Mar 6, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1066

 

અધ્યાય-૬૪-રાજા અંબરીષનું ચરિત્ર 


   II नारद उवाच II नाभागमंबरिषं च मृतं सृंजय शुश्रुम I यः सहस्त्रं सहस्त्राणां राज्ञां चैकस्त्वयोधयत II १ II

નારદ બોલ્યા-હે સૃન્જય,નાભાગનો પુત્ર અંબરીષરાજા પણ મરણ પામ્યો છે એમ આપણે સાંભળીએ છીએ.તે રાજા પોતે એકલો જ એકલાખ રાજાઓ જોડે યુદ્ધ કરતો હતો.પોતાને શરણે આવેલા શત્રુઓને વશ કરીને તથા આખી પૃથ્વી જીતી લઈને તેણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સેંકડો યજ્ઞો કર્યા હતા.તેના યજ્ઞોમાં બ્રાહ્મણોને સારું સન્માન ને ભોજન આપવામાં આવતું હતું.બીજા હજારો મનુષ્યો યજ્ઞમાં પોતાને સુખ થાય એવા હેતુથી ઇચ્છાનુસાર માદક પદાર્થો પીતા હતા ને મદોન્મત્ત થઇ હર્ષપૂર્વક નૃત્યો કરીને અંબરીશ રાજાની સ્તુતિ કરતા હતા.

Mar 5, 2026

ભાગવત રહસ્ય-૮૩-સ્કંધ-૩-Bhgavat Rahasya-83

સ્કંધ-3 (સર્ગ લીલા)
સંસાર બે તત્વોનું મિશ્રણ છે.જડ અને ચેતન.શરીર જડ છે અને આત્મા ચેતન છે.
આત્મા શરીરથી જુદો છે-એવું બધા જાણે છે. પણ તેનો અનુભવ કોઈક જ કરી શકે છે.
અતિશય ભક્તિ –કરે ,પરમાત્માના નામમાં તન્મય બને –(જ્ઞાન ક્રિયાત્મક બનાવે-કોઈ પણ સાધન કરે)-તો –જ-આનો અનુભવ થઇ શકે.બાકી-ઘણાં પુસ્તકો વાંચવાથી કે શાસ્ત્રો ભણવાથી-આનો અનુભવ થઇ શકતો નથી. પણ માત્ર જ્ઞાન વધે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1065

 

અધ્યાય-૬૨-રાજા માંધાતાનું ચરિત્ર 


 II नारद उवाच II मांधाता चेद्योवनाश्वो मृतः सृंजय शुश्रुम I देवासुरमनुष्याणां त्रिलोक्यविजयी नृपः II १ II

નારદ બોલ્યા-હે સૃન્જય,યુવનાશ્વનો પુત્ર માંધાતા પણ મરી ગયો છે એમ આપણે સાંભળીએ છીએ.તે રાજાએ દેવો,અસુરો ને મનુષ્યોનો જય કરીને ત્રણે લોક પર વિજય મેળવ્યો હતો.અશ્વિનીકુમારે તે રાજાને એના પિતાના પેટમાંથી બહાર કાઢ્યો હતો.એવું બન્યું હતું કે-એકવાર રાજા યુવનાશ્વ મૃગયા રમવા ગયો હતો ને ફરતાં ફરતાં તરસ્યો થયો હતો,ત્યારે રાજાએ પાણીની શોધ કરી.એટલામાં દહીં છાંટેલા ઘીનું પાત્ર તેના જોવામાં આવ્યું અને તે પોતે તે પી ગયો.મંત્રના પ્રભાવવાળા તે ઘીથી તે રાજાના પેટમાં ગર્ભ રહ્યો.આ વાતની વૈદ્યશ્રેષ્ઠ અશ્વિનીકુમારને જાણ થઇ,એટલે તેમણે રાજાનું પેટ ચીરીને બાળકને બહાર કાઢ્યો.ત્યારે પિતાના ખોળામાં સુતેલા તે બાળકને જોઈને દેવો માંહેમાંહે વાતો કરવા લાગ્યા કે 'આ બાળક કોને ધાવશે?'

Mar 4, 2026

ભાગવત રહસ્ય-૮૨-Bhgavat Rahasya-82

આત્મસ્વરૂપ (પરમાત્મસ્વરૂપ) નું વિસ્મરણ –એ માયા છે. આ વિસ્મૃતિ –એ સ્વપ્ન – છે
સ્વપ્ન સૃષ્ટિ અને જાગૃત સૃષ્ટિમાં બહુ વધારે ફેર નથી.સ્વપ્ન સૃષ્ટિ –અજ્ઞાનથી દેખાય છે-
તેવી જ રીતે જાગૃત સૃષ્ટિ -જગત –માયાથી દેખાય છે (અજ્ઞાનથી).
સ્વપ્ન જેને દેખાય છે-તે જોનારો –પુરુષ સાચો છે-સ્વપ્નમાં- એક- જ પુરુષ છે-પણ દેખાય છે –બે-
એ જયારે જાગી જાય છે-ત્યારે તેને ખાતરી થાય છે-કે –હું ઘરમાં પથારીમાં સૂતો છું. સ્વપ્નનો પુરુષ જુદો છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1064

 

અધ્યાય-૬૦-રાજા ભગીરથનું ચરિત્ર 


II नारद उवाच II भगीरथम् च राजानं मृतं सृंजय शुश्रुम I येन भागिरथि गंगा चयनै: कांचनैश्चिता II १ II

નારદ બોલ્યા-હે સૃન્જયરાજ,રાજા ભગીરથને પણ અમે મરણ પામેલો સાંભળ્યો છે.તેણે ગંગાને પૃથ્વી પર લાવી તેનાં બંને તીરો ને યાજ્ઞિક મંડળોથી વ્યાપ્ત કરી દીધાં હતાં.વળી,તેણે સર્વ રાજાઓ અને રાજપુત્રોનું અતિક્રમણ કરીને સુવર્ણના અલંકારોથી સુશોભિત એવી એકેક હજાર કન્યાઓનું બ્રાહ્મણોને એક હજાર વાર દાન કર્યું હતું.એ રાજા જયારે ગંગા કિનારે બ્રાહ્મણોને દક્ષિણા આપવા બેસતો ત્યારે તે સ્થળે એટલાં બધા માણસો ઉભરાતાં કે ગંગાનો કિનારો જાણે એમના ભારથી નમી જતો ને ગંગાના પ્રવાહનું પાણી છેક તે રાજાના ખોળામાં આવી વહેતું.એ રીતે જયારે ગંગા રાજાના ખોળામાં આવી બેઠી ત્યારે તે ઉર્વશી સંજ્ઞાને પામી અને તે જ કારણથી તે એ રાજાની પુત્રી તરીકે થઇ.

Mar 3, 2026

ભાગવત રહસ્ય-૮૧-Bhgavat Rahasya-81

કથાના ,ગ્રંથના આરંભમાં મંગલાચરણ કરવું જોઈએ તેવો નિયમ છે.પણ શુકદેવજીને દેહનું ભાન નહી-એટલે આવીને –એકદમ કથાની શરૂઆત કરી દીધી.રાજર્ષિ પરીક્ષિતને પ્રથમ ત્રણ અધ્યાયમાં ઉપદેશ કર્યો છે-જે જ્ઞાન કહેવાનું હતું-તે બધું-અહીં કહી દીધું.(બીજો સ્કંધ=જ્ઞાન લીલા) (એટલે બીજા સ્કંધ ના અધ્યાય ૧-૨-૩ માં ભાગવતનો સઘળો સાર બોધ છે-ત્યાર બાદ તો રાજાનું ધ્યાન બીજા વિષય તરફ જાય નહિ -તેથી બધાં ચરિત્રો કહ્યા છે)