Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
May 21, 2026
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1137
અધ્યાય-૧૪૦-રાજેન્દ્ર અલંબુષનો વધ
II धृतराष्ट्र उवाच II अहन्यहनि मे दीप्तं यशः पतति संजय I हता मे वहवो योधा मन्ये कालस्य पर्ययम II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,દિવસે દિવસે મારો ઉજ્જવળ યશ નાશ પામતો જાય છે ને મારા ઘણા યોદ્ધાઓ માર્યા ગયા છે આથી હું માનું છું કે મારો કાળ પલટાયો છે.અશ્વત્થામા ને કર્ણના રક્ષણ તળે રહેલા અને દેવોને પણ દુર્ગમ એવા મારા સૈન્યમાં અર્જુન,સાત્યકિ ને ભીમ પેસી ગયા છે.તેમના પરાક્રમને વૃદ્ધિ પામતું હું સાંભળું છું ત્યારે શોકાગ્નિ મને બાળી રહ્યો છે.જયદ્રથ સહીત સર્વ રાજાઓને હું કાળથી ગ્રસિત થયેલા જ જોઉં છું.હવે આગળ થયેલા યુદ્ધનું તું મને યથાર્થ કહી સંભળાવ.
May 20, 2026
ભાગવત રહસ્ય-૧૫૪-Bhgavat Rahasya-154
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1136
પછી,કોપેલા ભીમસેને છોડેલાં બાણોનું સામે વારણ કરીને,કર્ણે મજબૂત ગાંઠાવાળાં કેટલાંક બાણો છોડીને,ભીમસેનના ધનુષ્યની દોરીને,ભાથાઓને,ઘોડાઓની લગામને જોતજોતામાં કાપી નાખીને તેના ઘોડાઓને પણ મારી નાખ્યા ને તેના સારથિને વીંધી નાખ્યો ત્યારે સારથિ ત્યાંથી ખસી જઈને એકદમ યુધામન્યુનાં રથ તરફ ચાલ્યો ગયો.ધનુષ્ય રહિત થયેલા ભીમસેને રથશક્તિ ગ્રહણ કરીને કર્ણના રથ સામે ફેંકી.કે જેને કર્ણે અધવચ્ચે જ તોડી પાડી.હવે ભીમસેને ઢાલ તલવાર હાથમાં લીધી.કર્ણે તે ઢાલના ટુકડા કરી દીધા એટલે ભીમે,તાકીને કર્ણના રથ સામે તલવાર ફેંકી,કે જેણે કર્ણના ધનુષ્યને કાપી નાખ્યું.
May 19, 2026
ભાગવત રહસ્ય-૧૫૩-Bhgavat Rahasya-153
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1135
અધ્યાય-૧૩૯-ભીમસેન કર્ણની ભયંકર ઝપાઝપી
II संजय उवाच II ततः कर्णो महाराज भीमं विध्वा त्रिभिः शरैः I मुमोच शरवर्षाणि विचित्राणि बहूनि च II १ II
સંજય બોલ્યો-પછી,હે મહારાજ,કર્ણે ભીમસેનને ત્રણ બાણોથી વીંધ્યો અને અનેક વિચિત્ર બાણોની વૃષ્ટિ છોડવા માંડી.તેમ છતાં,ભીમ જરાયે વ્યથા પામ્યો નહિ અને એક તીક્ષ્ણ કર્ણ આકારના બાણ વડે,કર્ણના કાન પર અતિ પ્રહાર કરીને તેના કુંડળને જમીન પર પાડી દીધું,ને એક બીજા ભલ્લ બાણ વડે તેની છાતી પર સખ્ત પ્રહાર કર્યો.પછી,એક બાણથી તેના લલાટને ચીરી નાખ્યું.આમ અત્યંત વીંધાયેલો,લોહીલુહાણ થયેલો કર્ણ,રથના ઊંટડાની સહાય લઈને આંખ મીંચી ગયો.એક મુહૂર્ત કાલે જયારે તેને ભાન આવ્યું ત્યારે તેને અતિ ક્રોધ ચડ્યો,ને અતિવેગપૂર્વક તેણે ભીમના રથ પર ધસારો કર્યો.





