Jun 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-840

 

અધ્યાય-૧૮૬-અંબાની તપશ્ચર્યા 


II राम उवाच II प्रत्यक्षमेतल्लोकानां सर्वेषामेव भाविनि I यथाशक्त्य मया युद्धं कृतं वै पौरषं परम् II १ II

પરશુરામે કહ્યું-'હે ભાવિની કન્યા,આ સર્વ લોકની સમક્ષ મેં મારી શક્તિ પ્રમાણે યુદ્ધ કરીને મારું ઉત્તમ પરાક્રમ કરી દેખાડ્યું છે.મેં સર્વ અસ્ત્રો પ્રગટ કર્યાં છતાં હું ભીષ્મથી ચઢિયાતો થવા સમર્થ થતો નથી.મારી પરમ શક્તિ ને બળ એ જ છે માટે હે કલ્યાણી,હવે તું તારી ઇચ્છામાં આવે ત્યાં જા અથવા બોલ,હું તારું બીજું શું કામ કરું? હું તો કહું છું કે તું ભીષ્મને જ શરણે જા,તે વિના તારી બીજી કોઈ ગતિ નથી.તારું આ કામ કરવા હું અસમર્થ છું.'

Jun 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-839

 

અધ્યાય-૧૮૫-યુદ્ધનિવારણ 


II भीष्म उवाच II ततो हलहलाशब्दो दिवि राजन्महानभूत I प्रस्वापं भीष्म मा साक्षिरीति कौरवनन्दन II १ II

ભીષ્મે કહ્યું-હે રાજા,જેવી મેં 'પ્રસ્વાપન'અસ્ત્ર મુકવાની ઈચ્છા કરી,ત્યારે તુરત જ આકાશમાં 'હે ભીષ્મ,તમે 'પ્રસ્વાપન'અસ્ત્રને પ્રગટ કરશો નહિ' એવો હલહલાટ થઇ રહ્યો.તો પણ મેં અસ્ત્ર મુકવાની યોજના કરી ત્યારે તુરત જ નારદમુનિએ મને આવીને કહ્યું કે-'હે કૌરવ્ય,આ દેવગણો તમને આ અસ્ત્રનો પ્રયોગ કરવા વારી રહ્યા છે,માટે તમે આ શસ્ત્રનો પ્રયોગ કરો નહિ.પરશુરામ,તમારા ગુરુ,તપસ્વી,બ્રહ્મવેત્તા ને બ્રાહ્મણ છે,માટે તેમનું કોઈ રીતે તમે અપમાન કરો નહિ.'

Jun 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-838

 

અધ્યાય-૧૮૪-પરસ્પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ 


II भीष्म उवाच II ततो रात्रौ व्यतीतायां प्रतिबुद्धोस्मि भारत I ततः संचित्य स्वप्नमवापं हर्षमुत्तमम II १ II

ભીષ્મે કહ્યું-હે ભારત,પછી,રાત્રિ વીતી ગઈ ને હું જાગ્રત થયો ત્યારે સ્વપ્ન સંભારીને બહુ આનંદ પામ્યો.તે દિવસે યુદ્ધ ચાલુ થયું ત્યારે પરશુરામ મારા પર બાણોની વૃષ્ટિ કરી એટલે મેં પણ સામે બાણો છોડીને તેનું નિવારણ કરવા માંડ્યું.ક્રોધે ભરાઈને તેમણે,વજ્ર જેવી શક્તિનો મારી હાંસડી પર પ્રહાર કર્યો,જેના ઘામાંથી ભયંકર રુધિરધારા વહેવા લાગી.એટલે મેં પણ સામે સર્પના જેવું ઝેરી બાણ છોડ્યું કે જે તેમના લલાટમાં પેસી ગયું.તેમણે પણ ક્રોધથી કાળના જેવું ભયંકર મારી છાતી પર છોડ્યું કે જેનાથી હું રુધિરથી તળબોળ થઈને જમીન પર પડ્યો.થોડીવારે ભાનમાં આવીને મેં તેમની છાતી પર શક્તિનો પ્રહાર કર્યો,કે જેનાથી તે રામ અત્યંત વિહવળ થઇ ગયા ને કંપી ઉઠ્યા.

Jun 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-837

 

અધ્યાય-૧૮૩-ભીષ્મને પ્રસ્વાપનાસ્ત્રની સ્મૃતિ 


II भीष्म उवाच II ततोऽहं निशि राजेन्द्र प्रणम्य शिरसा तदा I ब्राह्मणानां पितृणां च देवतानां च सर्वशं II १ II

ભીષ્મે કહ્યું-હે રાજેન્દ્ર,તે પછી રાત્રે,બ્રાહ્મણોને,પિતૃઓને,દેવ-દેવતાઓને,નિશાચર પ્રાણીઓને અને ક્ષત્રિયોને મસ્તક વડે પ્રણામ કરીને એકાંતમા શયન કરીને મનમાં વિચારવા લાગ્યો કે-'પરશુરામ સાથે મારું આ યુદ્ધ ઘણા દિવસથી ચાલે છે પણ તેમને હું જીતી શકતો નથી,હે દેવતાઓ,જો મારાથી તેમને જીતી શકાય તેમ હો તો મને દર્શન આપો' ત્યારે તે પ્રભાતે જે બ્રાહ્મણો(વસુઓ)એ મારું રક્ષણ કર્યું હતું તેઓએ મને સ્વપ્નમાં દર્શન આપી આશ્વાસન આપ્યું ને કહેવા લાગ્યા કે-

Jun 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-836

 

અધ્યાય-૧૮૨-પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ (ચાલુ)


II भीष्म उवाच II ततः प्रभाते राजेन्द्र सूर्ये विमलतं गते I भार्गवस्य भयासार्ध पुनर्युध्धमववर्तत II १ II

ભીષ્મે કહ્યું-હે રાજેન્દ્ર,બીજે દિવસે પ્રભાતમાં સૂર્યનો સ્વચ્છ પ્રકાશ પડતાં જ મારી સાથે પરશુરામનું યુદ્ધ શરુ થયું.

પરશુરામે રથમાં સ્થિર બેસી,જેમ,મેઘ પર્વત પર વૃષ્ટિ કરે તેમ મારા પર બાણસમૂહની વૃષ્ટિ કરવા લાગ્યા.તે બાણોથી મારો સારથી ઘવાયો ને જમીન પર ગબડી પડ્યો.ને થોડા જ સમયમાં તેણે પ્રાણ છોડી દીધા.મારા સારથિના મરણથી,હું ઉન્મત્ત જેવો થઇ ગયો ને રામના પર બાણ ફેંકવા લાગ્યો.તે વખતે રામે એક મૃત્યુતુલ્ય બાણ મારા પર છોડ્યું,રુધિરપાન કરનારું તે બાણ મારી છાતીમાં વાગ્યું ને મારી સાથે જ તે જમીન પર ઢળી પડ્યું.

Jun 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-835

 

અધ્યાય-૧૮૧-પરશુરામ અને ભીષ્મનું યુદ્ધ (ચાલુ)


II भीष्म उवाच II समागतस्य रामेण पुनरेवातिदारुण I अन्येद्युतमूलं युद्धं तदा भरतसत्त II १ II

ભીષ્મે  કહ્યું-હે ભરતશ્રેષ્ઠ,બીજે દિવસે પણ મારો રામની સાથે સમાગમ થતાં પુનઃ અમારી વચ્ચે અતિભયંકર તુમુલ યુદ્ધ થયું.દિવ્યાસ્ત્રને જાણનારા ધર્માત્મા પરશુરામ રોજ રોજ મારા પર દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ કરવા લાગ્યા.ને હું પણ પ્રાણોની દરકાર ન કરતાં તે અસ્ત્રોને અટકાવતાં,અસ્ત્રોથી નાશ પમાડવા લાગ્યો.પરશુરામનાં લગભગ બધાં જ અસ્ત્રો રોકાઈ જવાથી તેમણે છેવટે અગ્નિ જેવી પ્રજ્વલિત,પ્રદીપ્ત અણીવાળી શક્તિ મારા પર મૂકી,પણ જેને મેં મારા બાણોથી ટુકડા કરી જમીન પર પાડી દીધી.ત્યારે પરશુરામે ક્રોધે ભરાઈને બીજી ભયંકર બાર શક્તિઓ મારા પર ફેંકી.અત્યંત પ્રકાશમાન તે શક્તિઓને જોઈને પ્રથમ તો હું ગભરાયો,પણ તેની સામે બાર બાણ મૂકીને તે શક્તિઓનો નાશ કર્યો.