,આજે તેને હું ઇન્દ્રના અતિથિ તરીકે મોકલી દઈશ.'
Jan 30, 2026
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1032
અધ્યાય-૨૬-ભગદત્તનું યુદ્ધ
II धृतराष्ट्र उवाच II तेष्वेवं सन्निवृतेषु प्रत्युध्यातेषु भागशः I कथं युयुधिरे पार्या मामकाश्च तरस्विनः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-એ પ્રમાણે જયારે તે પાંડવો યુદ્ધ કરવાને પાછા ફર્યા અને વિભાગ પ્રમાણે સામે ધસી આવ્યા ત્યારે
મારા બળવાન પુત્રો ને કુંતાના પુત્રો કેવી રીતે લડ્યા?વળી,અર્જુને સંશપ્તકો સામે કેવું પરાક્રમ કર્યું હતું તે મને કહે.
સંજય બોલ્યો-આમ જયારે પાંડવો યુદ્ધ કરવા પાછા ફર્યા ત્યારે દુર્યોધન પોતે જ હાથીઓનું સૈન્ય લઈને ભીમ પર ચડી આવ્યો.ને જયારે તેણે ભીમ સામે યુદ્ધનું તેડું કર્યું ત્યારે ભીમ તેની સામે ધસ્યો અને પોતાના બાહુબળથી હાથીઓની સૈન્ય રચનાને વિખેરી નાખી.હાથીઓનો સંહાર કરી રહેલા એ ભીમને જોઈને ક્રોધાયમાન થયેલા દુર્યોધને તેને તીક્ષ્ણ બાણો વડે વીંધવા માંડ્યો,એટલે ભીમે પણ સામે તેના ધ્વજને અને ધનુષ્યને એકદમ કાપી નાખ્યાં.એમ ભીમસેન દુર્યોધનને પીડતો હતો ત્યારે હાથી પર બેઠેલો અંગરાજા ભીમસેનને ક્ષોભ પમાડવા ત્યાં તેની સામે આવી પહોંચ્યો.





