અધ્યાય-૧૮૬-અંબાની તપશ્ચર્યા
II राम उवाच II प्रत्यक्षमेतल्लोकानां सर्वेषामेव भाविनि I यथाशक्त्य मया युद्धं कृतं वै पौरषं परम् II १ II
પરશુરામે કહ્યું-'હે ભાવિની કન્યા,આ સર્વ લોકની સમક્ષ મેં મારી શક્તિ પ્રમાણે યુદ્ધ કરીને મારું ઉત્તમ પરાક્રમ કરી દેખાડ્યું છે.મેં સર્વ અસ્ત્રો પ્રગટ કર્યાં છતાં હું ભીષ્મથી ચઢિયાતો થવા સમર્થ થતો નથી.મારી પરમ શક્તિ ને બળ એ જ છે માટે હે કલ્યાણી,હવે તું તારી ઇચ્છામાં આવે ત્યાં જા અથવા બોલ,હું તારું બીજું શું કામ કરું? હું તો કહું છું કે તું ભીષ્મને જ શરણે જા,તે વિના તારી બીજી કોઈ ગતિ નથી.તારું આ કામ કરવા હું અસમર્થ છું.'