Mar 5, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1065

 

અધ્યાય-૬૨-રાજા માંધાતાનું ચરિત્ર 


 II नारद उवाच II मांधाता चेद्योवनाश्वो मृतः सृंजय शुश्रुम I देवासुरमनुष्याणां त्रिलोक्यविजयी नृपः II १ II

નારદ બોલ્યા-હે સૃન્જય,યુવનાશ્વનો પુત્ર માંધાતા પણ મરી ગયો છે એમ આપણે સાંભળીએ છીએ.તે રાજાએ દેવો,અસુરો ને મનુષ્યોનો જય કરીને ત્રણે લોક પર વિજય મેળવ્યો હતો.અશ્વિનીકુમારે તે રાજાને એના પિતાના પેટમાંથી બહાર કાઢ્યો હતો.એવું બન્યું હતું કે-એકવાર રાજા યુવનાશ્વ મૃગયા રમવા ગયો હતો ને ફરતાં ફરતાં તરસ્યો થયો હતો,ત્યારે રાજાએ પાણીની શોધ કરી.એટલામાં દહીં છાંટેલા ઘીનું પાત્ર તેના જોવામાં આવ્યું અને તે પોતે તે પી ગયો.મંત્રના પ્રભાવવાળા તે ઘીથી તે રાજાના પેટમાં ગર્ભ રહ્યો.આ વાતની વૈદ્યશ્રેષ્ઠ અશ્વિનીકુમારને જાણ થઇ,એટલે તેમણે રાજાનું પેટ ચીરીને બાળકને બહાર કાઢ્યો.ત્યારે પિતાના ખોળામાં સુતેલા તે બાળકને જોઈને દેવો માંહેમાંહે વાતો કરવા લાગ્યા કે 'આ બાળક કોને ધાવશે?'

Mar 4, 2026

ભાગવત રહસ્ય-૮૨-Bhgavat Rahasya-82

આત્મસ્વરૂપ (પરમાત્મસ્વરૂપ) નું વિસ્મરણ –એ માયા છે. આ વિસ્મૃતિ –એ સ્વપ્ન – છે
સ્વપ્ન સૃષ્ટિ અને જાગૃત સૃષ્ટિમાં બહુ વધારે ફેર નથી.સ્વપ્ન સૃષ્ટિ –અજ્ઞાનથી દેખાય છે-
તેવી જ રીતે જાગૃત સૃષ્ટિ -જગત –માયાથી દેખાય છે (અજ્ઞાનથી).
સ્વપ્ન જેને દેખાય છે-તે જોનારો –પુરુષ સાચો છે-સ્વપ્નમાં- એક- જ પુરુષ છે-પણ દેખાય છે –બે-
એ જયારે જાગી જાય છે-ત્યારે તેને ખાતરી થાય છે-કે –હું ઘરમાં પથારીમાં સૂતો છું. સ્વપ્નનો પુરુષ જુદો છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1064

 

અધ્યાય-૬૦-રાજા ભગીરથનું ચરિત્ર 


II नारद उवाच II भगीरथम् च राजानं मृतं सृंजय शुश्रुम I येन भागिरथि गंगा चयनै: कांचनैश्चिता II १ II

નારદ બોલ્યા-હે સૃન્જયરાજ,રાજા ભગીરથને પણ અમે મરણ પામેલો સાંભળ્યો છે.તેણે ગંગાને પૃથ્વી પર લાવી તેનાં બંને તીરો ને યાજ્ઞિક મંડળોથી વ્યાપ્ત કરી દીધાં હતાં.વળી,તેણે સર્વ રાજાઓ અને રાજપુત્રોનું અતિક્રમણ કરીને સુવર્ણના અલંકારોથી સુશોભિત એવી એકેક હજાર કન્યાઓનું બ્રાહ્મણોને એક હજાર વાર દાન કર્યું હતું.એ રાજા જયારે ગંગા કિનારે બ્રાહ્મણોને દક્ષિણા આપવા બેસતો ત્યારે તે સ્થળે એટલાં બધા માણસો ઉભરાતાં કે ગંગાનો કિનારો જાણે એમના ભારથી નમી જતો ને ગંગાના પ્રવાહનું પાણી છેક તે રાજાના ખોળામાં આવી વહેતું.એ રીતે જયારે ગંગા રાજાના ખોળામાં આવી બેઠી ત્યારે તે ઉર્વશી સંજ્ઞાને પામી અને તે જ કારણથી તે એ રાજાની પુત્રી તરીકે થઇ.

Mar 3, 2026

ભાગવત રહસ્ય-૮૧-Bhgavat Rahasya-81

કથાના ,ગ્રંથના આરંભમાં મંગલાચરણ કરવું જોઈએ તેવો નિયમ છે.પણ શુકદેવજીને દેહનું ભાન નહી-એટલે આવીને –એકદમ કથાની શરૂઆત કરી દીધી.રાજર્ષિ પરીક્ષિતને પ્રથમ ત્રણ અધ્યાયમાં ઉપદેશ કર્યો છે-જે જ્ઞાન કહેવાનું હતું-તે બધું-અહીં કહી દીધું.(બીજો સ્કંધ=જ્ઞાન લીલા) (એટલે બીજા સ્કંધ ના અધ્યાય ૧-૨-૩ માં ભાગવતનો સઘળો સાર બોધ છે-ત્યાર બાદ તો રાજાનું ધ્યાન બીજા વિષય તરફ જાય નહિ -તેથી બધાં ચરિત્રો કહ્યા છે)

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1063

 

અધ્યાય-૫૮-શિબિરાજાનું ચરિત્ર 


 II नारद उवाच II शिबिमौशिनरं चापि मृतं सृंजय शुश्रुम I य इमां पृथिवीं सर्वा चर्मवत पर्यवेष्टयत II १ II

નારદ બોલ્યા-હે સૃન્જય,ઉશીનરના પુત્ર શિબિરાજાને પણ અમે મરેલો સાંભળીએ છીએ.તેણે આખી પૃથ્વીને ચામડાની જેમ,પોતાની સત્તાથી ઘેરી લીધી હતી.એટલું જ નહિ તેણે પર્વત,બેટ,સમુદ્ર અને વન સાથેની આખી પૃથ્વીને પોતાના રથના ઘોષથી ગજાવી મૂકી હતી.તેણે પોતાના મુખ્ય મુખ્ય શત્રુઓનો સંહાર કરીને સંપૂર્ણ રીતે શત્રુજિત થયો હતો.તેણે સંપૂર્ણ દક્ષિણાવાળા અનેક જાતના યજ્ઞો કર્યા હતા.યુદ્ધમાં તે રાજા સર્વ રાજાઓમાં માનીતો થઇ પડ્યો હતો ને આખી પૃથ્વીનો વિજય કરીને ઘણા અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા.તે યજ્ઞોમાં તે જયારે દાન આપવા બેસતો,ત્યારે હાથી,ઘોડા,પશુઓ,ધાન્ય,ગાયો-આદિ સહીત પવિત્ર પૃથ્વીનું પણ તે દાન કરતો હતો.વરસાદની જેટલી ધારાઓ છે,આકાશમાં જેટલા તારાઓ છે,ગંગા નદીમાં જેટલી રેતી છે,મહાસાગરમાં જેટલાં રત્નો છે,તેટલી ગાયોનું દાન તે શિબિએ કર્યું હતું એમ કહેવાય છે.તે રાજાની સમાનતાની ધૂંસરીને વહી શકે તેવો ઉત્તમ નર,ભૂત,ભવિષ્ય કે વર્તમાનકાળમાં પ્રજાપતિને હજુ સુધી સૃષ્ટિમાં મળ્યો નથી.

Mar 2, 2026

ભાગવત રહસ્ય-૮૦-Bhgavat Rahasya-80

વૈષ્ણવો -પ્રેમથી અદ્વૈત માન્યું છે. શંકરાચાર્ય મહારાજે-જ્ઞાનથી અદ્વૈત માન્યું છે.
વૈષ્ણવ આચાર્યો-પહેલાં દ્વૈતનો નાશ કરી-અદ્વૈતને પ્રાપ્ત કરે છે.ત્યાર બાદ તેઓ કાલ્પનિક દ્વૈત રાખે છે. કે જેથી કનૈયાને-ગોપીભાવે ભજી શકાય. ‘મારે કૃષ્ણ નથી થવું-પણ ગોપી થઇ શ્રીકૃષ્ણની સેવા કરવી છે.’સત્તર તત્વો નું સૂક્ષ્મ શરીર છે. આ સૂક્ષ્મ અને સ્થૂળ –બંને શરીરનો નાશ-તે મુક્તિ. (ગમે તે માર્ગ પસંદ કરો. પણ કોઈ સાધન કરો.)