Dec 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1008

અધ્યાય-૨-કર્ણના વીરોદગારો 


II संजय उवाच II हतं भीष्ममथा धिरथिर्विदित्वा भिन्नां नायभिवात्यगाधे कुरूणां I 

सौन्दर्यवत व्यसनात्सुतपुत्र: संतारयिष्यंस्तव पुत्रस्य सेनाम् II १ II

સંજય બોલ્યો-ભીષ્મને હણાયેલા જાણીને અધિરથના પુત્ર કર્ણે,બંધુની જેમ,અતિ અગાધ મહાસાગરમાં ભાંગી પડેલી નૌકા જેવી તે કૌરવવોની સેનાને દુઃખમાંથી તારવાની ઈચ્છા કરી અને તે તમારા પુત્રની સેનાએ તરફ આવી પહોંચ્યો.ને બોલ્યો-

Dec 12, 2025

ભાગવત રહસ્ય-૨૪-Bhgavat Rahasya-24

ગોકર્ણ આત્મદેવને કહે છે- 'પિતાજી બહોત ગઈ થોડી રહી. ગંગા કિનારે જઈ ઠાકોરજીની સેવા કરો.' મનને વિક્ષેપ થાય ત્યારે તેને કૃષ્ણ કથામાં લઇ જાવ. ભાવના કરશો તો હૃદય પીગળશે. પરદોષ દર્શન –એ સેવામાં,સત્કર્મમાં વિઘ્ન રૂપ છે-- માટે તેનો ત્યાગ કરો. ભગવાનમય જીવન ગાળવા માટે –ધ્યાન,જપ અને પાઠ અતિ આવશ્યક છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1007-Dron Parv

 

(૭) દ્રોણ પર્વ 

દ્રોણાભિષેક પર્વ 

અધ્યાય-૧-ધૃતરાષ્ટ્ર પ્રશ્ન  

મંગલાચરણ 

नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II 

ૐ નારાયણ,નરોત્તમ એવા નર ભગવાન અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને 

'જય'(મહાભારત)નું કીર્તન શરુ કરીશું.

Dec 11, 2025

ભાગવત રહસ્ય-૨3-Bhgavat Rahasya-23

સૂતજી સાવધાન કરે છે- અને કહે છે-કે-મોટો થતાં ધન્ધુકારી પાંચ વેશ્યાઓમાં ફસાયો છે.ચાર વેશ્યાઓ બતાવતા નથી,છ બતાવતા નથી –પણ પાંચ વેશ્યાઓમાં ફસાયો છે—તેમ લખ્યું છે.પાંચ વિષયો, શબ્દ-સ્પર્શ-રૂપ-રસ અને ગંધ-એ –પાંચ વેશ્યાઓ છે.આ પાંચ વિષયો પાપથી ભોગવે તે બધા ધન્ધુકારી છે.જે વિષયોનો દાસ બને છે,ત્યારે તે જ વિષયો તેને અંતકાળે મારે છે

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1006

 

અધ્યાય-૧૨૨-અગીયારમો દિવસ-ભીષ્મ પાસે કર્ણની પ્રાર્થના 


॥ संजय उवाच ॥ ततस्ते पार्थिवाः सर्वे जग्मुः स्वानालयान्पुन :I तूष्णीं भूते महाराज भीष्मे शांतनुनन्दने ॥१॥

સંજયે કહ્યું-એ પ્રમાણે શાંતનુપુત્ર ભીષ્મ જયારે શાંત થયા ત્યારે સર્વ રાજાઓ પોતપોતાના તંબુ તરફ ગયા.તે વખતે રાધાપુત્ર કર્ણ,થોડો ભયભીત થઈને ભીષ્મ પાસે ગયો.ભીષ્મને બાણશૈય્યામાં સુતેલા જોઈને તેના આંખમાં આંસુ ભરાઈ આવવાથી ગદગદ કંઠે તે ભીષ્મને સંબોધીને બોલ્યો કે-'હે કુરુશ્રેષ્ઠ,હંમેશાં તમારી નજર આગળ રહેનારો અને સર્વસ્થળે તમારા શત્રુ તરીકે રહેનારો હું રાધાપુત્ર કર્ણ,આપનાં દર્શને આવેલો છું' કર્ણનું વચન સાંભળીને ભીષ્મે પોતાની આંખો ઉઘાડીને આસપાસના ચોકીદારોને ખસી જવાનું કહ્યું ને પછી,એકાંતમાં એક હાથથી તેના હાથને હાથમાં લઈને સ્નેહપૂર્વક બોલ્યા-

Dec 10, 2025

ભાગવત રહસ્ય-૨૨-Bhgavat Rahasya-22

ભાગવતની કથા ત્રણ પ્રકારે કરવામાં આવે છે.-આધ્યાત્મિક-આધિદૈવિક-અને આધિભૌતિક-રીતે.જરા વિચાર કરો તો સમજાશે-કે-માનવ કાયા - એ જ તુંગભદ્રા છે. ભદ્રા એટલે કલ્યાણ કરનારી અને તુંગ એટલે વધારે. માનવ કાયા દ્વારા જ મનુષ્ય આત્મદેવ થઇ શકે છે.આત્માનો દેવ બને તે આત્મદેવ.આત્મદેવ-એ જીવાત્મા છે. આપણે બધા આત્મદેવ જેવા છીએ. નર જ નારાયણ બને છે.