Nov 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-984

 

અધ્યાય-૧૦૧-નવમો દિવસ (ચાલુ) અલંબુશ તથા અભિમન્યુની ઝપાઝપી 


॥ धृतराष्ट्र उवाच ॥ आर्जुनिं समरे शूरं विनिघ्नन्तं महारथान I अलम्बुष: कथं युद्धे प्रत्ययुध्यत संजय ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,એ યુદ્ધમાં અભિમન્યુ સામે તે રાક્ષસ અલંબુશે કેવી રીતે યુદ્ધ કર્યું?વળી,એ યુદ્ધમાં 

મારાં સૈન્યોએ શું કર્યું? અર્જુન-આદિ પાંડવોએ કેવું યુદ્ધ કર્યું? તે સર્વ મને કહી સંભળાવ,તું બહુ જ કુશળ છે.

Nov 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-983

 

અધ્યાય-૧૦૦-નવમો દિવસ (ચાલુ) અભિમન્યુનો ઝપાટો 


॥ संजय उवाच ॥ अभिमन्यु रथोदारः पिशन्गैस्तुरगौतमेः I अभिदुद्राव तेजस्वी दुर्योधनबलंमहत् ॥१॥

મહારથી ને તેજસ્વી અભિમન્યુ,પીળા રંગના ઉત્તમ ઘોડાઓવાળા રથમાં બેસીને દુર્યોધનના મહાન સૈન્ય સામે ધસી આવ્યો.બાણોનો વરસાદ વરસાવતા,તેને કોઈ પણ યોદ્ધાઓ અટકાવી શક્યા નહિ.તે અર્જુનપુત્ર,રથીઓ સહીત રથોને,ઘોડેસ્વારો સહીત ઘોડાઓને ને માવતો સહીત હાથીઓને મારી તોડી પાડતો હતો.જેમ,વાયુ રૂના ઢગલાને ચારે બાજુ ઉરાડી મૂકે તેમ,તે અભિમન્યુએ તમારા સૈન્યોને ચારે દિશામાં નસાડી મૂક્યાં.તેને કોઈ પણ યોદ્ધાઓ સહન કરી શક્યા નહિ.કૃપ,દ્રોણ,અશ્વત્થામા,બૃહદબલ અને જયદ્રથને મોહ પમાડી દઈ,ઘણી ઝડપથી અભિમન્યુ સૈન્યમાં ઘૂમી રહ્યો હતો.

Nov 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-982

 

અધ્યાય-૯૯-નવમો દિવસ-વ્યૂહરચના 


॥ संजय उवाच ॥ ततः शांतनवो भीष्मो निर्ययौ सहसेनया I व्यूहं चाव्युहत महत्सर्वतो भद्र्मात्मनः ॥१॥

સંજયે કહ્યું-પછી,શાન્તનુકુમાર ભીષ્મ,સૈન્ય સહિત આગળ નીકળ્યા.એ વેળા એમણે સર્વતોભદ્ર નામનો મહાવ્યૂહ રચ્યો હતો.

હે ભારત,કૃપાચાર્ય,કૃતવર્મા,શૈલ્ય,શકુનિ,જયદ્રથ,સુદક્ષિણ અને તમારા પુત્રો સહીત ભીષ્મ-એ બધા સર્વ સૈન્યોની આગળ થઈને વ્યુહના મોખરામાં ઉભા રહ્યા.તેમ જ દ્રોણ,ભૂરિશ્રવા,શલ્ય ને ભગદત્ત જમણા પડખાંનો આશ્રય કરી ઉભા રહ્યા.અશ્વત્થામા,સોમદત્ત અને અવંતિના બે કુમારો મોટી સેનાને સાથે રાખી વ્યુહના ડાબા પડખે ઉભા રહ્યા હતા.ત્રિગર્તોથી વીંટાયેલો દુર્યોધન વ્યુહના મધ્ય ભાગમાં આવી પાંડવો સામે ઉભો રહ્યો.અલંબુશ ને સૃતાયુષ સર્વ સૈન્યની પાછળ ઉભા રહ્યા.

Nov 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-981

 

અધ્યાય-૯૮-દુર્યોધન પ્રત્યે ભીષ્મવચન 


॥ संजय उवाच ॥ वाक्शल्यैस्तव पुत्रेण सोतिविद्वो महामनाः I दुःखेन महाविष्टो नोवाचाप्रियमन्वपि हता ॥१॥

સંજયે કહ્યું-તમારા પુત્રનાં વચનબાણથી અત્યંત વીંધાયેલા ઉદાર મનવાળા ભીષ્મપિતામહને ઘણું દુઃખ લાગ્યું,પણ તેમણે જરા પણ અપ્રિય વચન કહ્યું નહિ.દુઃખ અને ક્રોધથી યુક્ત થયેલા પિતામહે સર્પની જેમ નિશ્વાસ નાખી લાંબા કાળ સુધી વિચાર કર્યો ને પછી દુર્યોધનને કહ્યું કે-'હે દુર્યોધન,તું શા માટે મને વચનબાણથી વીંધી નાખે છે?હું યથાશક્તિ યુદ્ધમાં જોડાયો છું,હંમેશા તારું પ્રિય કરું છું ને પ્રાણોની આહુતિ આપવા તૈયાર થયો છું.પરંતુ શૂરવીર અર્જુને યુદ્ધમાં ઇન્દ્રનો પણ પરાજય કરીને ખાંડવવનમાં અગ્નિને તૃપ્ત કર્યો હતો તે જ તેના અજિતપણા માટે સંપૂર્ણ પ્રમાણ છે.

Nov 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-980

 

અધ્યાય-૯૭-દુર્યોધનની ચિંતા-અને ભીષ્મ પ્રત્યે પ્રાર્થના 


॥ संजय उवाच ॥ ततो दुर्योधनो राजा शकुनिश्चापि सौबलः I दुःशासनश्वाचत्रस्ते सुत्पुत्र्श्चदुर्जयः ॥१॥

સંજયે કહ્યું-હે મહારાજ,તે રાત્રિમાં દુર્યોધન,શકુનિ,દુઃશાસન અને કર્ણ એકઠા મળીને વિચાર કરવા લાગ્યા કે-'આ યુદ્ધમાં પાંડવોને તેમના અનુયાયીઓ સહીત કેવી રીતે જીતવા?' દુર્યોધન,કર્ણ અને શકુનિને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે-'ભીષ્મ,દ્રોણ,કૃપ,શલ્ય ને ભૂરિશ્રવા-એ મહાન યોદ્ધાઓ આ યુદ્ધમાં કયા કારણથી પાંડવોનો વધ કરી શકતા નથી,તેનું કારણ મને જાણવામાં આવતું નથી.પાંડવોનો નાશ થતો નથી અને મારા સૈન્યનો નાશ થતો જાય છે.દેવોથી પણ ન મારી શકાય તેવા પાંડવોએ મને હરાવી દીધો છે,તો મને સંશય છે કે હું તેઓની સાથે કેવી રીતે યુદ્ધ કરી શકીશ?


કર્ણે કહ્યું-હે દુર્યોધન,તમે શોક ન કરો.હું તમારું પ્રિય કરીશ.ભીષ્મને આ સંગ્રામમાંથી ખસવા દ્યો.તેઓ જયારે શસ્ત્રોનો ત્યાગ કરશે ત્યારે એ ભીષ્મના દેખતાં પાંડવોનો ને સર્વ સોમકોનો હું નાશ કરીશ,એ હું સત્ય પ્રતિજ્ઞા કરીને કહું છું.ભીષ્મ હંમેશાં પાંડવો પર દયા રાખે છે ને એ પાંડવોને જીતવા,તે ભીષ્મ અશક્ત પણ છે.વળી,એ રણમાં અભિમાન ધરાવનાર છે,તેમને હંમેશા યુદ્ધ કરવું ઘણું પ્રિય લાગે છે.હે ભારત,તમે ભીષ્મના તંબુમાં જાઓ અને તેમને સમજાવીને તેમની પાસેથી શસ્ત્રો છોડાવી દ્યો.પછી,હું એકલો જ તે પાંડવોનો,મિત્રો,અનુનાયીઓ અને બાંધવો સહીત નાશ કરીશ-તે તમે જો જો'


કર્ણના વચનથી,દુર્યોધન,ઘોડા પર બેસીને ભીષ્મના તંબુમાં જવા નીકળ્યો ને ત્યાં પહોંચતા વેંત જ તે ઘોડા પરથી ઉતારી ભીષ્મ પાસે જઈને તેમને પ્રણામ કર્યા અને આંખમાં આંસુ લાવી તેમને કહેવા લાગ્યો કે-'હે પિતામહ,આ યુદ્ધમાં અમે તમારો આશરો કર્યો છે,કે જેથી ઇન્દ્રસહીત દેવો અથવા અસુરોને જીતવા માટે ઉત્સાહ ધરાવીએ છીએ તો પાંડવોને અને તેમના મિત્રોને જીતીએ તેમાં શું નવાઈ છે? તમે મારા પર કૃપા કરવા યોગ્ય છે અને જેમ ઇન્દ્રે દાનવોનો સંહાર કર્યો હતો તેમ તમે પાંડવોનો નાશ કરો.


હે મહારાજ 'હું સર્વ સોમકોને,કેકય સહીત,પાંચાલોને તથા કરુષોને મારી નાખીશ' એ પૂર્વે કહેલાં વચનોને હવે સત્ય કરો.ને તેમને હણીને સત્યવચની થાઓ.હે પ્રભો,પાંડવો પર દયાથી ને મારા પ્રત્યે દ્વેષભાવથી કે મારા મંદ ભાગ્યથી તમે જાણે પાંડવોની રક્ષા કરતા હો તેમ મને લાગે છે.(જો આમ જ હોય) તો પછી,તમે રણસંગ્રામને શોભાવનાર કર્ણને યુદ્ધની આજ્ઞા આપો,કે જેથી તે કર્ણ જ આ યુદ્ધમાં પાંડવોને મારીને તેમને જીતશે.' આમ કહી તે મૌન ધારણ કરીને બેસી રહ્યો (43)

અધ્યાય-97-સમાપ્ત

Nov 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-979

 

અધ્યાય-૯૬-આઠમો દિવસ સમાપ્ત-ભયંકર રણભૂમિ 


॥ संजय उवाच ॥ पुत्रं विनिहतं श्रुत्वा इरावंतं धनंजयः I दुखेन भरताविष्टो निःश्चसन्पन्नगो यथा ॥१॥

સંજયે કહ્યું-પોતાના પુત્ર ઈરાવાનને યુદ્ધમાં માર્યો ગયેલો સાંભળી,મહાદુઃખી થયેલો અર્જુન સર્પની પેઠે નિશ્વાસ નાખવા લાગ્યો ને શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો-'વિદુરે,'કૌરવો ને પાંડવોનો ભયંકર નાશ થશે'એમ પ્રથમથી જ નિશ્ચયપૂર્વક જોઈ લીધું હતું.આ યુદ્ધમાં આપણા અને તેઓના ઘણા વીરોનો નાશ થયો છે.માટે જે અર્થ (ધન) માટે આવું નિંદ્ય કર્મ કરાય છે તે અર્થને ધિક્કાર હજો.દુર્યોધન અને તેના દુષ્ટ સલાહકારોના વિચારોથી થયેલ આ યુદ્ધમાં બિચારા અનેક ક્ષત્રિયો માર્યા જાય છે.મરણ પામેલા આ ક્ષત્રિયોને જોઈને હું મારા આત્માને અતિ નિંદુ છું,મારા ક્ષત્રિય જીવતરને ધિક્કાર હો.જો કે આ બધા ક્ષત્રિયો,મને યુદ્ધ કરવામાં કાયર માનશે,આ જ્ઞાતિલાઓ સાથે મને યુદ્ધ કરવું લગાર પણ ગમતું નથી,છતાં આપના ઉપદેશને અનુસરીને હું યુદ્ધ કરવા તત્પર થાઉં છું,ચાલો જલ્દી કૌરવોની સેનાએ તરફ આપણો રથ હાંકો'