અધ્યાય-૫-કૌરવ પક્ષના મરણ પામેલા મહારથીઓ
II वैशंपायन उवाच II इति श्रुत्वा महाराज धृतराष्ट्रोम्बिकासुतः I अब्रवीत संजयं सूतं शोकसंविज्ञमानसः II १ II
વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,આ સાંભળીને અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્ર શોકથી વિહવળ મનવાળા થઇ ગયા ને સંજયને કહેવા લાગ્યા કે-'હે સંજય,મારી દુષ્ટ નીતિને પરિણામે જ મારો પુત્ર દુર્યોધન અલ્પાયુષી થયો છે.કર્ણ અને દુઃશાસનને મરણ પામેલા સાંભળીને મને અત્યંત શોક થાય છે ને તે મારુ કલેજું કાપી નાખે છે તો પણ હું હજી આ દુઃખના પારને તરી જવા ઈચ્છું છું માટે મારા સંશયને દૂર કર ને કૌરવ તથા પાંડવોમાં કયા કયા મહારથીઓ જીવે છે?ને ક્યા મરી ગયા છે તે મને કહે'





