Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Mar 3, 2026
ભાગવત રહસ્ય-૮૧-Bhgavat Rahasya-81
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1063
અધ્યાય-૫૮-શિબિરાજાનું ચરિત્ર
II नारद उवाच II शिबिमौशिनरं चापि मृतं सृंजय शुश्रुम I य इमां पृथिवीं सर्वा चर्मवत पर्यवेष्टयत II १ II
નારદ બોલ્યા-હે સૃન્જય,ઉશીનરના પુત્ર શિબિરાજાને પણ અમે મરેલો સાંભળીએ છીએ.તેણે આખી પૃથ્વીને ચામડાની જેમ,પોતાની સત્તાથી ઘેરી લીધી હતી.એટલું જ નહિ તેણે પર્વત,બેટ,સમુદ્ર અને વન સાથેની આખી પૃથ્વીને પોતાના રથના ઘોષથી ગજાવી મૂકી હતી.તેણે પોતાના મુખ્ય મુખ્ય શત્રુઓનો સંહાર કરીને સંપૂર્ણ રીતે શત્રુજિત થયો હતો.તેણે સંપૂર્ણ દક્ષિણાવાળા અનેક જાતના યજ્ઞો કર્યા હતા.યુદ્ધમાં તે રાજા સર્વ રાજાઓમાં માનીતો થઇ પડ્યો હતો ને આખી પૃથ્વીનો વિજય કરીને ઘણા અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા.તે યજ્ઞોમાં તે જયારે દાન આપવા બેસતો,ત્યારે હાથી,ઘોડા,પશુઓ,ધાન્ય,ગાયો-આદિ સહીત પવિત્ર પૃથ્વીનું પણ તે દાન કરતો હતો.વરસાદની જેટલી ધારાઓ છે,આકાશમાં જેટલા તારાઓ છે,ગંગા નદીમાં જેટલી રેતી છે,મહાસાગરમાં જેટલાં રત્નો છે,તેટલી ગાયોનું દાન તે શિબિએ કર્યું હતું એમ કહેવાય છે.તે રાજાની સમાનતાની ધૂંસરીને વહી શકે તેવો ઉત્તમ નર,ભૂત,ભવિષ્ય કે વર્તમાનકાળમાં પ્રજાપતિને હજુ સુધી સૃષ્ટિમાં મળ્યો નથી.
Mar 2, 2026
ભાગવત રહસ્ય-૮૦-Bhgavat Rahasya-80
વૈષ્ણવ આચાર્યો-પહેલાં દ્વૈતનો નાશ કરી-અદ્વૈતને પ્રાપ્ત કરે છે.ત્યાર બાદ તેઓ કાલ્પનિક દ્વૈત રાખે છે. કે જેથી કનૈયાને-ગોપીભાવે ભજી શકાય. ‘મારે કૃષ્ણ નથી થવું-પણ ગોપી થઇ શ્રીકૃષ્ણની સેવા કરવી છે.’સત્તર તત્વો નું સૂક્ષ્મ શરીર છે. આ સૂક્ષ્મ અને સ્થૂળ –બંને શરીરનો નાશ-તે મુક્તિ. (ગમે તે માર્ગ પસંદ કરો. પણ કોઈ સાધન કરો.)
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1062
અધ્યાય-૫૬-સુહોત્ર રાજાની કથા
II नारद उवाच II सुहोत्रं नाम राजानं मृत सृंजय शुश्रुम I एकविरमशक्यं तममरैरभिविक्षितम् II १ II
નારદ બોલ્યા-હે સૃન્જય,સુહોત્ર નામનો રાજા પણ મરણ પામ્યો હતો,કે જે રાજા આ જગતમાં એકલ વીર હતો અને દેવો પણ તેની સામે જોઈ શકતા નહોતા.તે રાજાએ ધર્મથી રાજ્ય મેળવીને,યાજ્ઞિક બ્રાહ્મણો ને પુરોહિતોના દર્શાવેલા મતમાં જ રહીને રાજ્ય કરતો હતો.પ્રજાનું પાલન,ધર્મ,દાન,યજ્ઞ અને શત્રુઓનો જય-એ રાજકીય આચારોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને તે સુહોત્રરાજા પોતાના રાજ્યમાં ધર્મથી જ ધનની આવક ઈચ્છતો હતો.
Mar 1, 2026
ભાગવત રહસ્ય-૭૯-Bhgavat Rahasya-79
મહારાજ શિલભંજન પર્વત પર તપશ્ચર્યા કરવા ગયા અને અનુષ્ઠાનમાં બેસે છે-ત્યારે એક મોટો નાગ આવે છે અને તેમને કરડવા જાય છે, પરંતુ મહારાજના હાથ નો સ્પર્શ થતાં તે નાગ શાંત થઇ જાય છે.અને પછી તો રોજ આવી ને એકનાથ મહારાજના માથા પર છત્ર ધરે છે. મહારાજને સર્વમાં સર્વેશ્વર દેખાય છે. એકનાથ મહારાજ –પૂર્ણ જ્ઞાની-પૂર્ણ ભક્ત છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1061
અધ્યાય-૫૫-સૃન્જય રાજાની કથા
II संजय उवाच II श्रुत्वा मृत्युममुत्पतिं कर्माण्यनुपमानि च I धर्मराजः पुनरवाक्यं प्रसाधैनमथाब्रवीत II १ II
સંજય બોલ્યો-મૃત્યુની ઉત્પત્તિનું તથા તેનાં અનુપમ કર્મોનું શ્રવણ કરીને ધર્મરાજ વ્યાસજીને પ્રસન્ન કરી પુનઃ બોલ્યા કે-
'હે બ્રહ્મન,પવિત્ર કર્મ કરનારા,ઇન્દ્ર સમાન પરક્રમવાળા,નિર્દોષ,મૌનવ્રતને ધારણ કરનારા એવા મહાન રાજર્ષિઓ સત્યલોક આદિ પવિત્ર શ્રેષ્ઠ સ્થાનોમાં વસે છે,માટે તેવા પ્રાચીન રાજર્ષિઓનાં કર્મોને સત્ય વચનમાં કહીને મારું આશ્વાસન કરો ને મારા ધૈર્યમાં વૃદ્ધિ કરો.તે પ્રાચીન રાજર્ષિઓમાંના કોણે કોણે કેટલી કેટલી દક્ષિણાઓ આપી હતી? તે મને કહો.





