અધ્યાય-૪-ભીષ્મે કર્ણને યુદ્ધ કરવાની આજ્ઞા આપી
II संजय उवाच II तस्य लालप्यमानस्य कुरुवृद्ध: पितामह I देशकालोचितं यास्यमब्रवीन्प्रितमानसः II १ II
સંજય બોલ્યો-કર્ણે આ પ્રમાણે વારંવાર કહ્યું ત્યારે કુરુવૃદ્ધ પિતામહે પ્રસન્નચિત્ત થઈને દેશકાળને યોગ્ય વચનો કહ્યાં.
'હે કર્ણ,જેમ,સરિતાઓને સમુદ્ર આશ્રયરૂપ છે,તેમ તું મિત્રોને અશ્રયરૂપ થા.જેમ,દેવો ઇન્દ્રની પાછળ જીવે છે તેમ,તારા બાંધવો તારી પાછળ જીવો.શત્રુઓનો તું માનભંજન થા અને મિત્રોનો તું આનંદવર્ધન થા.જેમ,વિષ્ણુ,દેવતાઓનો આધાર છે તેમ,તું કૌરવોનો આધાર છે.હે કર્ણ,પૂર્વે,તેં દુર્યોધનના જયની ઈચ્છાથી કામ્બોજ યોદ્ધાઓને જીત્યા હતા.વળી,નગ્નજિત,અમ્બષ્ઠો,
વિદેહો અને ગાંધારોને પણ તેં હરાવ્યા હતા.રણસંગ્રામમાં મહાભયંકર એવા કિરાતોને તેં દુર્યોધનના તાબામાં આણ્યા હતા.
વળી,દુર્યોધનનું હિત ઇચ્છીને અનેક સંગ્રામોમાં અનેક વીરોને પરાજય આપ્યો હતો.




