Dec 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-999

 

અધ્યાય-૧૧૫-દશમો દિવસ (ચાલુ) મરણનો નિશ્ચય 


॥ धृतराष्ट्र उवाच ॥ कथं शान्तनवो भीष्मो दशमेहनि संजय I अयुध्यत महावीर्यः पांडवै: सह स्रुन्जयेः ॥१॥

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,એ દશમે દિવસે મહાપરાક્રમી શાંતનુકુમાર ભીષ્મ,પાંડવો અને સૃન્જયો સાથે કેવી રીતે લડ્યા?

તેમનું યુદ્ધ કેવી રીતે થયું હતું?ને કૌરવોએ યુદ્ધમાં આગળ વધતા પાંડવોને કેવી રીતે વાર્યા? 

Dec 3, 2025

ભાગવત રહસ્ય-૧૫-Bhgavat Rahasya-15

એક દિવસ ફરતાં ફરતાં નારદજી વિશાલાપુરીમાં જ્યાં સનત્કુમારો વિરાજતા હતા ત્યાં આવ્યા. નારદજીનું મુખ ઉદાસ જોઈને સનત્કુમારોએ નારદજીને તેમની ઉદાસીનું કારણ પૂછ્યું.
સનકાદિક -નારદજીને પૂછે છે—આપ ચિંતામાં કેમ છો ? તમે તો હરિદાસ છો.
શ્રીકૃષ્ણના દાસ કદી ના હોય ઉદાસ.
'મારી કોઈ નિંદા કરે-મને કોઈ ગાળ આપે—તે મારા કલ્યાણ માટે.- જે થાય છે તે મારા ભલા માટે થાય છે' એમ વૈષ્ણવો માને છે.વૈષ્ણવો સદા પ્રભુ ચરણમાં ,પ્રભુના નામમાં રહે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-998

અધ્યાય-૧૧૪-દશમો દિવસ (ચાલુ)ભીમ અને અર્જુનનું પરાક્રમ 


॥ संजय उवाच ॥ अर्जुनस्तु रणे शल्यं यतमानं महारथम् I छादयामस समरे शरैः सन्नतप र्वभि: ॥१॥

સંજયે કહ્યું-એ સંગ્રામમાં પોતાને આગળ વધતો અટકાવવાને પ્રયત્ન કરતા શલ્યને,અર્જુને બાણો મૂકીને છાઈ દીધો.વળી,તેણે સુશર્મા,કૃપાચાર્ય,ભગદત્ત,જયદ્રથ,ચિત્રસેન,વિકર્ણ,કૃતવર્મા,દુર્મુર્ષણ અને અવંતીકુમારોને પણ બાણોથી વીંધી નાખ્યા.ત્યારે ચિત્રસેનના રથમાં બેઠેલા જયદ્રથે,સામે અર્જુન અને ભીમને વીંધ્યા.તે જ રીતે બીજા કૌરવ મહારથીઓએ પણ અર્જુન અને ભીમ સામે પ્રહાર કર્યો.એ ભયંકર યુદ્ધમાં થયેલો માનવ સંહાર અકલ્પનીય હતો.ને એ સંગ્રામમાં અર્જુન અને ભીમનું પરાક્રમ અદભુત હતું.અર્જુન એકલો જ બાણોનો વરસાદ વરસાવી ને તે સર્વ યોદ્ધાઓને અટકાવી રાખીને સંહાર કરતો હતો.

Dec 2, 2025

ભાગવત રહસ્ય-૧૪-Bhgavat Rahasya-14

શું કરવું કે શું ના કરવું-એ તમારા મનને ના પૂછો –પણ શાસ્ત્રને પૂછો (ગીતા-૧૬-૨૪)
શાસ્ત્ર કહે તે પ્રમાણે કરો. સદાચાર એ –પાયો- છે. અને સદવિચાર એ –મકાન- છે.
આચાર બગડે એટલે વિચાર બગડે છે. આચાર –વિચાર શુદ્ધ રાખો. એના વગર -મન -ની શુદ્ધિ થતી નથી.અને મનની શુદ્ધિ ના થાય ત્યાં સુધી-ભક્તિ-થઇ શકતી નથી.વિવેકથી સંસારનો અંત ના લાવો ,ત્યાં સુધી સંસારનો અંત આવવાનો નથી.જીવનમાં સદાચાર-સંયમ –જ્યાં સુધી ના આવે –ત્યાં સુધી પુસ્તકમાંનું જ્ઞાન કંઈ કામ લાગશે નહિ.કેવળ જ્ઞાન શા કામનું ?

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-997

 

અધ્યાય-૧૧૩-દશમો દિવસ (ચાલુ)ભીમસેનનું પરાક્રમ 


॥ संजय उवाच ॥ भगदत्तः कृपः शल्यः कृतवर्मा तथैव च I विंदानुविंदावावन्त्यौ सैन्यवश्व जयद्रथः ॥१॥

સંજયે કહ્યું-ભગદત્ત,કૃપાચાર્ય,શલ્ય,કૃતવર્મા,અવંતીકુમારો,જયદ્રથ,ચિત્રસેન,વિકર્ણ અને દુર્મર્ષણ આદિ તમારા દશ યોદ્ધાઓ ભીમસેન સામે લડવા લાગ્યા.અને તેઓ તીક્ષ્ણ બાણોથી ભીમસેન પર પ્રહાર કરવા લાગ્યા.સામે ભીમસેને પણ એ સર્વ મહારથીઓ પર પૃથક પૃથક પ્રહાર કરવા માંડ્યો.ભીમે સાત બાણોથી શલ્યને વીંધી નાખ્યો ને કૃતવર્માને આઠ બાણોથી ઘાયલ કર્યો.પછી કૃપાચાર્યનું ધનુષ્ય છેદી નાખ્યું ત્યારે તેમણે બીજું ધનુષ્ય લઈને ભીમને વીંધવા લાગ્યા.ત્યારે કોપેલા ભીમે પણ કૃપાચાર્ય પર બાણોનો મારો કર્યો.વળી,જયદ્રથના રથના ઘોડાઓ ને સારથિને મારી નાખી તેના ધનુષ્યને કાપી નાખ્યું.એટલે તે જયદ્રથ એકદમ ચિત્રસેનના રથ પર ચડી ગયો.તે રણસંગ્રામમાં ભીમે અદભુત પરાક્રમ કર્યું હતું.

Dec 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-996

 

અધ્યાય-૧૧૨-દશમો દિવસ (ચાલુ) દ્રોણ અને અશ્વત્થામાનો સંવાદ 


॥ संजय उवाच ॥ अथ वीरो महेष्वासो मत्तवारणविक्रमः I समायाय महच्चापं मत्तवारण वारणम् ॥१॥

સંજયે કહ્યું-તે પછી,મોટા ધનુષ્યવાળા,મદોન્મત્ત હાથીસમાન પરાક્રમવાળા ને પાંડવોની સેનામાં પ્રવેશ કરીને પોતાના મોટા ધનુષ્ય વડે સર્વને ચારે બાજુ નસાડી મૂકતા,વીર દ્રોણાચાર્ય,ચારે બાજુ થતા અશુભ શકુનો જોઈને,પોતે નિમિત્તોનાં ફળને જાણનારા હોવાથી,તે અશુભ શકુનોનું ફળ,પોતાના પુત્ર અશ્વત્થામાને કહેવા લાગ્યા-'હે પુત્ર,આજનો દિવસ એ છે કે-અર્જુન ભીષ્મને મારવાનો પરમ યત્ન કરશે.મારાં બાણો આજે ભાથામાંથી ઉછળે છે,મારુ ધનુષ્ય ફરકે છે,અસ્ત્રો એની મેળે યોગને પામે છે અને મારી બુદ્ધિ ક્રૂર કર્મ કરવામાં પ્રવર્તે છે.દિશાઓમાં મૃગો,પક્ષીઓ ભયંકર શબ્દ કરે છે અને ગીધ પક્ષીઓ નીચે આવીને પડે છે.સૂર્ય જાણે નિસ્તેજ થયો હોય તેમ લાગે છે,દિશાઓ લાલ દેખાય છે ને પૃથ્વી જાણે કંપતી લાગે છે.પક્ષીઓ ને શિયાળો રુદન કરે છે,સૂર્ય મંડળના મધ્યમાંથી મોટો ઉલ્કાપાત પડે છે.