May 1, 2026

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1121

 

અધ્યાય-૧૨૫-બૃહત્ક્ષત્ર,ધૃષ્ટકેતુ,જરાસંઘનો પુત્ર ને ક્ષત્રધર્મા પડ્યા 


II संजय उवाच II अपराहणे महाराज संग्रामः सुमहानभूत I पर्जन्यसंनिर्घोषः पुनर्द्रोणस्य सोमकैः II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,તે દિવસે બરાબર દિવસના પાછળ ભાગમાં દ્રોણાચાર્ય અને સોમક યોદ્ધાઓ વચ્ચે મહાન સંગ્રામ થઇ રહ્યો હતો.હે રાજા,પોતાના પાંચે ભાઈઓમાં શ્રેષ્ઠ કેકયોનો મહારથી બૃહત્ક્ષેત્ર દ્રોણાચાર્ય સામે ચઢી આવ્યો ને દ્રોણ પર તીક્ષ્ણ બાણો વરસાવી દ્રોણને અત્યંત પીડાવા માંડ્યો હતો.દ્રોણાચાર્યે તેના પર સર્પના જેવા પંદર બાણો ફેંક્યા કે જે બાણોને બૃહત્ક્ષેત્રે વચમાં જ ટુકડા કરી નાખ્યા.બંને વચ્ચે ઘોર સંગ્રામ શરુ થયો હતો.

Apr 30, 2026

ભાગવત રહસ્ય-૧૩૮-Bhgavat Rahasya-138

નારિયેર માં કાચલી અને કોપરું જુદાં છે.છતાં જ્યાં સુધી –નારિયેરમાં પાણી છે-ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી.શરીર એ કાચલી છે, શરીરમાં રહેલ જીવાત્મા એ કોપરા જેવો છે –અને પાણી એ વિષયરસ છે.જ્યાં સુધી વિષયરસ છે,આસક્તિ છે-ત્યાં સુધી આત્મા શરીરથી છુટો પડતો નથી. છુટો પડવો કઠણ છે.જેનો વિષયરસ તપ,ભક્તિ અને જ્ઞાનની મદદથી સુકાઈ જાય તે જ આત્માને શરીર થી છુટો પાડી શકે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1120

 

અધ્યાય-૧૨૪-તુમુલ યુદ્ધ 


II धृतराष्ट्र उवाच II किं तस्या मम सेनायां नासन् केचिन्म्हरथाः I ये तथा सात्यकिं यांतं नैवाघ्नन्नाप्यवारयन II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-શું મારી સેનામાં તેવા કોઈ મહારથી ન હતા કે તેઓ આમ નિર્ભય થઈને ચાલ્યા જતા સાત્યકિને મારી શક્યા નહિ? હે સંજય,તું મને કહે છે તે પ્રમાણે યાદવવીર સાત્યકિએ રણમાં જે પરાક્રમ કર્યું હતું તે કરવાને ઇન્દ્ર પણ ઉત્સાહ કરી ન શકે.ખરેખર યાદવો ને અંધકોના વીર સાત્યકિનું પરાક્રમ અચિંત્ય ને માનવામાં ન આવે તેવું છે.તારા કહેવા પ્રમાણે હવે મને લાગે છે કે મારા પુત્રો આ જગતમાં નથી જ કારણકે તે એકલા સાત્યકિએ જ મારી ઘણી સેનાનો સંહાર કરી નાખ્યો છે.એટલા બધા યોદ્ધાઓ હતા તે છતાં,સાત્યકિ તેમની વચ્ચેથી કેવી રીતે પસાર થઇ ગયો હતો તે તું મને કહે.

Apr 29, 2026

ભાગવત રહસ્ય-૧૩૭-Bhgavat Rahasya-137

Photo by -Anil Shukla 
પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે-મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી તેમ છતાં તેમણે લગ્ન કેમ કર્યું ? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં-તેમને કેવી રીતે શ્રીકૃષ્ણમાં દૃઢ ભક્તિ થઇ ? 
શુકદેવજી કહે છે-ગૃહસ્થને ઘરમાં વિષમતા કરવી પડે છે.શત્રુ,મિત્ર,ચોર,શેઠ –સર્વમાં સમભાવ રાખવો અઘરો હોય છે.ગૃહસ્થ સર્વમાં સમભાવ રાખી શકતો નથી. (ભક્તિમાં –સર્વમાં સમભાવ રાખવાની શર્ત –પહેલી છે)

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1119

 

અધ્યાય-૧૨૩-દુઃશાસનનો પરાજય 


II संजय उवाच II ततो दुःशासनो राजन शैनेयं समुपाद्रवत I किरन शरसहस्त्राणि पर्जन्य इव वृष्टिमान II १ II

સંજય બોલ્યો-હે રાજન,તે પછી,વૃષ્ટિવાળા મેઘની જેમ હજારો બાણોને છોડતા દુઃશાસને સાત્યકિ સામે ધસારો કર્યો ને અનેક દેશોના રથસમુદાય વડે તેને ચારે બાજુથી ઘેરી લઈને અનેક બાણોથી તેને વીંધી નાખ્યો.સામે સાત્યકિએ જરા પણ ગભરાયા વિના,ગર્જના કરીને ભયકંર બાણવર્ષા કરીને તે સર્વ સૈન્યને છાઈ દીધું.બાણોથી ઢંકાઈ ગયેલ તે સૈન્યના યોદ્ધાઓ નાસભાગ કરવા લાગ્યા ત્યારે એકલો દુઃશાસન નિર્ભય થઈને સાત્યકિ સામે ઉભો રહ્યો ને બાણો મૂકીને તેને પીડવા લાગ્યો.