સત્કર્મ કરે પણ તેમાં ભાવ શુદ્ધ ના હોય તો પુણ્ય મળતું નથી,પાપ થાય છે. શુદ્ધ ભાવ રાખવો તે મોટું તપ છે.તેથી- 'સર્વેષામ અવિરેધોન બ્રહ્મ કર્મ સમારભે'-મંત્ર બોલીને દરેક સત્કાર્ય ની શરૂઆત થાય છે.આ જગતમાં મારો કોઈ શત્રુ નથી,દુશ્મન નથી,કોઈએ મારું બગાડ્યું નથી.કોઈ મનુષ્ય મને દુઃખ આપે તે વાત ખોટી છે.કરેલાં કર્મ બધાને ભોગવવાનાં છે. સર્વમાં સદભાવ રાખો,સર્વને સદભાવથી નિહાળો.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 9, 2026
ભાગવત રહસ્ય-૧૧૭-Bhgavat Rahasya-117
સત્કર્મ કરે પણ તેમાં ભાવ શુદ્ધ ના હોય તો પુણ્ય મળતું નથી,પાપ થાય છે. શુદ્ધ ભાવ રાખવો તે મોટું તપ છે.તેથી- 'સર્વેષામ અવિરેધોન બ્રહ્મ કર્મ સમારભે'-મંત્ર બોલીને દરેક સત્કાર્ય ની શરૂઆત થાય છે.આ જગતમાં મારો કોઈ શત્રુ નથી,દુશ્મન નથી,કોઈએ મારું બગાડ્યું નથી.કોઈ મનુષ્ય મને દુઃખ આપે તે વાત ખોટી છે.કરેલાં કર્મ બધાને ભોગવવાનાં છે. સર્વમાં સદભાવ રાખો,સર્વને સદભાવથી નિહાળો.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1099
અધ્યાય-૧૦૩-દુર્યોધનની હાર
II संजय उवाच II एव्मुक्त्वार्जुनं राजा त्रिभिर्मर्मातिगैः शरैः I अभ्यविध्यन्महावैगैश्वतुरो हयान् II १ II
સંજય બોલ્યો-એમ કહીને રાજા દુર્યોધને મર્મને ભેદી નાખે તેવાં ત્રણ બાણોથી અર્જુનને વીંધી નાખ્યો.વળી,ચાર બાણોથી ઘોડાઓને ને દશ બાણોથી વાસુદેવને છાતીમાં વીંધ્યા ને એક બાણથી શ્રીકૃષ્ણના હાથમાં રહેલી ચાબૂકને કાપી નાખી.ત્યારે અર્જુને ક્રોધિત થઈને ચૌદ બાણોનો સામે પ્રહાર કર્યો પણ તે બાણો દુર્યોધનના કવચમાં નિષ્ફળ ગયાં.અર્જુને પુનઃ ચૌદ બાણોનો પ્રહાર કર્યો પરંતુ તે બાણો પણ નિષ્ફળ થઇ પડ્યાં.અર્જુનનાં બાણોને નિષ્ફળ થતાં જોઈને વાસુદેવે કહ્યું-'અરે અર્જુન,તારાં બાણો વ્યર્થ જાય છે આ તે તારી શી ફજેતી?તારા હાથનું ને ગાંડીવનું સામર્થ્ય ક્યાં ગયું છે?'
Apr 8, 2026
ભાગવત રહસ્ય-૧૧૬-Bhgavat Rahasya-116
![]() |
| Photo-By-Anil Shukla |
એક દેશમાં રાજા અને નગરશેઠ વચ્ચે મિત્રતા હતી. બંને રોજ સત્સંગ કરે. નગરશેઠનો ધંધો ચંદનના લાકડાં વેચવાનો હતો.શેઠનો ધંધો બરાબર ન ચાલે. ચાર પાંચ વર્ષથી ખોટ જતી હતી.એક દિવસ મુનીમે કહ્યું-ચંદનના લાકડાં સડે છે,કોઈ બગડેલો માલ લેતું નથી, જો આ વર્ષે પૂરતા પ્રમાણમાં ચંદન નહિ ખપે તો પેઢી ડૂબી જશે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1098
અધ્યાય-૧૦૨-શ્રીકૃષ્ણ અને અર્જુનની વાતચીત
II वासुदेव उवाच II दुर्योधनमतिक्रांतमेनं पश्य धनंजय I अत्यद्भुतमिमं मन्ये नास्तस्य सदशो रथः II १ II
વાસુદેવ બોલ્યા-હે અર્જુન,જો,આ દુર્યોધન સર્વને ઉલ્લંઘીને અહીં આવી પહોંચ્યો છે,હું આને અદભુત માનું છું,એના સરખો બીજો કોઈ મહારથી નથી.તે દૂર સુધી બાણો ફેંકનારો,મહાધનુર્ધર,અસ્ત્રકુશળ ને તરેહ તરેહનાં યુદ્ધ કરી જાણે છે.તે પ્રથમથી જ અત્યંત સુખમાં ઉછરીને મોટો થયો છે,સર્વ વાતે કુશળ છે અને નિત્ય બાંધવોનો દ્વેષ કરે છે.મને લાગે છે કે તારું અને તેનું આ યુદ્ધ સમયને યોગ્ય છે.આ વેળા,તું ચિરકાળથી એકઠા કરેલા ક્રોધરૂપ ઝેરને વરસાવ,આ દુર્યોધન જ સર્વ અનર્થોનું મૂળ છે.તું આજે તારા આત્માની સફળતા જ માનજે કારણકે આ દુર્યોધન આજે તારા બાણોનો વિષય થયો છે.બાકી આ રાજ્યલોભી,તારી સાથે યુદ્ધ કરવા આવે શાનો?આજે તે તારા બાણોના લક્ષ્યમાં આવી ઉભો છે તે બહુ સારું થયું છે.
Apr 7, 2026
ભાગવત રહસ્ય-૧૧૫-સ્કંધ-૪-Bhgavat Rahasya-115
પ્રથમ સ્કંધમાં અધિકારલીલાનું વર્ણન કર્યું. ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ ? વગેરે બતાવ્યું.દ્વિતીય સ્કંધ એ જ્ઞાન-લીલા છે. મરણ સમીપ હોય ત્યારે કેમ જીવવું? મનુષ્યનું કર્તવ્ય શું ?વગેરે જ્ઞાનનું વર્ણન કર્યું.ત્રીજો સ્કંધ સર્ગ-લીલા છે. જ્ઞાન કેવી રીતે જીવનમાં ઉતારવું,અને જગતની ઉત્પત્તિનું વર્ણન છે.ચોથો સ્કંધ ને વિસર્ગ-લીલા કહે છે.ચાર પુરુષાર્થની કથા આમાં છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1097
અધ્યાય-૧૦૧-દુર્યોધન યુદ્ધ કરવા આવી પહોંચ્યો
II संजय उवाच II स्त्रंसंतं इव मज्जानस्तावकानां भयान्नृप I तौ द्रष्ट्वा समतिक्रान्तौ वासुदेवधनंजयौ II १ II
સંજય બોલ્યો-હે રાજા,શ્રીકૃષ્ણ અને અર્જુનને સૈન્યનું ઉલ્લંઘન કરી આવેલા જોઈને તમારા પુત્રોની મજ્જાઓ જાણે ભયને લીધે નરમ પડી ગઈ.આમ છતાં તેઓ લજ્જાને અને વૈર્યને લીધે સ્થિર થઈને ઉભા રહ્યા અને અર્જુનની સામે જવા લાગ્યા.જે વખતે અર્જુન દ્રોણાચાર્યના સૈન્ય સામે હતો ત્યારે તમારા પક્ષના યોદ્ધાઓ એમ જ માની બેઠા હતા કે તે દ્રોણનું ઉલ્લંઘન કરીને આવી શકશે નહિ.પણ અર્જુન જયારે દ્રોણના સૈન્યને ઉલ્લંઘી આગળ આવ્યો ત્યારે તેઓએ જયદ્રથના જીવિતની આશા રાખી નહિ.વળી,જયારે અર્જુન કૃતવર્માનાં સૈન્યને પણ ઉલ્લંઘીને આગળ વધ્યો ત્યારે તો સર્વને જયદ્રથના વધ વિષે શંકા રહી નહિ.એ વેળા અર્જુન અને શ્રીકૃષ્ણ,જયદ્રથનો વધ કરવાના સંબંધમાં પરસ્પર વાત કરતા હતા.





