અધ્યાય-૩-ભીષ્મ પ્રત્યે કર્ણનાં વચન
II संजय उवाच II शरतल्पे महात्मानं शयानमतितौजसम् I महावातसमुहेन समुद्रमिवशोपितम् II १ II
સંજય બોલ્યો-હે રાજન,આમ કર્ણ રથમાં બેસીને ભીષ્મપિતામહની બાણશૈય્યાવાળા સ્થાને પહોંચ્યો ને તેમને જોઈને રથમાંથી નીચે ઉતર્યો.પિતામહને જોઈને કર્ણ ભારે વેદના પામ્યો ને તેનું ગળું ભરાઈ આવ્યું ને બે હાથ જોડીને વંદન કરીને તે બોલ્યો કે-'હે પિતામહ,આપનું મંગલ હો.હું કર્ણ આપની પાસે આવ્યો છું,આપ મને કૃપાદ્રષ્ટિથી જુઓ,અને પવિત્ર-કલ્યાણકારી વાણીથી આપ મારી સાથે બોલો.અરેરે,આ જગતમાં કોઈ પણ મનુષ્યને તેનાં શુભ કૃત્યોનું ફળ મળતું નથી,કારણકે આપ જેવા ધર્મપરાયણ વડીલ આજે આ સ્થિતિએ પૃથ્વી પર સુતા છે.




