અધ્યાય-૬૬-ગયરાજાનું ચરિત્ર
II नारद उवाच II गयं चामूर्तरयसं मृतं सृंजय शुश्रुम यो वै वर्यशतं राजा हुतशिष्टासनोभवत II १ II
નારદ બોલ્યા-હે સૃન્જય,અમૂર્તરયસનો પુત્ર ગયરાજા પણ મરી ગયો છે એમ આપણે સાંભળીએ છીએ.તે રાજા એકસો વર્ષ સુધી હોમ કરતાં બાકી રહેલા અન્નનું જ ભોજન કરતો હતો.અગ્નિદેવે તેને વરદાન માગવા કહ્યું ત્યારે તેણે માગ્યું હતું કે-
તપ,બ્રહ્મચર્ય,વ્રત,નિયમ તથા ગુરુકૃપાથી હું વેદો જાણવાની ઈચ્છા કરું છું.બીજાઓની હિંસા કર્યા વિના કેવળ સ્વધર્મથી જ હું અક્ષય ધન ઈચ્છું છું.બ્રાહ્મણોને દાન આપવાની મને નિત્ય શ્રદ્ધા રહે,ને મારી સજાતીય સ્ત્રીઓમાં પુત્રજન્મ થાય.મને અન્નદાન કરવામાં અક્ષય શ્રદ્ધા રહો,મારુ મન હંમેશા ધર્મમાં જ રમો ને ધર્મકાર્યોંમાં નિત્ય નિર્વિઘ્ન રહું'





